ચક્રવાત મિચૌંગથી જોખમ વધ્યું, તમિલનાડુ-આધ્રપ્રદેશમાં ભારે વરસાદ, 54 ટ્રેન રદ્દ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-03 17:08:11

દેશના પૂર્વ ભાગ પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં આ તોફાની ચક્રવાત મિચૌંગ વાવાઝોડ઼ામાં પરિવર્તિત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું 5 ડિસેમ્બરના બપોર સુધી દક્ષિણ આંધ્ર્ પ્રદેશ અને તેની આસપાસ તથા પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. 5 ડિસેમ્બર સુધી નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશ તટને પાર કરશે. 


24 કલાકમાં ભયાનક અસર


વાવાઝાડાની મહત્તમ ગતિ 80-90 પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની હશે. હવામાન વિભાગની આગાહી છે કે મિચૌંગ ચક્રવાતના કારણે તમિલનાડુના ચેન્નઈ, કાંચીપુરમ, અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર ધોધમાર વરસાદની આગાહી છે. 


પૂર્વી તટની 54 ટ્રેન રદ્દ


ચક્રવાત મિચૌંગથી ઉભા થયેલા જોખમના કારણે પૂર્વીય  તટની 54 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પૂર્વીય ઝોનથી પસાર થનારી એક્સપ્રેસ, મેલ, સ્પેશિયલ ટ્રેન સહિતની ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તે જ પ્રકારે દક્ષિણ પૂર્વ રેલ્વેની હાવડા-ચેન્નઈ મેલ સહિત ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમણે કહ્યું રદ્ થનારી હાવડા-એસએમવીટી (બેંગલુરૂ) અને હટિયા-એસએમવીટી (બેંગલુરૂ) એક્સપ્રેસ સહિતનો સમાવેશ થાય છે.  




કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..

ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.