Dakor VIP Darshan : ટેમ્પલ કમિટી, હિંદુ સંગઠનો વચ્ચેની થયેલી બેઠક નિષ્ફળ નિવડી, નિર્ણય યથાવત રહેશે


  • Published By :
  • Published Date : 2023-09-01 17:13:41

ખેડા ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મંદિર પ્રશાસન દ્વારા વીઆઈપી દર્શનની શરૂઆત કરવામાં આવી છે. વીઆઈપી દર્શન માટે 500 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારથી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય સામે આવ્યો છે ત્યારથી વિવાદો છેડાઈ ગયા છે. આ નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ મામલો શાંત કરવા માટે ગુરૂવારના રોજ મંદિરના ટ્રસ્ટીઓ, સેવકો તેમજ આંદોલનકારીના અગ્રણીઓની વચ્ચે બેઠક થઈ હતી. અંદાજીત ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ બેઠકમાં આ મુદ્દાને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ડાકોરમાં વીઆઈપી કલ્ચર યથાવત રહેશે.    


નિર્ણય પરત લેવામાં આવે તેવી ભક્તોની છે માગ 

થોડા સમય પહેલા ડાકોર મંદિર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના નજીકથી દર્શન કરવા માટે 250 રૂપિયા અને 500 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક હિંદુ સંગઠનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી આપી હતી. ભક્તોમાં પણ નિર્ણયને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધના સૂર વધતા ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. બેઠક બોલાવવામાં આવી હતી. 


બેઠક બાદ શું આવી પ્રતિક્રિયા?

વિરોધના સૂર વધારે વધતા મામલાને શાંત પાડવા માટે ગઈકાલે મંદિર ટ્રસ્ટના સેવક ટ્રસ્ટી, મેનેજર અને આંદોલનકારી આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કોઈ સમાધાન ન આવવાને કારણે હાલ જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે યથાવત રહેશે. જો તમારે ભગવાનના સન્મુખ રહી દર્શન કરવા હોય તો 500 રુપિયાનો ચાર્જ ચૂકવો પડશે. બેઠક બાદ મંદિરના મેનેજરે પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું હતું કે પૈસા વસૂલવાની કોઈ વાત નથી. વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી. વીઆઈપી દર્શન નામ જ ખોટું થે. સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.