દાંતાના કોંગ્રેસના MLA કાંતિ ખરાડીએ કાર્યકર્તાઓને આપ્યો ભરોસો, 'કાંતિભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે પણ નહીં'


  • Published By :
  • Published Date : 2024-01-18 11:54:32

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કોંગ્રેસમાં જ રહેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા રર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકતા કાંતિ ખરાડીએ જાહેરાત કરી છે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે પણ નહીં. કાંતિ ખરાડીએ દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો આપણી વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી, ભાજપના નવરા લોકો મને બદનામ કરે છે'


શું કહ્યું કાંતિ ખરાડીએ?


દાંતા સીટના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ તેમના માટે થઈ રહેલી અફવાઓને રદીયો આપતા રહ્યું કે "હાલના સમયમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. જો  કે તેમણે આ તમામ વાતો પાયાવિહોણી ગણાવી છે. દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા. ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી.ધારાસભ્ય ખરાડીએ ભારપૂર્વક કહ્યું કે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે પણ નહીં, ભવિષ્યમાં પણ વેચાશે નહીં. મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડટ આપ્યો છે. હું હેટ્રીક મારીને આવ્યો છું. હું નહિ મારો વિસ્તાર આવ્યો છે. મારો વિસ્તાર જીત્યો છે. કાંતિ ભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે નહીં."


રામ મંદિર અંગે પણ કહી આ વાત


કાંતિ ખરાડીએ રામ મંદિર અંગે પણ કહ્યું કે "રામ મંદિર તો બધાનું છે, ખાલી ભાજપનું નથી, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા  ભાજપ વાળા જ ઉપાડીને ફરી રહ્યાં છે. ધાર્મિક આસ્થાની વાત છે. અમે રામને આજીવન માનતા આવ્યા છીએ અને આગળ પણ માનવાના છીએ, પણ અત્યારે જે ચાલી રહ્યુ છે તે ભાજપનું પેતરૂ છે અને ભાજપનું રાજકારણ છે. ધર્મ એ ધર્મ છેસ તેમાં રાજનીતિ ના હોવી જોઇએ. અમે રામ મંદિરના દર્શન કરવા જઈશું પણ એ મંદીર ભાજપ વાળાનું નથી, અમારુ પણ છે. અમે આજે નહિ તો કાલે જશું ખરા, રામ એમના કરતા અમારા હૈયામાં વધારે વસેલાં છે. જે લોકોમાં નહોતા વસતા તે અત્યારે ફતવા કરી રહ્યાં છે. અધુરા મંદીર વિષે પણ બોલી રહ્યા છે." ઉલ્લેખનિય છે કે કાંતિ ખરાડી પર કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોનું પણ દબાણ હતું તેથી તેમણે દાંતા સર્કિટ હાઉસમાં બેઠક યોજીને સ્પષ્ટતા કરી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.