Budget સત્રના અંતિમ દિવસે Parliamentમાં થઈ રહી છે Ram Mandir પર ચર્ચા, ભાજપના સાંસદે કહ્યું કે જ્યાં રામ છે....


  • Published By :
  • Published Date : 2024-02-10 13:57:09

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના વિધાનસભામાં પણ રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ હતી. ત્યારે આજે સંસદની કાર્યવાહીનો આજે અંતિમ દિવસ છે. આજે એટલે કે શનિવારે લોકસભામાં અયોધ્યા રામ મંદિર પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં રામ મંદિર વિશેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે...જેઓ ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા થાય છે. કોંગ્રેસ આજે આ દેશમાં આ પરિસ્થિતિમાં છે કારણ કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા..."


અમે તારીખ જાહેર કરી અને રામ મંદિરનું નિર્માણ કર્યું - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રામ મંદિરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કેરામમંદિર અમારા માટે આસ્થાનું કેન્દ્ર હતું, છે અને હંમેશા રહેશે, પરંતુ જે લોકો સવાલો ઉઠાવતા હતા કે ભાજપ કહે છે કે ભગવાન રામ આવશે પણ અમને તારીખ નથી કહેતા... અમે તારીખ જાહેર કરી અને રામમંદિરનું નિર્માણ કર્યું. ..”



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.