બ્રેકિંગ: ભરૂચના દયાદરા-કેલોદ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-12 23:18:38

ભરૂચ જિલ્લાના કેલોદ પાસે ટ્રક અને કાર વચ્ચે જબરદસ્ત અકસ્માત થતાં 4 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. કેલોદ રોડ ઉપર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માત ડ્રાઈવરની બેદરકારીના કારણે સર્જાયો છે. આગંભીર અકસ્માત ભરૂચ નજીક સર્જાયો હતો. આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 


નોકરીથી ફરતા યુવાનોને નડ્યો અકસ્માત 


ભરૂચના દયાદરા – કેલોદ રોડ ઉપર બનેલી આ ગંભીર ઘટનામાં ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આમોદના સુડી ગામના યુવાનોને અકસ્માત  નડ્યો છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ નોકરી પરથી પરત ફરતા હતા તે સમયે કારમાં સવાર લોકોને કેલોદ પાસે અકસ્માત નડ્યો હતો. કારમાં 4 થી 5 લોકો સવાર હતા, કારના પતરાં ચીરી કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા હતા. કારમાં સવાર લોકો પૈકી મોટાભાગના મૃત્યુ પામ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયુ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી