દાહોદ પોલીસે જાનૈયાનો સ્વાંગ રચી રીઢા આરોપીને દબોચ્યો, LCBની કાર્યવાહીએ જિલ્લામાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-05-30 14:59:57

પોલીસને પણ ઘણીવાર રીઢા ગુનેગારોને ઝડપી લેવા માટે વિવિધ પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. જેમ કે દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા 144 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ આ ગુનેગારને ઝડપી લેવા માટે જાનૈયા બનીને તેના છુપાવાના સ્થળે ત્રાટકી હતી. વોન્ટેડ આરોપી બુટલેગર પીદીયા રતના સંગાડિયાને પકડી પાડતા પોલીસ કાર્યવાહીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.


પોલીસ જાનૈયા બની


દાહોદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી  પીદીયા રતના સંગાડિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે પોલીસે જાનૈયા બનીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી 144 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. આરોપીને પકડવા માટે LCB પોલીસે ડીજે જીપ, બાઈક સહિતના ખાનગી વાહનો તૈયાર કર્યા હતા અને આ વાહનો પર વર તથા કન્યા પક્ષના સ્ટીકરો લગાવ્યા હતા. PSI સહિત 23 જેટલા પોલીસકર્મીઓ જાનૈયા બનીને ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની આ અનોખી કાર્યવાહીએ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી પ્રયાસો કરી રહી હતી. 


144 ગુનામાં વોન્ટેડ છે આરોપી 


આરોપી પીદીયા રતના સંગાડિયા હિસ્ટ્રીશીટર છે, તેની સામે પોલીસ ચોપડે 144 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને પકડ્યા બાદ તેની સામે વધુ 9 જેટલા ગુનો હોવાનું સામે આવ્યું હતું. દાહોદ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી હતી. અંતે પોલીસને ગુપ્ત બાતમી મળતા  23 જેટલા પોલીસકર્મીઓએ તેને પકડવા માટે કમર કસી હતી. આરોપની કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેમણે જાનૈયાનો સ્વાંગ રચ્યો હતો.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.