Gujaratમાં દીકરીઓ નથી સુરક્ષિત! Chhota Udepurમાં ચાલુ જીપમાં થઈ વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી માર્યો કુદકો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-03 13:48:01

એક સમય હતો જ્યારે મહિલાઓ માટે ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એ સમયે પણ કદાચ મહિલાઓ સાથે ગરેવર્તન થતું હશે, જબરદસ્તી હતી હશે પરંતુ હમણાં જે પ્રમાણેના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ઓછા હશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ઘરમાંથી બહાર નીકળતા દીકરીઓ ડરતી હશે. બહાર તો ઠીક પરંતુ પોતાના સગાઓથી બાળકીઓ કદાચ ડરતી હશે.આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શાળામાં ભણતી બાળકીઓ સુરક્ષિત નથી તેનું ઉદાહરણ સામે આવ્યું છે છોટાઉદેપુરથી. સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર છેડતીના ડરથી વિદ્યાર્થિનીઓ ચાલુ પિકઅપવાનમાંથી બહાર કૂદી ગઇ હતી.    

An incident of molestation of female students in Chhota Udepur છોટાઉદેપુર: ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી કૂદતા ઈજાગ્રસ્ત

પોતાની ઈજ્જત બચાવા માટે ચાલુ ગાડીમાંથી દીકરીઓ કૂદી પડી

વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાઓ માટે ગુજરાત કેટલું સુરક્ષિત છે તે સવાલ થાય. મહિલાઓની, શાળામાં ભણતી દીકરીઓ તેમજ નાની માસુમ બાળકીઓ વિકૃત માણસના હવસનો શિકાર બની રહી છે. રસ્તા પર દીકરીઓની છેડતી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે દીકરીએ પિકવનવાનમાંથી બહાર કૂદકો માર્યો છે પોતાની ઈજ્જત બચાવવા! છેડતીના ડરથી નસવાડી બોડેલી રોડ પર વિદ્યાર્થિનીઓ ચાલુ પિકઅપવાનમાંથી બહાર કૂદી ગઇ હતી. બહાર કૂદી પડતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે.


શાળામાંથી પરત ફરતી વખતે બની આ ઘટના 

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે આ ઘટના બની હતી. કોસીન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ કુંડીયા ગામમાં જવા માટે પહેલા બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બસ માટે લાંબી લાઈન હતી તો વિદ્યાર્થિનીઓએ પિકઅપવાનમાં જવાનું વિચાર કર્યું. વિદ્યાર્થિનીઓ વાનમાં પાછળના ભાગમાં બેઠી. વિદ્યાર્થિનીઓ ગાડીમાં બેઠી તે પહેલા અનેક લોકો ગાડીમાં બેઠા હતા. આગળની કેબિનમાં ડ્રાઇવર સાથે ત્રણ અને પાછળ બે વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થિની ગાડીમાં બેઠી  તે બાદ ડ્રાઇવરે સ્પીડમાં ગાડી ચલાવાની શરૂઆત કરી.  

ગાડીમાંથી કૂદી પડતા વિદ્યાર્થિનીઓને પહોંચી ઈજા 

કેબિનમાં બેઠેલા વ્યક્તિ પાછળની સાઈડ આવી ગયા. પાછળ બેઠેલા લોકોએ ધીરે ધીરે વિદ્યાર્થિનીને અડપલા કરવાના શરૂ કર્યા. શરીરને ટચ કરવાનું શરૂ કર્યું. આવી હરકતોને કારણે વિદ્યાર્થિનીઓના મનમાં છેડતી થવાનો ડર બેસી ગયો. ડ્રાઈવરને ગાડી રોકવા માટે પણ અનેક વખત કહ્યું પરંતુ ગાડીવાળાએ તેમની વાત ન સાંભળી. અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવાની ચાલું રાખી. પોતાની ઈજ્જત બચાવવા માટે વિદ્યાર્થિનીઓએ જીવને જોખમમાં મૂક્યો. ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ કૂદી પડી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગભરાયેલી 6 વિદ્યાર્થિનીઓએ ગાડીમાંથી છલાંગ લગાવી. ગાડીમાંથી કૂદતો મારતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 


આ મામલે પોલીસે કરી કાર્યવાહી 

વિદ્યાર્થિનીઓના પરિવારને આ અંગેની જાણ થતા દીકરીઓને ન્યાય મળે તે માટે પોલીસ ફરિયાદ કરી હતી. જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માગ છે. મળતી માહિતી અનુસાર પોલીસે બે લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરી શકે તેવું વાતાવરણ નથી રહ્યું. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે