Dandi Yatra2.0: પાંચમા દિવસે AAPની યુવા અધિકાર યાત્રા અહીંયા પહોંચી, Chaitar Vasava તેમજ Yuvrajsinh આક્રામક દેખાયા


  • Published By :
  • Published Date : 2023-10-17 11:15:17

જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં નીકળેલી યાત્રાનો આજે પાંચમો દિવસ છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરવાના મૂડમાં છે. કરાર આધારિત ભરતી નાબુદ થાય તે માટે ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો સરકાર પાસે કરી રહ્યા છે. અલગ અલગ રીતે તેમણે પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમના દરેક પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. ગાંધીનગર ખાતે ઉમેદવારો ધરણા કરવાના હતા પરંતુ પોલીસ દ્વારા તેમને હટાવી લેવામાં આવતા હતા. આંદોલન કરવા ન દેતા હતા. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી છે. દાંડી યાત્રા 2.0નો આજે પાંચમો દિવસ છે.

 

જ્ઞાનસહાયક યોજના નાબુદ થાય તે માટે આપે કરી યુવા અધિકાર યાત્રા

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ-ટાટ પાસ ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોનું જ ભવિષ્ય અંધકારમય હશે તો તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવી શકશે? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. સરકાર પોતાની વાતને લઈ મક્કમ દેખાઈ રહી છે, પોતાના નિર્ણય પર અટલ દેખાઈ રહી છે. ઉમેદવારોની માગ ભલે સરકાર નથી સાંભળી રહી પરંતુ ઉમેદવારોને રાજકીય પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. શિક્ષણને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે જ્ઞાન સહાયક નાબુદ થાય તે માટે આમ આદમી પાર્ટીએ ઉંઘી દાંડી યાત્રા શરૂ કરી છે. દાંડીથી નિકળેલી આ યાત્રા અમદાવાદ આવશે. 

યાત્રા દરમિયાન ચૈતર વસાવા અને યુવરાજસિંહ આક્રામક દેખાયા 

દાંડીયાત્રા 2.0ને સારૂં સમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં યુવરાજસિંહ, ચૈતર વસાવા, ગોપાલ ઈટાલિયા સહિત અનેક ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે. આ યાત્રા જ્યાં જ્યાં પણ પહોંચી રહી છે ત્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આજે દાંડીયાત્રા 2.0નો  પાંચમો દિવસ છે. ગઈકાલે ડેડિયાપાડા,નસવાડી થઈ યાત્રા આગળ વધી હતી. ત્યારે આજે યાત્રા દાહોદ , ગોધરા પહોંચવાની છે. આ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ યુવરાજસિંહ આક્રામક દેખાયા છે. સરકારને અનેક મુદ્દાઓ પર ઘેરવામાં આવી રહી છે. ત્યારે દાંડીએથી નીકળેલી યાત્રા પોતાના ઉદ્દેશ્યમાં સફળ થાય છે કે નહીં તે તો સમય બતાવશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.