Budget સત્રના અંતિમ દિવસે Parliamentમાં થઈ રહી છે Ram Mandir પર ચર્ચા, ભાજપના સાંસદે કહ્યું કે જ્યાં રામ છે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 13:57:09

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતના વિધાનસભામાં પણ રામ મંદિરને લઈ ચર્ચાઓ થઈ હતી. ત્યારે આજે સંસદની કાર્યવાહીનો આજે અંતિમ દિવસ છે. આજે એટલે કે શનિવારે લોકસભામાં અયોધ્યા રામ મંદિર પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં રામ મંદિર વિશેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે...જેઓ ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા થાય છે. કોંગ્રેસ આજે આ દેશમાં આ પરિસ્થિતિમાં છે કારણ કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા..."


અમે તારીખ જાહેર કરી અને રામ મંદિરનું નિર્માણ કર્યું - અનુરાગ ઠાકુર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ રામ મંદિરને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કેરામમંદિર અમારા માટે આસ્થાનું કેન્દ્ર હતું, છે અને હંમેશા રહેશે, પરંતુ જે લોકો સવાલો ઉઠાવતા હતા કે ભાજપ કહે છે કે ભગવાન રામ આવશે પણ અમને તારીખ નથી કહેતા... અમે તારીખ જાહેર કરી અને રામમંદિરનું નિર્માણ કર્યું. ..”



જમાવટની ઈલેક્શન યાત્રા ગુજરાતના અનેક લોકસભા વિસ્તારોમાં ફરી રહી છે અને મતદાતાના મિજાજને જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જમાવટ પોરબંદર પહોંચી હતી જ્યાં હાજર લોકોએ ચૂંટણીનું ગણિત સમજાવી દીધું...

રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું જેને લઈ રાજકારણ ગરમાયું હતું. ક્ષત્રિય સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો. ત્યારે જામનગરના જામસાહેબે રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે..

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે... અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. ત્યારે મોરબીથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાતમાં આજે પીએમ મોદી આવ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદી પ્રચાર કરવાના છે.. જે બેઠકો પર વિખવાદ ચાલી રહ્યો છે તે બેઠકો પર પીએમ મોદી સભાને સંબોધવાના છે...