સાળંગપુર વિવાદમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીએ બળતામાં ઘી હોમ્યું, આપ્યું આ ઉશ્કેરણીજનક નિવેદન


  • Published By :
  • Published Date : 2023-09-04 15:41:56

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં તૈયાર કરવામાં આવેલા શિલ્પ ચિત્રોને લઈને ઉભો થયેલો વિવાદ દિન પ્રતિ દિન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના અનેક ધાર્મિક સંગઠનો, ધર્મગુરુઓ અને સંતો દ્વારા આ ભીંતચિત્રોમાં હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે વડોદરામાં હરીભક્તોની સભામાં દર્શન સ્વામીના તા. 3-9-2023ના રોજના એક વીડિયોએ ઘી હોમવાનું કામ કર્યું છે. દર્શન સ્વામીનો આ વીડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું કહ્યું છે દર્શન સ્વામીએ? 


વડોદરામાં ગરુકુલ ખાતે દર્શન સ્વામી હરીભક્તોને સંબોધતા દર્શન સ્વામી જણાવી રહ્યા છે કે, "તમને કોઇની બીક તો નથી ને સાહેબ ગગનના તારા જેટલા શત્રુ હોય કે કદાચ બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ  સર્વ અવતારી ભગવાન સ્વામીનારાયણની સામે આવી જાય તો પણ સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે છે અને છે જ આમાં કોઈને રંજ માત્ર સંદેહ ન હોવો જોઈએ  અને કોઈ પણ  પાજીપાલવના વચનોમાં ક્યારેય કોઈએ દબાવવું પણ ન જોઇએ, સાહેબ આપણા ઉદરનો રોટલો આપણા સ્વામિનારાયણ ભગવાન ભરે છે આપણને અક્ષરધામમાં લઈ જનારો આપણો ભગવાન છે આપણાં ભગવાનને કોઈ એમ કહે એ મોચી છે  તો આ તો કદી શાખી લેવાનું નહીં, મિત્રો કોઈથી દબાવાનું નહીં આ તો લોકશાહી છે દુનિયામાં જે લોકો પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક ચાંદલા અને ચોટલી રાખીએ છીએ તમારા કરતાં પહેલા અમે સનાતની છીએ એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા ના કરો ચાર ચાર રાતથી ઊંઘ નથી આવતી "


જ્યોતિર્નાથ બાબાએ આપ્યો આ જવાબ


દર્શન સ્વામીનો વાઈરલ વીડિયો અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથ બાબાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્શન સ્વામીનો બકવાસ અમારી નજરમાં આવ્યો છે. સનાતન ધર્મની તાકાતને દર્શન સ્વામી જાણતા નથી. 140 કરોડ જનતા એવું જાણે છે કે, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે. ખાલી સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે. જ્યારે રોડ ઉપર ઊતરવાની વાત આવશે ત્યારે અમે રોડ ઉપર પણ ઊતરીશું. વધુમાં ડો. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, દર્શન સ્વામી જે રીતે વાત કરે છે તે રીતે અમને પણ લડતા આવડે છે. સમાજની અંદર જે પ્રણાલી ઊભી થઈ છે. તે ખોટી પ્રણાલી મન મરજી પ્રમાણે લોકો પર થોપી દેવાની વાત છે તે અમે સહન કરવા તૈયાર નથી. આવતીકાલની મિટિંગમાં જે નક્કી થશે તે પ્રમાણે અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ અને અમારી યુવા સેનાઓ પણ તૈયાર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.