વાહન પર કરાતા જોખમી સ્ટંટ પડી શકે છે ભારે! મોંઘી બાઈક સાથે સ્ટંટ કરતા યુવક વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી!


  • Published By :
  • Published Date : 2023-06-22 11:37:37

સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા અને ફેમસ થવા લોકો જાત જાતના સ્ટંટ કરતા દેખાય છે. રિલ બનાવો આજની જનરેશનનો શોખ છે. પરંતુ ઘણી વખત આ સ્ટંટ પોતાના માટે તો જોખમી બની જાય છે પરંતુ બીજા માટે પણ જોખમી સાબિત થાય છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક સોશિયલ મીડિયા સ્ટાર પકડાયો છે. આ ભાઈ 20 લાખ રૂપિયાની બાઈક ખુલા હાથે ચલાવી વીડિયો મૂકતા હતા. પોલીસને ધ્યાને આ ઘટના આવી તો ગાડી પણ ઉઠાવી લીધી છે. 



ખુલ્લા હાથે યુવકે ચલાવી બાઈક! 

સાબરકાંઠાના હિંમતનગરના સોશિયલ મીડિયા સ્ટાર પ્રકાશ ખત્રી સામે મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત 20 લાખની મોટર સાયકલ હાથ છોડીને ચલાવવા બદલ પોલીસ ફરિયાદ થઈ છે. અમદાવાદના વકીલ ભાવિન વ્યાસે સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડાને ફરિયાદ કરી હતી. સાબરકાંઠા પોલીસે આ ઘટના પર ગંભીરતાથી કામ કરતા પ્રકાશ ખત્રીની હાયાબુઝા મોટર સાયકલ પણ ડિટેઈન કરી છે. વકીલનો પક્ષ હતો કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર આ પ્રકારનું કરતા રહે તો તેનાથી તેમના ફોલોઅર્સમાં ખોટો મેસેજ જાય છે કારણ કે ફોલોઅર્સ પણ તેમને અનુસરે છે અને ન કરે નારાયણ પણ આવી રીતે જુવાનીના સ્ટંટ કરતા કંઈ પણ થઈ શકે છે. 


વકીલે જોખમી સ્ટંટ કરતા યુવક સામે નોંધાવી ફરિયાદ!

અમદાવાદના વકીલ ભાવિન વ્યાસે ટ્વીટ લખીને ફરિયાદ કરી હતી કે પ્રકાશ ખત્રી સામે ફરિયાદ થવી જોઈએ. મને આ કેસમાં કડક કાર્યવાહી જોઈએ છે. ત્યાર બાદ હાથ છોડીને ગાડી ચલાવતા હોય તેવા સોશિયલ મીડિયા સ્ટારનો ફોટો મૂકવામાં આવ્યો હતો. 


આ લોકો સાથે મળી આવ્યા બાઈકના માલિકના ફોટો!

ગાડીની વાત કરીએ તો તે સુઝુકી કંપનીની હાયાબુઝા ગાડી છે. GJ 09 DD 0005 નંબરની ગાડી 25 એપ્રીલ 2023માં રજિસ્ટર કરવામાં આવી હતી. આ ગાડીના માલિક પણ પ્રકાશ રાજુભાઈ ખત્રી જ છે. 17થી 20 લાખની આ મોટર સાયકલ છે. આ સોશિયલ મીડિયા સ્ટારની ફેસબુક પ્રોફાઈલ પર જોઈએ તો માત્ર ગાડીઓના ફોટો જ જોવા મળે છે જો કે વચ્ચે એક ફોટો એવો પણ આવે છે જેમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખની બાજુમાં આવીને તેણે ફોટો પડાવ્યો હોય. ગમણ સાંથલ, હિંદુસ્થાની ભાઉ સાથે પણ પ્રકાશ ખત્રીના ફોટો જોવા મળે છે. 


સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા કંઈ પણ કરે છે લોકો!

આ બધુ દેખાડીને અમારો મતલબ એ દેખાડવાનો નથી કે તે બહુ મોટા સોશિયલ મીડિયા સ્ટાર છે. અમે માત્ર એવું કહી રહ્યા છીએ કે તમે સામન્ય માણસમાંથી જેવા સ્ટાર બનો છો તો તે સ્ટારડમ તમારા ખભા માથે બોજ બનીને બેસી જતું હોય છે. પછી તમે ગમે તે વસ્તુ એમને એમ નથી કરી શકતા કારણ કે હજારો લોકો તમને માનતા હોય છે તમને અનુસરતા હોય છે. જો તમેં કંઈ આડા અવડું કરો તો તમારા ફેન પણ આવું કરવા લાગે છે. જો કે જવાનીના જોશમાં ગાડીના સ્પીડોમીટરનો કાંટો વધવો ન જોઈએ. ઉંમર મુજબ અને જવાબદારી મુજબ એ કાંટો અમુક આંકડાઓ સુધી રોકાયેલો રહેવો જોઈએ. આવા સ્ટંટ કરવા પહેલા આ વીડિયો જોઈ લેવો જેથી ખબર રહે કે સ્ટંટ કરવાનો અંજામ શું આવી શકે છે. જેલ ભેગા પણ થવું પડી શકે છે અને 20 લાખની ગાડી ડિટેઈન થાય એ ધુંબો અલગથી. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.