Dahod : ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલા દારૂની પોલીસ સ્ટેશનમાંથી થઈ ચોરી, આ ઘટનાને અંજામ આપવામાં હતા આ લોકો સામેલ


  • Published By : Admin
  • Published Date : 2023-08-24 15:08:17

ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે આપણને ખબર છે. ગુજરાતમાં કરોડો રુપિયાનો દારૂ વેચાય છે. રાજ્યમાંથી ઘણી વખત દારૂ પકડાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદથી એક ઘટના સામે આવી છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દેશે. જપ્ત કરવામાં આવેલો દારૂ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરી થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 916 દારૂની પેટીઓ રાખવામાં આવી હતી જેમાંથી અનેક દારૂની પેટીઓની ચોરી થઈ ગઈ છે.   

પોલીસ સ્ટેશનમાં રખાયેલા દારૂની થઈ ચોરી

રાજ્યમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીનો નિયમ કેટલો કારગાર છે તે આપણને ખબર છે. અનેક વખત ગુજરાતથી દારૂનો મોટો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સની ટીમે 44 લાખ જેટલા દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 20 ઓગસ્ટના દિવસે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. અનેક દારૂની પેટીઓ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે પેટીઓને ગણવામાં આવી ત્યારે તેમાંથી અનેક પેટીઓ ગાયબ થઈ ગઈ હતી. 916 વિદેશી દારૂની પેટીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન 916 વિદેશી દારૂની પેટીઓ કરાઈ હતી જપ્ત 

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો થોડા સમય પહેલા પીપલોદ પોલીસ સ્ટેશન હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડામાં એક ટ્રકમાંથી કુલ 916 વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી હતી.આ તમામ દારૂની પેટીઓ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી પણ પછી ખબર પડી કે દારૂની પેટીઓમાંથી કેટલીક પેટીઓની ચોરી થઇ ગઇ છે જ્યારે તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 15 યુવાનોએ આ દારૂની ચોરી કર્યાનું સામે આવ્યુ અને તેમાથી 9 લોકોને પોલીસે ઝડપી લીધા પણ આ કોઈ નાની મોટી ચોરી ન હતી દારૂની 23 પેટી ગાયબ થઈ હતી.

દારૂની ચોરીમાં પોલીસજવાનો પણ હતા સામેલ  

આ મામલે જે લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પીપલોદ પોલીસ સ્ટેશનના 1 પોલીસ કોન્સ્ટેબલ , 7-GRD , 1-TRB , 2 મજુર 4-પબ્લીકના માણસો સહીત 15 વ્યક્તિઓ સામેલ છે. આ ચોરીને અંજામ આપવામાં અંદરના જ લોકોનો હાથ હતા. આ સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટાફ દ્વારા CCTVની પણ તપાસ કરતા આ 15 લોકો સામે આવ્યા હતા બધા આરોપી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

નશાની હાલતમાં દેખાતા હોય છે અધિકારી  

મહત્વનું છે કે અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂ તો આસાનીથી મળી જ રહે છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓ, શિક્ષકો તેમજ સરકારી અધિકારીઓ દેખાતા હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાંથી દારૂની પેટીઓ ચોરી થઈ જવી, આ કિસ્સો ફિલ્મી સ્ટોરી જેવો લાગે છે પરંતુ સત્ય છે. દારૂ બંધી વાળા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂની ચોરી થઈ જાય છે.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.