Gujaratમાં Rahul Gandhiની Bharat Jodo Nyay Yatraનો બીજો દિવસ, દાહોદ અને પંચમહાલમાં ફરશે યાત્રા. જાણો શું છે આજનો રૂટ?


  • Published By :
  • Published Date : 2024-03-08 11:36:14

લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. મણિપુરથી આ યાત્રાનો પ્રારંભ થયો છે અને હાલ આ યાત્રા ગુજરાતમાં છે. ગઈકાલે દાહોદના ઝાલોદથી ગુજરાતમાં આ યાત્રાનો પ્રવેશ થયો અને આજે અને આવતી કાલ સુધી આ યાત્રા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. અલગ અલગ જગ્યાઓ પર રાહુલ ગાંધીનું સન્માન કરવામાં આવશે, અનેક જગ્યાઓ પર પદયાત્રા રાહુલ ગાંધી કરશે. મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેન્ડથી સરકાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. 


શું રહેશે આજે ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ?  

ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ ગઈકાલે થઈ ગયો હતો. આજે ગુજરાતમાં આ યાત્રાનો બીજો દિવસ છે. વિવિધ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ પદયાત્રા કરી હતી પરંતુ આ વખતે રાહુલ ગાંધી ગાડીમાં ફરી રહ્યા છે, અનેક જગ્યાઓ પર જ માત્ર પદયાત્રા તેઓ કરી રહ્યા છે. ત્યારે આજે આ યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે.લીમખેડાથી પીપલોદ અને ત્યાંથી પંચમહાલ જિલ્લાના ગોધરા પહોંચશે. ગોધરામાં બેઠક બાદ હાલોલ જવા રવાના થશે. ન્યાય યાત્રા હાલોલથી પાવાગઢ જશે. પાવાગઢથી શિવરાજપુર અને ત્યાંથી જાંબુઘોડા પહોંચશે. અને રાત્રી રોકાણના વ્યવસ્થા બોડેલી ખાતે કરવામાં આવી છે. 

અનેક મુદ્દાઓને લઈ પીએમ મોદી પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન!

10 માર્ચ સુધી રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં રહેશે. ગઈકાલે જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મોંઘવારી, બેરોજગારી તેમજ અદાણી મુદ્દે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. આદિવાસીઓને લઈ રામ મંદિરને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશના 2-4 ટકા લોકોને બધું ધન આપવામાં આવી રહ્યું છે. હું 4000 કિલોમીટર ચાલ્યો. ભારતમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. બીજો મુદ્દો મોંઘવારી. તમે રામ મંદિરનું ઉદ્ઘાટન જોયું. રાષ્ટ્રપતિ આદિવાસી છે, તેમનો ચહેરો તમે ટીવી પર જોયો? એક દલિત, ખેડૂત જોયો તમે? આવી રાજનીતિ થઈ રહી છે. એટલે અમે ભારત જોડો યાત્રા કરી. 

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયાએ કર્યું હતું રાહુલ ગાંધીનું સ્વાગત! 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર લડશે જ્યારે ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે. ગઠબંધન થયા બાદ એવું લાગતું હતું કે આપ પણ આ યાત્રામાં જોડાશે. તે બાદ સમાચાર આવ્યા કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને આમંત્રણ આપ્યું છે અને ગઈકાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ત્યારે તેમને આવકારવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસના દિગ્ગજ નેતા, કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી તેમજ ગોપાલ ઈટાલિયા હાજર રહ્યા હતા. ત્યારે આવનાર દિવસમાં ચૈતર વસાવા પણ આ યાત્રામાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.