માગશર સુદ પૂનમે ઉજવાય છે દત્તાત્રેય જયંતી, તેમની પૂજા કરવાથી મળે છે ત્રિદેવોના આશીર્વાદ


  • Published By :
  • Published Date : 2023-12-26 09:07:05

માગશર મહિનાની પૂર્ણિમાએ દત્તાત્રેય જયંતી ઉજવવામાં આવે છે. દત્તાત્રેય ભગવાનને બ્રહ્મા, વિષ્ણુ તેમજ ભગવાન શંકરના અવતાર માનવામાં આવે છે. ઋષિ અત્રિ અને અનુસૂયાને ત્યાં ત્રિદેવ સંતાન સ્વપરૂપે પ્રગટ થયા હતા. દત્તાત્રેય ભગવાનને ભગવાનના નારાયણના અવતારોમાંનો એક અવતાર માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવજીની શક્તિઓ સમાયેલી હોવાથીએવું માનવામાં આવે છે કે દત્તાત્રેય ભગવાનના નામ સ્મરણ માત્રથી કષ્ટો દૂર થઈ જાય છે ઉપરાંત તમામ મનોકામના પૂર્ણ થાય છે.  

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

શું છે પૌરાણીક કથા? 

પૌરાણિક માન્યતા અને દંતકથાઓ અનુસાર અત્રિમુનીના પત્ની અનુસુયાના સતિવ્રતાની ચર્ચા ત્રણેય લોકમાં થઈ રહી હતી. પોતાના પતિ વ્રત ધર્મ અંગે પાર્વતીજી, લક્ષ્મીજી તેમજ સરસ્વતીજીને ખૂબ અભિમાન હતું. પરંતુ દેવતાઓ દ્વારા અનુસુયાના વખાણ સાંભળી દેવીઓમાં ઈર્ષા આવી. ખૂબ ચર્ચાઓ થતા ત્રિ-દેવીયોએ ત્રિ-દેવોને તેમની પરીક્ષા લેવા કહ્યું. 

શ્રી દત્ત જયંતી કથા - આજના દિવસે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એકરૂપનો જન્મ  થયો હતો

માતા અનુસુયાએ ત્રિદેવોને બાળકો બનાવી દીધા!

અત્રી ઋષિની ગેરહાજરીમાં ત્રણેય દેવતાઓ તેમના આશ્રમમાં આવ્યા. માતા અનુસુયા સમક્ષ ભોજનની માગ કરી પરંતુ એક શરત સાથે.શરત એવી હતી કે માતા અનુસુયાએ નિર્વસ્ત્ર થઈ ભોજન પીરસવું પડશે. આ સાંભળ્યા બાદ માતા અનુસુયાએ યાત્રીકો બનીને આવેલા દેવતાઓ પર પાણી છાંટી દીધું. પોતાના પતિવ્રતાના બળને કારણે તેમણે છાંટેલા પાણીથી ત્રણેય દેવતાઓ બાળક બની ગયા. અને માતા અનુસુયાએ ત્રણેયને દૂધ પીવડાવ્યું. અને અનેક વર્ષો સુધી ત્રણેય દેવતાઓની માતા બની માતા અનુસુયા તેમનો ઉછેર કરવા લાગ્યા. 

load-dattatreya-spiritual-indian-indian-mythology-real-story

દત્તાત્રેય ભગવાનને 3 મસ્તક છે અને 6 ભૂજાઓ છે 

જ્યારે ત્રણેય દેવીઓને પોતાની ભૂલ સમજાઈ તે બાદ ત્રિ-દેવી માતા અનુસુયા પાસે ગયા અને માફી માગી.  પોતાના પતિને સાથે લઈ જવાની વાત કરી. માતા અનસુયાએ કહ્યું કે આ ત્રણેયે મારૂ દૂધ પીધું છે એટલે એમને બાળક બની મારી પાસે રહેવું પડશે. આ વાત સાંભળીને ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિથી પોતાના અંશોને ભેગા કરી એક નવો અંશ ઉત્પન્ન કર્યો. જેમને આપણે દત્તાત્રેય ભગવાન તરીકે ઓળખીયે છીએ. દત્તાત્રેય ભગવાનને ત્રણ મસ્તક છે અને 6 ભૂજાઓ છે.   

According to Shaktism, are Parvati, Durga, Saraswati and Lakshimi or just  incarnations of the same goddess? - Quora

પોતાના જીવનકાળ દરમિયાન દત્તાત્રેય ભગવાને બનાવ્યા 24 ગુરૂ

ભગવાન દત્તાત્રેયે પોતાના જીવનકાળ દરમિયાન 24 ગુરૂઓ બનાવ્યા હતા. તેઓ દરેકમાંથી કંઈકને કંઈક શીખતા રહ્યા. તેમના ગુરૂની વાત કરીએ તો પૃથ્વી, પાણી, આકાશ, વાયુ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, કરોળીયું, પતંગિયું, સમુદ્ર, મધમાખી, બાણ કરનારો વ્યાઘ્ર, મધુહારક, ગજ, મૃગ, ભ્રમરી, માછલી, અજગર, બાળક, કુમારી કંકણ, સર્પ, ગણિકા, કપોત,ચાર શ્વાન એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે દરેકમાં સારો ગુણ હોય જ છે આપણને ઓળખતા અને પોતાનામાં અપનાવતા આવડવો જોઈએ. દરેકમાંથી કંઈને કંઈ શિખવું જોઈએ તેવું દત્તાત્રેય ભગવાન આપણને સમજાવે છે. જમાવટ તરફથી તમામ દર્શકોને દત્તાત્રેય જયંતીની હાર્દિક શુભકામના.  


નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.