શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પહોંચી Dandi Yatra 2.0, Mahisagarમાં ઉમેદવારોએ લગાવ્યા શિક્ષણ મંત્રી હાય હાયના નારા


  • Published By :
  • Published Date : 2023-10-18 15:57:42

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને પોતાની માગ રજૂ કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની વાત સાંભળી નથી રહી. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રા શિક્ષણમંત્રીના વિસ્તારમાં પહોંચી છે. મહીસાગર આવતા જ ઉમેદવારો આક્રામક દેખાયા હતા. "શિક્ષણ મંત્રી હાય હાય" ના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. તે ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "શિક્ષણ માટે ઘાતક છે, કુબેર ડિંડોર તેનું નામ છે." ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી"

કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આપણે કહીએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા.. પરંતુ બાળકો ત્યારે જ ભણશે જ્યારે શિક્ષકોની ભરતી, કાયમી ભરતી કરવામાં આવશે.. જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. દાંડીથી યાત્રા નીકળી હતી તે હમણાં શિક્ષણ મંત્રીના વિસ્તાર એટલે કે મહીસાગર પહોંચી છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એવા વિસ્તારો છે જ્યાંથી શિક્ષકો વધારે આવતા હોય છે. અનેક એવા ઘરો આ વિસ્તારમાં મળી રહેશે જ્યાં પરિવારનું કોઈ સદસ્ય ટીચર હોય. ગુજરાતના અનેક શિક્ષકો ત્યાંથી આવે છે. ત્યારે આંદોલનના માર્ગે ગયેલા ભાવિ શિક્ષકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. એકદમ આક્રામક ઉમેદવારો દેખાયા હતા.   

 


ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.