Budget સત્રના અંતિમ દિવસે Parliamentમાં થઈ રહી છે Ram Mandir પર ચર્ચા, ભાજપના સાંસદે કહ્યું કે જ્યાં રામ છે....


  • Published By :
  • Published Date : 2024-02-10 13:57:09

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના વિધાનસભામાં પણ રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ હતી. ત્યારે આજે સંસદની કાર્યવાહીનો આજે અંતિમ દિવસ છે. આજે એટલે કે શનિવારે લોકસભામાં અયોધ્યા રામ મંદિર પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં રામ મંદિર વિશેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે...જેઓ ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા થાય છે. કોંગ્રેસ આજે આ દેશમાં આ પરિસ્થિતિમાં છે કારણ કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા..."


અમે તારીખ જાહેર કરી અને રામ મંદિરનું નિર્માણ કર્યું - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રામ મંદિરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કેરામમંદિર અમારા માટે આસ્થાનું કેન્દ્ર હતું, છે અને હંમેશા રહેશે, પરંતુ જે લોકો સવાલો ઉઠાવતા હતા કે ભાજપ કહે છે કે ભગવાન રામ આવશે પણ અમને તારીખ નથી કહેતા... અમે તારીખ જાહેર કરી અને રામમંદિરનું નિર્માણ કર્યું. ..”



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.