Budget સત્રના અંતિમ દિવસે Parliamentમાં થઈ રહી છે Ram Mandir પર ચર્ચા, ભાજપના સાંસદે કહ્યું કે જ્યાં રામ છે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 13:57:09

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના વિધાનસભામાં પણ રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ હતી. ત્યારે આજે સંસદની કાર્યવાહીનો આજે અંતિમ દિવસ છે. આજે એટલે કે શનિવારે લોકસભામાં અયોધ્યા રામ મંદિર પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં રામ મંદિર વિશેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે...જેઓ ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા થાય છે. કોંગ્રેસ આજે આ દેશમાં આ પરિસ્થિતિમાં છે કારણ કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા..."


અમે તારીખ જાહેર કરી અને રામ મંદિરનું નિર્માણ કર્યું - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રામ મંદિરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કેરામમંદિર અમારા માટે આસ્થાનું કેન્દ્ર હતું, છે અને હંમેશા રહેશે, પરંતુ જે લોકો સવાલો ઉઠાવતા હતા કે ભાજપ કહે છે કે ભગવાન રામ આવશે પણ અમને તારીખ નથી કહેતા... અમે તારીખ જાહેર કરી અને રામમંદિરનું નિર્માણ કર્યું. ..”



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.