Dandi Yatra2.0: પાંચમા દિવસે AAPની યુવા અધિકાર યાત્રા અહીંયા પહોંચી, Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-17 11:15:17

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નીકળેલી યાત્રાનો આજે પાંચમો દિવસ છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો સરકાર પાસે કરી રહ્યા છે. અલગ અલગ રીતે તેમણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દરેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો ધરણા કરવાના હતા પરંતુ પોલીસ દ્વારા તેમને હટાવી લેવામાં આવતા હતા. આંદોલન કરવા ન દેતા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે.

 

જ્ઞાનસહાયક યોજના નાબુદ થાય તે માટે આપે કરી યુવા અધિકાર યાત્રા

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમય હશે તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશે? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર પોતાની વાતને લઈ મક્કમ દેખાઈ રહી છે, પોતાના નિર્ણય પર અટલ દેખાઈ રહી છે. ઉમેદવારોની માગ ભલે સરકાર નથી સાંભળી રહી પરંતુ ઉમેદવારોને રાજકીય પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. શિક્ષણને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આમ આદમી પાર્ટીએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા અમદાવાદ આવશે. 

યાત્રા દરમિયાન ચૈતર વસાવા અને યુવરાજસિંહ આક્રામક દેખાયા 

દાંડીયાત્રા 2.0ને સારૂં સમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા સહિત અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. આ યાત્રા જ્યાં જ્યાં પણ પહોંચી રહી છે ત્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે દાંડીયાત્રા 2.0નો  પાંચમો દિવસ છે. ગઈકાલે ડેડિયાપાડા,નસવાડી થઈ યાત્રા આગળ વધી હતી. ત્યારે આજે યાત્રા દાહોદ , ગોધરા પહોંચવાની છે. આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહ આક્રામક દેખાયા છે. સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરવામાં આવી રહી છે. ત્યારે દાંડીએથી નીકળેલી યાત્રા પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે કે નહીં તે તો સમય બતાવશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી