શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પહોંચી Dandi Yatra 2.0, Mahisagarમાં ઉમેદવારોએ લગાવ્યા શિક્ષણ મંત્રી હાય હાયના નારા


  • Published By :
  • Published Date : 2023-10-18 15:57:42

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને પોતાની માગ રજૂ કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની વાત સાંભળી નથી રહી. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રા શિક્ષણમંત્રીના વિસ્તારમાં પહોંચી છે. મહીસાગર આવતા જ ઉમેદવારો આક્રામક દેખાયા હતા. "શિક્ષણ મંત્રી હાય હાય" ના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. તે ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "શિક્ષણ માટે ઘાતક છે, કુબેર ડિંડોર તેનું નામ છે." ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી"

કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આપણે કહીએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા.. પરંતુ બાળકો ત્યારે જ ભણશે જ્યારે શિક્ષકોની ભરતી, કાયમી ભરતી કરવામાં આવશે.. જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. દાંડીથી યાત્રા નીકળી હતી તે હમણાં શિક્ષણ મંત્રીના વિસ્તાર એટલે કે મહીસાગર પહોંચી છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એવા વિસ્તારો છે જ્યાંથી શિક્ષકો વધારે આવતા હોય છે. અનેક એવા ઘરો આ વિસ્તારમાં મળી રહેશે જ્યાં પરિવારનું કોઈ સદસ્ય ટીચર હોય. ગુજરાતના અનેક શિક્ષકો ત્યાંથી આવે છે. ત્યારે આંદોલનના માર્ગે ગયેલા ભાવિ શિક્ષકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. એકદમ આક્રામક ઉમેદવારો દેખાયા હતા.   

 


ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.