શિક્ષણ મંત્રીના વિસ્તારમાં પહોંચી Dandi Yatra 2.0, Mahisagarમાં ઉમેદવારોએ લગાવ્યા શિક્ષણ મંત્રી હાય હાયના નારા


  • Published By :
  • Published Date : 2023-10-18 15:57:42

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલનના માર્ગે છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અલગ અલગ રીતે સરકારને પોતાની માગ રજૂ કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની વાત સાંભળી નથી રહી. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે. દાંડી યાત્રા 2.0નું આયોજન કર્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રા શિક્ષણમંત્રીના વિસ્તારમાં પહોંચી છે. મહીસાગર આવતા જ ઉમેદવારો આક્રામક દેખાયા હતા. "શિક્ષણ મંત્રી હાય હાય" ના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. તે ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "શિક્ષણ માટે ઘાતક છે, કુબેર ડિંડોર તેનું નામ છે." ઉપરાંત એવા પણ નારા લગાવ્યા હતા કે "આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી"

કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. આપણે કહીએ છીએ કે પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા.. પરંતુ બાળકો ત્યારે જ ભણશે જ્યારે શિક્ષકોની ભરતી, કાયમી ભરતી કરવામાં આવશે.. જ્ઞાન સહાયકના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. દાંડીથી યાત્રા નીકળી હતી તે હમણાં શિક્ષણ મંત્રીના વિસ્તાર એટલે કે મહીસાગર પહોંચી છે. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી એવા વિસ્તારો છે જ્યાંથી શિક્ષકો વધારે આવતા હોય છે. અનેક એવા ઘરો આ વિસ્તારમાં મળી રહેશે જ્યાં પરિવારનું કોઈ સદસ્ય ટીચર હોય. ગુજરાતના અનેક શિક્ષકો ત્યાંથી આવે છે. ત્યારે આંદોલનના માર્ગે ગયેલા ભાવિ શિક્ષકોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. કુબેર ડિંડોર હાય હાયના નારા ઉમેદવારોએ લગાવ્યા હતા. એકદમ આક્રામક ઉમેદવારો દેખાયા હતા.   

 


અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.