દાંતાના કોંગ્રેસના MLA કાંતિ ખરાડીએ કાર્યકર્તાઓને આપ્યો ભરોસો, 'કાંતિભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે પણ નહીં'


  • Published By :
  • Published Date : 2024-01-18 11:54:32

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ કોંગ્રેસમાં જ રહેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલા રર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકતા કાંતિ ખરાડીએ જાહેરાત કરી છે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે પણ નહીં. કાંતિ ખરાડીએ દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરી હતી. તેમણે કહ્યું કે ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો આપણી વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી, ભાજપના નવરા લોકો મને બદનામ કરે છે'


શું કહ્યું કાંતિ ખરાડીએ?


દાંતા સીટના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ તેમના માટે થઈ રહેલી અફવાઓને રદીયો આપતા રહ્યું કે "હાલના સમયમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે. જો  કે તેમણે આ તમામ વાતો પાયાવિહોણી ગણાવી છે. દાંતા ખાતે સર્કીટ હાઉસમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મીટીંગમાં દાંતા વિસ્તારનાં ધારાસભ્ય કાંતી ખરાડી હાજર રહ્યા હતા. ભાજપ અને ભાજપના જે હોદ્દેદારો વસ્તીને અને અમારા વિસ્તારને ભરમાવવા માટે નવરા ધુપ થઈને ફરી રહ્યાં છે, એમને બીજું કંઈ આવડતું નથી.ધારાસભ્ય ખરાડીએ ભારપૂર્વક કહ્યું કે, આદિવાસી ખૂન ક્યારે વેચાતું નથી અને વેચાશે પણ નહીં, ભવિષ્યમાં પણ વેચાશે નહીં. મને આ વિસ્તારની જનતાએ ત્રીજી વખત મેન્ડટ આપ્યો છે. હું હેટ્રીક મારીને આવ્યો છું. હું નહિ મારો વિસ્તાર આવ્યો છે. મારો વિસ્તાર જીત્યો છે. કાંતિ ભાઇ ક્યારેય વેચાયા નથી અને વેચાશે નહીં."


રામ મંદિર અંગે પણ કહી આ વાત


કાંતિ ખરાડીએ રામ મંદિર અંગે પણ કહ્યું કે "રામ મંદિર તો બધાનું છે, ખાલી ભાજપનું નથી, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે એકલા  ભાજપ વાળા જ ઉપાડીને ફરી રહ્યાં છે. ધાર્મિક આસ્થાની વાત છે. અમે રામને આજીવન માનતા આવ્યા છીએ અને આગળ પણ માનવાના છીએ, પણ અત્યારે જે ચાલી રહ્યુ છે તે ભાજપનું પેતરૂ છે અને ભાજપનું રાજકારણ છે. ધર્મ એ ધર્મ છેસ તેમાં રાજનીતિ ના હોવી જોઇએ. અમે રામ મંદિરના દર્શન કરવા જઈશું પણ એ મંદીર ભાજપ વાળાનું નથી, અમારુ પણ છે. અમે આજે નહિ તો કાલે જશું ખરા, રામ એમના કરતા અમારા હૈયામાં વધારે વસેલાં છે. જે લોકોમાં નહોતા વસતા તે અત્યારે ફતવા કરી રહ્યાં છે. અધુરા મંદીર વિષે પણ બોલી રહ્યા છે." ઉલ્લેખનિય છે કે કાંતિ ખરાડી પર કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોનું પણ દબાણ હતું તેથી તેમણે દાંતા સર્કિટ હાઉસમાં બેઠક યોજીને સ્પષ્ટતા કરી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.