Dakor : હોળીના દિવસે રણછોડરાય મંદિરમાં ભક્તોનું ઘોડાપુર, રણછોડરાયની ઝાંખી લેવા ભક્તો બન્યા આતુર, જુઓ તસવીરો..


  • Published By :
  • Published Date : 2024-03-25 12:18:31

હોળીના દિવસે ડાકોરમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ભગવાનના દર્શન કરવા માટે અનેક ભક્તો પગપાળા જતા હોય છે. હોળીના દિવસો દરમિયાન ભગવાન રણછોડરાયના દર્શન કરવાનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એકાદશી પર્વથી ફાગણની પૂનમ સુધી ત્યાં મેળો ચાલતો હોય છે. હોળીના દિવસે કરવામાં આવતી આરતીનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. પહેલા રસ્તા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે હવે મંદિર પરિસરમાં આ નાદ ગુંજી રહ્યો છે. દૂરદૂરથી ભક્તો રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોર પહોંચી રહ્યા છે.


જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું  મંદિર પરિસર 

ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે હોળીની પૂનમે ડાકોર ભક્તોના ઘોડાપૂરથી ભરાઈ જતું હોય છે. અનેક ભક્તો ધજા લઈને ડાકોર પગપાળા જતા હોય છે. હોળીના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આરતીનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લેતા હોય છે. હોળીના દિવસે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ધૂળેટીના દિવસે પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શનનો લાભ લેશે.. 

રસ્તામાં શ્રદ્ધાળુઓને અગવડ ના પડે તે માટે કરવામાં આવી વ્યવસ્થા

મહત્વનું છે કે ડાકોર રણછોડરાયજીને મળવા માટે અનેક લોકો પગપાળા જતા હોય છે. દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. ચાલી રહેલા ભક્તોને અગવડ ના પડે તે માટે રસ્તામાં અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. રસ્તામાં ખાસ વ્યવસ્થા કરવામાં  આવતી હોય છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ એસટી બસની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હોળીના દિવસે જ્યારે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે ભક્તો ભગવાનની ઝાંખી કરવા માટે આતુર થઈ ગયા હતા. જમાવટ પરિવાર તરફથી આપ સૌને પણ ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ...  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.