લ્યો બોલો! સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ ગાયબ, પરિવારે હોબાળો મચાવતા તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2023-09-22 21:09:27

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં બધુ રામ ભરોસે ચાલે છે તે બાબતથી સૌ કોઈ વાકેફ છે પણ  હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી  મૃતદેહ જ ગાયબ થઈ જાય તે કેવી રીતે બની શકે? હા, આવું બન્યું છે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલમાં, સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માગ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો અને એ મૃતદેહની અંતિમવિધિ પણ થઈ ગઈ છે. સ્ટાફનો આ જવાબ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

 

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટએ આપી બાંયધરી 


મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની આ ઘોર બેદરકારી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હોસ્પિટલ સાથે અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી કઈ રીતે થઈ શકે. પરિવારજનોએ માગ કરી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોઈની ભૂલ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયરે બાંયધરી આપી હતી કે ત્રણ સભ્યની કમિટી 72 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપશે અને જે કોઈ વ્યક્તિની ભૂલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


સમગ્ર મામલો શું છે?


વડાદરા શહેરના ગોરવાના વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થતાં ગોત્રી હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4.30 વાગે લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુક્યો હતો. નિત્યાનંદ ગુપ્તાનાં અન્ય સગાંસંબંધીઓ બહાર હોવાથી સવારે અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે નિત્યાનંદ ગુપ્તાનાં પરિવારજનો કોલ્ડસ્ટોરેજ ખાતે પહોંચતાં અન્ય મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને મૂક્યા પછીની જે પાવતી જોઈ પછી ખુલાસો થયો કે મૃતદેહ અન્ય પરિવારને સુપરત કરવામાં આવ્યો છે. નિત્યાનંદ ગુપ્તા અને પરિમલ દવે નામની વ્યક્તિઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ હોવાનું માનવામાં આવ્યું રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે  પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં થાય છે, સાથે એસ.એસ.જી.હોસ્પિટલમાં સ્ટાફ પણ પ્રક્રિયા કરતા હોય છે. સિસ્ટમ બહુ જ વ્યવસ્થિત છે છતાં આ પ્રકારની ઘટના બનતા ગંભીર સવાલો ઉઠ્યા છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.