Dandi Yatra2.0: પાંચમા દિવસે AAPની યુવા અધિકાર યાત્રા અહીંયા પહોંચી, Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-17 11:15:17

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નીકળેલી યાત્રાનો આજે પાંચમો દિવસ છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો સરકાર પાસે કરી રહ્યા છે. અલગ અલગ રીતે તેમણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દરેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો ધરણા કરવાના હતા પરંતુ પોલીસ દ્વારા તેમને હટાવી લેવામાં આવતા હતા. આંદોલન કરવા ન દેતા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે.

 

જ્ઞાનસહાયક યોજના નાબુદ થાય તે માટે આપે કરી યુવા અધિકાર યાત્રા

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમય હશે તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશે? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર પોતાની વાતને લઈ મક્કમ દેખાઈ રહી છે, પોતાના નિર્ણય પર અટલ દેખાઈ રહી છે. ઉમેદવારોની માગ ભલે સરકાર નથી સાંભળી રહી પરંતુ ઉમેદવારોને રાજકીય પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. શિક્ષણને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આમ આદમી પાર્ટીએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા અમદાવાદ આવશે. 

યાત્રા દરમિયાન ચૈતર વસાવા અને યુવરાજસિંહ આક્રામક દેખાયા 

દાંડીયાત્રા 2.0ને સારૂં સમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા સહિત અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. આ યાત્રા જ્યાં જ્યાં પણ પહોંચી રહી છે ત્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે દાંડીયાત્રા 2.0નો  પાંચમો દિવસ છે. ગઈકાલે ડેડિયાપાડા,નસવાડી થઈ યાત્રા આગળ વધી હતી. ત્યારે આજે યાત્રા દાહોદ , ગોધરા પહોંચવાની છે. આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહ આક્રામક દેખાયા છે. સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરવામાં આવી રહી છે. ત્યારે દાંડીએથી નીકળેલી યાત્રા પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે કે નહીં તે તો સમય બતાવશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.