Dakor VIP Darshan : ટેમ્પલ કમિટી, હિંદુ સંગઠનો વચ્ચેની થયેલી બેઠક નિષ્ફળ નિવડી, નિર્ણય યથાવત રહેશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-01 17:13:41

ખેડા ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. મંદિર પ્રશાસન દ્વારા વીઆઈપી દર્શનની શરૂઆત કરવામાં આવી છે. વીઆઈપી દર્શન માટે 500 રુપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારથી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય સામે આવ્યો છે ત્યારથી વિવાદો છેડાઈ ગયા છે. આ નિર્ણયને પરત ખેંચવામાં આવે તેવી માગ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી છે. આ મામલો શાંત કરવા માટે ગુરૂવારના રોજ મંદિરના ટ્રસ્ટીઓ, સેવકો તેમજ આંદોલનકારીના અગ્રણીઓની વચ્ચે બેઠક થઈ હતી. અંદાજીત ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ બેઠકમાં આ મુદ્દાને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો. જેને કારણે ડાકોરમાં વીઆઈપી કલ્ચર યથાવત રહેશે.    


નિર્ણય પરત લેવામાં આવે તેવી ભક્તોની છે માગ 

થોડા સમય પહેલા ડાકોર મંદિર સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય ભગવાનના નજીકથી દર્શન કરવા માટે 250 રૂપિયા અને 500 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ અનેક હિંદુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અનેક હિંદુ સંગઠનોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, જો આ નિર્ણય પરત નહીં લેવામાં આવે તો આંદોલનની ચીમકી આપી હતી. ભક્તોમાં પણ નિર્ણયને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધના સૂર વધતા ડાકોર મંદિર ટ્રસ્ટ હરકતમાં આવ્યું છે. બેઠક બોલાવવામાં આવી હતી. 


બેઠક બાદ શું આવી પ્રતિક્રિયા?

વિરોધના સૂર વધારે વધતા મામલાને શાંત પાડવા માટે ગઈકાલે મંદિર ટ્રસ્ટના સેવક ટ્રસ્ટી, મેનેજર અને આંદોલનકારી આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. કોઈ સમાધાન ન આવવાને કારણે હાલ જે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે તે યથાવત રહેશે. જો તમારે ભગવાનના સન્મુખ રહી દર્શન કરવા હોય તો 500 રુપિયાનો ચાર્જ ચૂકવો પડશે. બેઠક બાદ મંદિરના મેનેજરે પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું હતું કે પૈસા વસૂલવાની કોઈ વાત નથી. વીઆઈપી દર્શનની કોઈ વ્યવસ્થા નથી. વીઆઈપી દર્શન નામ જ ખોટું થે. સન્મુખ દર્શન માટે પૈસા લેવામાં આવે છે. 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે