માગશર સુદ પૂનમે ઉજવાય છે દત્તાત્રેય જયંતી, તેમની પૂજા કરવાથી મળે છે ત્રિદેવોના આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2023-12-26 09:07:05

માગશર મહિનાની પૂર્ણિમાએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનને બ્રહ્મા, વિષ્ણુ તેમજ ભગવાન શંકરના અવતાર માનવામાં આવે છે. ઋષિ અત્રિ અને અનુસૂયાને ત્યાં ત્રિદેવ સંતાન સ્વપરૂપે પ્રગટ થયા હતા. દત્તાત્રેય ભગવાનને ભગવાનના નારાયણના અવતારોમાંનો એક અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવજીની શક્તિઓ સમાયેલી હોવાથીએવું માનવામાં આવે છે કે દત્તાત્રેય ભગવાનના નામ સ્મરણ માત્રથી કષ્ટો દૂર થઈ જાય છે ઉપરાંત તમામ મનોકામના પૂર્ણ થાય છે.  

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

શું છે પૌરાણીક કથા? 

પૌરાણિક માન્યતા અને દંતકથાઓ અનુસાર અત્રિમુનીના પત્ની અનુસુયાના સતિવ્રતાની ચર્ચા ત્રણેય લોકમાં થઈ રહી હતી. પોતાના પતિ વ્રત ધર્મ અંગે પાર્વતીજી, લક્ષ્મીજી તેમજ સરસ્વતીજીને ખૂબ અભિમાન હતું. પરંતુ દેવતાઓ દ્વારા અનુસુયાના વખાણ સાંભળી દેવીઓમાં ઈર્ષા આવી. ખૂબ ચર્ચાઓ થતા ત્રિ-દેવીયોએ ત્રિ-દેવોને તેમની પરીક્ષા લેવા કહ્યું. 

શ્રી દત્ત જયંતી કથા - આજના દિવસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપનો જન્મ  થયો હતો

માતા અનુસુયાએ ત્રિદેવોને બાળકો બનાવી દીધા!

અત્રી ઋષિની ગેરહાજરીમાં ત્રણેય દેવતાઓ તેમના આશ્રમમાં આવ્યા. માતા અનુસુયા સમક્ષ ભોજનની માગ કરી પરંતુ એક શરત સાથે.શરત એવી હતી કે માતા અનુસુયાએ નિર્વસ્ત્ર થઈ ભોજન પીરસવું પડશે. આ સાંભળ્યા બાદ માતા અનુસુયાએ યાત્રીકો બનીને આવેલા દેવતાઓ પર પાણી છાંટી દીધું. પોતાના પતિવ્રતાના બળને કારણે તેમણે છાંટેલા પાણીથી ત્રણેય દેવતાઓ બાળક બની ગયા. અને માતા અનુસુયાએ ત્રણેયને દૂધ પીવડાવ્યું. અને અનેક વર્ષો સુધી ત્રણેય દેવતાઓની માતા બની માતા અનુસુયા તેમનો ઉછેર કરવા લાગ્યા. 

load-dattatreya-spiritual-indian-indian-mythology-real-story

દત્તાત્રેય ભગવાનને 3 મસ્તક છે અને 6 ભૂજાઓ છે 

જ્યારે ત્રણેય દેવીઓને પોતાની ભૂલ સમજાઈ તે બાદ ત્રિ-દેવી માતા અનુસુયા પાસે ગયા અને માફી માગી.  પોતાના પતિને સાથે લઈ જવાની વાત કરી. માતા અનસુયાએ કહ્યું કે આ ત્રણેયે મારૂ દૂધ પીધું છે એટલે એમને બાળક બની મારી પાસે રહેવું પડશે. આ વાત સાંભળીને ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિથી પોતાના અંશોને ભેગા કરી એક નવો અંશ ઉત્પન્ન કર્યો. જેમને આપણે દત્તાત્રેય ભગવાન તરીકે ઓળખીયે છીએ. દત્તાત્રેય ભગવાનને ત્રણ મસ્તક છે અને 6 ભૂજાઓ છે.   

According to Shaktism, are Parvati, Durga, Saraswati and Lakshimi or just  incarnations of the same goddess? - Quora

પોતાના જીવનકાળ દરમિયાન દત્તાત્રેય ભગવાને બનાવ્યા 24 ગુરૂ

ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનકાળ દરમિયાન 24 ગુરૂઓ બનાવ્યા હતા. તેઓ દરેકમાંથી કંઈકને કંઈક શીખતા રહ્યા. તેમના ગુરૂની વાત કરીએ તો પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કરોળીયું, પતંગિયું, સમુદ્ર, મધમાખી, બાણ કરનારો વ્યાઘ્ર, મધુહારક, ગજ, મૃગ, ભ્રમરી, માછલી, અજગર, બાળક, કુમારી કંકણ, સર્પ, ગણિકા, કપોત,ચાર શ્વાન એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે દરેકમાં સારો ગુણ હોય જ છે આપણને ઓળખતા અને પોતાનામાં અપનાવતા આવડવો જોઈએ. દરેકમાંથી કંઈને કંઈ શિખવું જોઈએ તેવું દત્તાત્રેય ભગવાન આપણને સમજાવે છે. જમાવટ તરફથી તમામ દર્શકોને દત્તાત્રેય જયંતીની હાર્દિક શુભકામના.  


નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.... 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.