દાહોદ પોલીસે જાનૈયાનો સ્વાંગ રચી રીઢા આરોપીને દબોચ્યો, LCBની કાર્યવાહીએ જિલ્લામાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-05-30 14:59:57

પોલીસને પણ ઘણીવાર રીઢા ગુનેગારોને ઝડપી લેવા માટે વિવિધ પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. જેમ કે દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા 144 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ આ ગુનેગારને ઝડપી લેવા માટે જાનૈયા બનીને તેના છુપાવાના સ્થળે ત્રાટકી હતી. વોન્ટેડ આરોપી બુટલેગર પીદીયા રતના સંગાડિયાને પકડી પાડતા પોલીસ કાર્યવાહીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.


પોલીસ જાનૈયા બની


દાહોદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી  પીદીયા રતના સંગાડિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે પોલીસે જાનૈયા બનીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી 144 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. આરોપીને પકડવા માટે LCB પોલીસે ડીજે જીપ, બાઈક સહિતના ખાનગી વાહનો તૈયાર કર્યા હતા અને આ વાહનો પર વર તથા કન્યા પક્ષના સ્ટીકરો લગાવ્યા હતા. PSI સહિત 23 જેટલા પોલીસકર્મીઓ જાનૈયા બનીને ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની આ અનોખી કાર્યવાહીએ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી પ્રયાસો કરી રહી હતી. 


144 ગુનામાં વોન્ટેડ છે આરોપી 


આરોપી પીદીયા રતના સંગાડિયા હિસ્ટ્રીશીટર છે, તેની સામે પોલીસ ચોપડે 144 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને પકડ્યા બાદ તેની સામે વધુ 9 જેટલા ગુનો હોવાનું સામે આવ્યું હતું. દાહોદ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી હતી. અંતે પોલીસને ગુપ્ત બાતમી મળતા  23 જેટલા પોલીસકર્મીઓએ તેને પકડવા માટે કમર કસી હતી. આરોપની કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેમણે જાનૈયાનો સ્વાંગ રચ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.