ચક્રવાત મિચૌંગથી જોખમ વધ્યું, તમિલનાડુ-આધ્રપ્રદેશમાં ભારે વરસાદ, 54 ટ્રેન રદ્દ


  • Published By :
  • Published Date : 2023-12-03 17:08:11

દેશના પૂર્વ ભાગ પર વધુ એક ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં આ તોફાની ચક્રવાત મિચૌંગ વાવાઝોડ઼ામાં પરિવર્તિત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાતી તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, વાવાઝોડું 5 ડિસેમ્બરના બપોર સુધી દક્ષિણ આંધ્ર્ પ્રદેશ અને તેની આસપાસ તથા પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે. 5 ડિસેમ્બર સુધી નેલ્લોર અને મછલીપટ્ટમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશ તટને પાર કરશે. 


24 કલાકમાં ભયાનક અસર


વાવાઝાડાની મહત્તમ ગતિ 80-90 પ્રતિ કલાકથી 100 કિમી પ્રતિ કલાકની હશે. હવામાન વિભાગની આગાહી છે કે મિચૌંગ ચક્રવાતના કારણે તમિલનાડુના ચેન્નઈ, કાંચીપુરમ, અને ચેંગલપટ્ટૂ જિલ્લામાં અલગ-અલગ સ્થાનો પર ધોધમાર વરસાદની આગાહી છે. 


પૂર્વી તટની 54 ટ્રેન રદ્દ


ચક્રવાત મિચૌંગથી ઉભા થયેલા જોખમના કારણે પૂર્વીય  તટની 54 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. પૂર્વીય ઝોનથી પસાર થનારી એક્સપ્રેસ, મેલ, સ્પેશિયલ ટ્રેન સહિતની ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તે જ પ્રકારે દક્ષિણ પૂર્વ રેલ્વેની હાવડા-ચેન્નઈ મેલ સહિત ત્રણ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. તેમણે કહ્યું રદ્ થનારી હાવડા-એસએમવીટી (બેંગલુરૂ) અને હટિયા-એસએમવીટી (બેંગલુરૂ) એક્સપ્રેસ સહિતનો સમાવેશ થાય છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.