શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પહોંચી Dandi Yatra 2.0, Mahisagarમાં ઉમેદવારોએ લગાવ્યા શિક્ષણ મંત્રી હાય હાયના નારા


  • Published By :
  • Published Date : 2023-10-18 15:57:42

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને પોતાની માગ રજૂ કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની વાત સાંભળી નથી રહી. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રા શિક્ષણમંત્રીના વિસ્તારમાં પહોંચી છે. મહીસાગર આવતા જ ઉમેદવારો આક્રામક દેખાયા હતા. "શિક્ષણ મંત્રી હાય હાય" ના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. તે ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "શિક્ષણ માટે ઘાતક છે, કુબેર ડિંડોર તેનું નામ છે." ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી"

કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આપણે કહીએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા.. પરંતુ બાળકો ત્યારે જ ભણશે જ્યારે શિક્ષકોની ભરતી, કાયમી ભરતી કરવામાં આવશે.. જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. દાંડીથી યાત્રા નીકળી હતી તે હમણાં શિક્ષણ મંત્રીના વિસ્તાર એટલે કે મહીસાગર પહોંચી છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એવા વિસ્તારો છે જ્યાંથી શિક્ષકો વધારે આવતા હોય છે. અનેક એવા ઘરો આ વિસ્તારમાં મળી રહેશે જ્યાં પરિવારનું કોઈ સદસ્ય ટીચર હોય. ગુજરાતના અનેક શિક્ષકો ત્યાંથી આવે છે. ત્યારે આંદોલનના માર્ગે ગયેલા ભાવિ શિક્ષકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. એકદમ આક્રામક ઉમેદવારો દેખાયા હતા.   

 


ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."