સાળંગપુર વિવાદમાં વડોદરા ગુરુકુળના દર્શન સ્વામીએ બળતામાં ઘી હોમ્યું, આપ્યું આ ઉશ્કેરણીજનક નિવેદન


  • Published By :
  • Published Date : 2023-09-04 15:41:56

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરિસરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના બેઝમાં તૈયાર કરવામાં આવેલા શિલ્પ ચિત્રોને લઈને ઉભો થયેલો વિવાદ દિન પ્રતિ દિન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. રાજ્યના અનેક ધાર્મિક સંગઠનો, ધર્મગુરુઓ અને સંતો દ્વારા આ ભીંતચિત્રોમાં હનુમાનજીનું અપમાન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે આ મામલે વડોદરામાં હરીભક્તોની સભામાં દર્શન સ્વામીના તા. 3-9-2023ના રોજના એક વીડિયોએ ઘી હોમવાનું કામ કર્યું છે. દર્શન સ્વામીનો આ વીડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શું કહ્યું છે દર્શન સ્વામીએ? 


વડોદરામાં ગરુકુલ ખાતે દર્શન સ્વામી હરીભક્તોને સંબોધતા દર્શન સ્વામી જણાવી રહ્યા છે કે, "તમને કોઇની બીક તો નથી ને સાહેબ ગગનના તારા જેટલા શત્રુ હોય કે કદાચ બની જાય અને સમૂહ ભેગો થઈ જાય અને કદાચ  સર્વ અવતારી ભગવાન સ્વામીનારાયણની સામે આવી જાય તો પણ સાહેબ મારો ઇષ્ટદેવ સર્વોપરી છે છે અને છે જ આમાં કોઈને રંજ માત્ર સંદેહ ન હોવો જોઈએ  અને કોઈ પણ  પાજીપાલવના વચનોમાં ક્યારેય કોઈએ દબાવવું પણ ન જોઇએ, સાહેબ આપણા ઉદરનો રોટલો આપણા સ્વામિનારાયણ ભગવાન ભરે છે આપણને અક્ષરધામમાં લઈ જનારો આપણો ભગવાન છે આપણાં ભગવાનને કોઈ એમ કહે એ મોચી છે  તો આ તો કદી શાખી લેવાનું નહીં, મિત્રો કોઈથી દબાવાનું નહીં આ તો લોકશાહી છે દુનિયામાં જે લોકો પોતાને ચલમ પીને સનાતની કહેતા હોય તો અમે તો છાતી કાઢીને તિલક ચાંદલા અને ચોટલી રાખીએ છીએ તમારા કરતાં પહેલા અમે સનાતની છીએ એટલે મહેરબાની કરીને સ્વામિનારાયણવાળાને છંછેડવાના ધંધા ના કરો ચાર ચાર રાતથી ઊંઘ નથી આવતી "


જ્યોતિર્નાથ બાબાએ આપ્યો આ જવાબ


દર્શન સ્વામીનો વાઈરલ વીડિયો અંગે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. જ્યોતિર્નાથ બાબાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર્શન સ્વામીનો બકવાસ અમારી નજરમાં આવ્યો છે. સનાતન ધર્મની તાકાતને દર્શન સ્વામી જાણતા નથી. 140 કરોડ જનતા એવું જાણે છે કે, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ કોણ છે. ખાલી સવા કરોડ લોકો સ્વામિનારાયણને જાણતા હશે. જ્યારે રોડ ઉપર ઊતરવાની વાત આવશે ત્યારે અમે રોડ ઉપર પણ ઊતરીશું. વધુમાં ડો. જ્યોતિર્નાથ બાબાએ જણાવ્યું હતું કે, દર્શન સ્વામી જે રીતે વાત કરે છે તે રીતે અમને પણ લડતા આવડે છે. સમાજની અંદર જે પ્રણાલી ઊભી થઈ છે. તે ખોટી પ્રણાલી મન મરજી પ્રમાણે લોકો પર થોપી દેવાની વાત છે તે અમે સહન કરવા તૈયાર નથી. આવતીકાલની મિટિંગમાં જે નક્કી થશે તે પ્રમાણે અમે દરેક મુદ્દે લડી લેવા તૈયાર છીએ અને અમારી યુવા સેનાઓ પણ તૈયાર છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી