Gujaratમાં દીકરીઓ નથી સુરક્ષિત! Chhota Udepurમાં ચાલુ જીપમાં થઈ વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી માર્યો કુદકો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-03 13:48:01

એક સમય હતો જ્યારે મહિલાઓ માટે ગુજરાતને સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. એ સમયે પણ કદાચ મહિલાઓ સાથે ગરેવર્તન થતું હશે, જબરદસ્તી હતી હશે પરંતુ હમણાં જે પ્રમાણેના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ઓછા હશે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ઘરમાંથી બહાર નીકળતા દીકરીઓ ડરતી હશે. બહાર તો ઠીક પરંતુ પોતાના સગાઓથી બાળકીઓ કદાચ ડરતી હશે.આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શાળામાં ભણતી બાળકીઓ સુરક્ષિત નથી તેનું ઉદાહરણ સામે આવ્યું છે છોટાઉદેપુરથી. સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર છેડતીના ડરથી વિદ્યાર્થિનીઓ ચાલુ પિકઅપવાનમાંથી બહાર કૂદી ગઇ હતી.    

An incident of molestation of female students in Chhota Udepur છોટાઉદેપુર: ચાલુ જીપમાં વિદ્યાર્થિનીઓની છેડતી, જીપમાંથી કૂદતા ઈજાગ્રસ્ત

પોતાની ઈજ્જત બચાવા માટે ચાલુ ગાડીમાંથી દીકરીઓ કૂદી પડી

વડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાઓ માટે ગુજરાત કેટલું સુરક્ષિત છે તે સવાલ થાય. મહિલાઓની, શાળામાં ભણતી દીકરીઓ તેમજ નાની માસુમ બાળકીઓ વિકૃત માણસના હવસનો શિકાર બની રહી છે. રસ્તા પર દીકરીઓની છેડતી કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે દીકરીએ પિકવનવાનમાંથી બહાર કૂદકો માર્યો છે પોતાની ઈજ્જત બચાવવા! છેડતીના ડરથી નસવાડી બોડેલી રોડ પર વિદ્યાર્થિનીઓ ચાલુ પિકઅપવાનમાંથી બહાર કૂદી ગઇ હતી. બહાર કૂદી પડતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી છે અને સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે.


શાળામાંથી પરત ફરતી વખતે બની આ ઘટના 

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરે આ ઘટના બની હતી. કોસીન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ઘરે પરત જઈ રહી હતી તે દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ કુંડીયા ગામમાં જવા માટે પહેલા બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બસ માટે લાંબી લાઈન હતી તો વિદ્યાર્થિનીઓએ પિકઅપવાનમાં જવાનું વિચાર કર્યું. વિદ્યાર્થિનીઓ વાનમાં પાછળના ભાગમાં બેઠી. વિદ્યાર્થિનીઓ ગાડીમાં બેઠી તે પહેલા અનેક લોકો ગાડીમાં બેઠા હતા. આગળની કેબિનમાં ડ્રાઇવર સાથે ત્રણ અને પાછળ બે વ્યક્તિઓ બેઠી હતી. વિદ્યાર્થિની ગાડીમાં બેઠી  તે બાદ ડ્રાઇવરે સ્પીડમાં ગાડી ચલાવાની શરૂઆત કરી.  

ગાડીમાંથી કૂદી પડતા વિદ્યાર્થિનીઓને પહોંચી ઈજા 

કેબિનમાં બેઠેલા વ્યક્તિ પાછળની સાઈડ આવી ગયા. પાછળ બેઠેલા લોકોએ ધીરે ધીરે વિદ્યાર્થિનીને અડપલા કરવાના શરૂ કર્યા. શરીરને ટચ કરવાનું શરૂ કર્યું. આવી હરકતોને કારણે વિદ્યાર્થિનીઓના મનમાં છેડતી થવાનો ડર બેસી ગયો. ડ્રાઈવરને ગાડી રોકવા માટે પણ અનેક વખત કહ્યું પરંતુ ગાડીવાળાએ તેમની વાત ન સાંભળી. અને ફૂલ સ્પીડમાં ગાડી ચલાવાની ચાલું રાખી. પોતાની ઈજ્જત બચાવવા માટે વિદ્યાર્થિનીઓએ જીવને જોખમમાં મૂક્યો. ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થિનીઓ કૂદી પડી. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગભરાયેલી 6 વિદ્યાર્થિનીઓએ ગાડીમાંથી છલાંગ લગાવી. ગાડીમાંથી કૂદતો મારતા વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી અને સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 


આ મામલે પોલીસે કરી કાર્યવાહી 

વિદ્યાર્થિનીઓના પરિવારને આ અંગેની જાણ થતા દીકરીઓને ન્યાય મળે તે માટે પોલીસ ફરિયાદ કરી હતી. જવાબદાર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોની માગ છે. મળતી માહિતી અનુસાર પોલીસે બે લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસુસ કરી શકે તેવું વાતાવરણ નથી રહ્યું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.