દાહોદ પોલીસે જાનૈયાનો સ્વાંગ રચી રીઢા આરોપીને દબોચ્યો, LCBની કાર્યવાહીએ જિલ્લામાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-05-30 14:59:57

પોલીસને પણ ઘણીવાર રીઢા ગુનેગારોને ઝડપી લેવા માટે વિવિધ પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. જેમ કે દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા 144 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ આ ગુનેગારને ઝડપી લેવા માટે જાનૈયા બનીને તેના છુપાવાના સ્થળે ત્રાટકી હતી. વોન્ટેડ આરોપી બુટલેગર પીદીયા રતના સંગાડિયાને પકડી પાડતા પોલીસ કાર્યવાહીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.


પોલીસ જાનૈયા બની


દાહોદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી  પીદીયા રતના સંગાડિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે પોલીસે જાનૈયા બનીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી 144 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. આરોપીને પકડવા માટે LCB પોલીસે ડીજે જીપ, બાઈક સહિતના ખાનગી વાહનો તૈયાર કર્યા હતા અને આ વાહનો પર વર તથા કન્યા પક્ષના સ્ટીકરો લગાવ્યા હતા. PSI સહિત 23 જેટલા પોલીસકર્મીઓ જાનૈયા બનીને ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની આ અનોખી કાર્યવાહીએ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી પ્રયાસો કરી રહી હતી. 


144 ગુનામાં વોન્ટેડ છે આરોપી 


આરોપી પીદીયા રતના સંગાડિયા હિસ્ટ્રીશીટર છે, તેની સામે પોલીસ ચોપડે 144 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને પકડ્યા બાદ તેની સામે વધુ 9 જેટલા ગુનો હોવાનું સામે આવ્યું હતું. દાહોદ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી હતી. અંતે પોલીસને ગુપ્ત બાતમી મળતા  23 જેટલા પોલીસકર્મીઓએ તેને પકડવા માટે કમર કસી હતી. આરોપની કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેમણે જાનૈયાનો સ્વાંગ રચ્યો હતો.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.