દાહોદ પોલીસે જાનૈયાનો સ્વાંગ રચી રીઢા આરોપીને દબોચ્યો, LCBની કાર્યવાહીએ જિલ્લામાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-05-30 14:59:57

પોલીસને પણ ઘણીવાર રીઢા ગુનેગારોને ઝડપી લેવા માટે વિવિધ પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. જેમ કે દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા 144 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ આ ગુનેગારને ઝડપી લેવા માટે જાનૈયા બનીને તેના છુપાવાના સ્થળે ત્રાટકી હતી. વોન્ટેડ આરોપી બુટલેગર પીદીયા રતના સંગાડિયાને પકડી પાડતા પોલીસ કાર્યવાહીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.


પોલીસ જાનૈયા બની


દાહોદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી  પીદીયા રતના સંગાડિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે પોલીસે જાનૈયા બનીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી 144 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. આરોપીને પકડવા માટે LCB પોલીસે ડીજે જીપ, બાઈક સહિતના ખાનગી વાહનો તૈયાર કર્યા હતા અને આ વાહનો પર વર તથા કન્યા પક્ષના સ્ટીકરો લગાવ્યા હતા. PSI સહિત 23 જેટલા પોલીસકર્મીઓ જાનૈયા બનીને ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની આ અનોખી કાર્યવાહીએ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી પ્રયાસો કરી રહી હતી. 


144 ગુનામાં વોન્ટેડ છે આરોપી 


આરોપી પીદીયા રતના સંગાડિયા હિસ્ટ્રીશીટર છે, તેની સામે પોલીસ ચોપડે 144 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને પકડ્યા બાદ તેની સામે વધુ 9 જેટલા ગુનો હોવાનું સામે આવ્યું હતું. દાહોદ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી હતી. અંતે પોલીસને ગુપ્ત બાતમી મળતા  23 જેટલા પોલીસકર્મીઓએ તેને પકડવા માટે કમર કસી હતી. આરોપની કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેમણે જાનૈયાનો સ્વાંગ રચ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.