લ્યો બોલો! સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ ગાયબ, પરિવારે હોબાળો મચાવતા તંત્ર દોડતું થયું


  • Published By :
  • Published Date : 2023-09-22 21:09:27

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં બધુ રામ ભરોસે ચાલે છે તે બાબતથી સૌ કોઈ વાકેફ છે પણ  હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી  મૃતદેહ જ ગાયબ થઈ જાય તે કેવી રીતે બની શકે? હા, આવું બન્યું છે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલમાં, સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માગ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો અને એ મૃતદેહની અંતિમવિધિ પણ થઈ ગઈ છે. સ્ટાફનો આ જવાબ સાંભળીને પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

 

હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટએ આપી બાંયધરી 


મૃતકના પરિવારજનોએ હોસ્પિટલની આ ઘોર બેદરકારી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હોસ્પિટલ સાથે અન્ય પરિવારે પોતાના પરિવારના સભ્યની ઓળખ બાદ મૃતદેહ સ્વીકાર્યો હોવા છતાં આટલી મોટી ગંભીર બેદરકારી કઈ રીતે થઈ શકે. પરિવારજનોએ માગ કરી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોઈની ભૂલ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ અંગે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રંજન ઐયરે બાંયધરી આપી હતી કે ત્રણ સભ્યની કમિટી 72 કલાકમાં તપાસ કરી રિપોર્ટ આપશે અને જે કોઈ વ્યક્તિની ભૂલ હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


સમગ્ર મામલો શું છે?


વડાદરા શહેરના ગોરવાના વિસ્તારમાં રહેતા 73 વર્ષીય નિત્યાનંદ ગુપ્તાને છાતીમાં દુખાવો થતાં ગોત્રી હોસ્પિટલ લઈ જતા સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ સયાજી હોસ્પિટલમાં ગઈકાલે સાંજે 4.30 વાગે લાવવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં મુક્યો હતો. નિત્યાનંદ ગુપ્તાનાં અન્ય સગાંસંબંધીઓ બહાર હોવાથી સવારે અંતિમવિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સવારે નિત્યાનંદ ગુપ્તાનાં પરિવારજનો કોલ્ડસ્ટોરેજ ખાતે પહોંચતાં અન્ય મૃતદેહ જોઈ ચોંકી ઊઠ્યા હતા. નિત્યાનંદ ગુપ્તાના મૃતદેહને મૂક્યા પછીની જે પાવતી જોઈ પછી ખુલાસો થયો કે મૃતદેહ અન્ય પરિવારને સુપરત કરવામાં આવ્યો છે. નિત્યાનંદ ગુપ્તા અને પરિમલ દવે નામની વ્યક્તિઓના મૃતદેહની અદલાબદલી થઈ ગઈ હોવાનું માનવામાં આવ્યું રહ્યું છે. રસપ્રદ બાબત એ છે કે  પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં થાય છે, સાથે એસ.એસ.જી.હોસ્પિટલમાં સ્ટાફ પણ પ્રક્રિયા કરતા હોય છે. સિસ્ટમ બહુ જ વ્યવસ્થિત છે છતાં આ પ્રકારની ઘટના બનતા ગંભીર સવાલો ઉઠ્યા છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી