Dahod : ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલા દારૂની પોલીસ સ્ટેશનમાંથી થઈ ચોરી, આ ઘટનાને અંજામ આપવામાં હતા આ લોકો સામેલ


  • Published By : Admin
  • Published Date : 2023-08-24 15:08:17

ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે આપણને ખબર છે. ગુજરાતમાં કરોડો રુપિયાનો દારૂ વેચાય છે. રાજ્યમાંથી ઘણી વખત દારૂ પકડાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદથી એક ઘટના સામે આવી છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દેશે. જપ્ત કરવામાં આવેલો દારૂ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરી થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 916 દારૂની પેટીઓ રાખવામાં આવી હતી જેમાંથી અનેક દારૂની પેટીઓની ચોરી થઈ ગઈ છે.   

પોલીસ સ્ટેશનમાં રખાયેલા દારૂની થઈ ચોરી

રાજ્યમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીનો નિયમ કેટલો કારગાર છે તે આપણને ખબર છે. અનેક વખત ગુજરાતથી દારૂનો મોટો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સની ટીમે 44 લાખ જેટલા દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 20 ઓગસ્ટના દિવસે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. અનેક દારૂની પેટીઓ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે પેટીઓને ગણવામાં આવી ત્યારે તેમાંથી અનેક પેટીઓ ગાયબ થઈ ગઈ હતી. 916 વિદેશી દારૂની પેટીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન 916 વિદેશી દારૂની પેટીઓ કરાઈ હતી જપ્ત 

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો થોડા સમય પહેલા પીપલોદ પોલીસ સ્ટેશન હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડામાં એક ટ્રકમાંથી કુલ 916 વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી હતી.આ તમામ દારૂની પેટીઓ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી પણ પછી ખબર પડી કે દારૂની પેટીઓમાંથી કેટલીક પેટીઓની ચોરી થઇ ગઇ છે જ્યારે તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 15 યુવાનોએ આ દારૂની ચોરી કર્યાનું સામે આવ્યુ અને તેમાથી 9 લોકોને પોલીસે ઝડપી લીધા પણ આ કોઈ નાની મોટી ચોરી ન હતી દારૂની 23 પેટી ગાયબ થઈ હતી.

દારૂની ચોરીમાં પોલીસજવાનો પણ હતા સામેલ  

આ મામલે જે લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પીપલોદ પોલીસ સ્ટેશનના 1 પોલીસ કોન્સ્ટેબલ , 7-GRD , 1-TRB , 2 મજુર 4-પબ્લીકના માણસો સહીત 15 વ્યક્તિઓ સામેલ છે. આ ચોરીને અંજામ આપવામાં અંદરના જ લોકોનો હાથ હતા. આ સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટાફ દ્વારા CCTVની પણ તપાસ કરતા આ 15 લોકો સામે આવ્યા હતા બધા આરોપી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

નશાની હાલતમાં દેખાતા હોય છે અધિકારી  

મહત્વનું છે કે અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂ તો આસાનીથી મળી જ રહે છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓ, શિક્ષકો તેમજ સરકારી અધિકારીઓ દેખાતા હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાંથી દારૂની પેટીઓ ચોરી થઈ જવી, આ કિસ્સો ફિલ્મી સ્ટોરી જેવો લાગે છે પરંતુ સત્ય છે. દારૂ બંધી વાળા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂની ચોરી થઈ જાય છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.