Dakor VIP Darshan : ટેમ્પલ કમિટી, હિંદુ સંગઠનો વચ્ચેની થયેલી બેઠક નિષ્ફળ નિવડી, નિર્ણય યથાવત રહેશે


  • Published By :
  • Published Date : 2023-09-01 17:13:41

ખેડા ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મંદિર પ્રશાસન દ્વારા વીઆઈપી દર્શનની શરૂઆત કરવામાં આવી છે. વીઆઈપી દર્શન માટે 500 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારથી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય સામે આવ્યો છે ત્યારથી વિવાદો છેડાઈ ગયા છે. આ નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ મામલો શાંત કરવા માટે ગુરૂવારના રોજ મંદિરના ટ્રસ્ટીઓ, સેવકો તેમજ આંદોલનકારીના અગ્રણીઓની વચ્ચે બેઠક થઈ હતી. અંદાજીત ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ બેઠકમાં આ મુદ્દાને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ડાકોરમાં વીઆઈપી કલ્ચર યથાવત રહેશે.    


નિર્ણય પરત લેવામાં આવે તેવી ભક્તોની છે માગ 

થોડા સમય પહેલા ડાકોર મંદિર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના નજીકથી દર્શન કરવા માટે 250 રૂપિયા અને 500 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક હિંદુ સંગઠનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી આપી હતી. ભક્તોમાં પણ નિર્ણયને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધના સૂર વધતા ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. બેઠક બોલાવવામાં આવી હતી. 


બેઠક બાદ શું આવી પ્રતિક્રિયા?

વિરોધના સૂર વધારે વધતા મામલાને શાંત પાડવા માટે ગઈકાલે મંદિર ટ્રસ્ટના સેવક ટ્રસ્ટી, મેનેજર અને આંદોલનકારી આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કોઈ સમાધાન ન આવવાને કારણે હાલ જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે યથાવત રહેશે. જો તમારે ભગવાનના સન્મુખ રહી દર્શન કરવા હોય તો 500 રુપિયાનો ચાર્જ ચૂકવો પડશે. બેઠક બાદ મંદિરના મેનેજરે પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું હતું કે પૈસા વસૂલવાની કોઈ વાત નથી. વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી. વીઆઈપી દર્શન નામ જ ખોટું થે. સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી