Bharat Ratnaને લઈ સંસદમાં છેડાયો વિવાદ! Mallikarjun Khargeએ કહ્યું એવું કે જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-10 17:11:24

ગઈકાલે ભારત રત્નને લઈ જાહેરાત કરવામાં આવી. ભારતના બે પૂર્વ પ્રધાનમંત્રી નરસિન્હા રાવ તેમજ ચૌધરી ચરણસિંહને તેમજ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. ભારત રત્નને લઈ સંસદમાં હોબાળો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આજે જ્યારે સંસદમાં કાર્યવાહી થઈ ત્યારે કોંગ્રેસના સાંસદોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. આ હોબાળો ત્યારે ચાલુ થયો જ્યારે અધ્યક્ષે જયંત ચૌધરીને બોલવાનો સમય આપ્યો. જયંત ચૌધરીને બોલવાની અનુમતી અપતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ કર્યો. આ વાત પર વિવાદ છેડાયો અને પછી સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે હું ચરણસિંહનું અપમાન સહન નહીં કરી શકું....

ભારત રત્નને લઈ સંસદમાં થયો હંગામો!

બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થયો છે. ત્યારે સત્રમાં આજે ભારત રત્નને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'આ ખુશીની વાત છે કે આપણા તમામ સામાજિક કાર્યકરોને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરતા સામાજિક કાર્યકરો આપણા બધા માટે ઉદાહરણ છે... અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે... 

આ બાદ સભાપતિએ જયંત ચૌધરીને બોલવાની અનુમતિ આપવા પર મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરી. જયંત ચૌધરીને કયા નિયમ અનુસાર બોલવાની અનુમતિ આપી તે પ્રશ્ન સભાપતિને મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યો. તેમણે કહ્યું કે પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે તેને કયા નિયમો હેઠળ બોલવાની છૂટ છે. કૃપા કરીને અમને પણ મંજૂરી આપો.



જગદીપ ધનખડેએ કહ્યું કે... 

આ બાદ વિવાદ છેડાયો અને સભાપતિ ધનખડ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે 'તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે, તમે તેમના વારસાનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આજે ગૃહમાં આવું વાતાવરણ બનાવીને તમે દેશના દરેક ખેડૂતને દુઃખ પહોંચાડી રહ્યા છો. આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. વિપક્ષી સાંસદોએ હંગામો ચાલું રાખ્યો. નારાઓ લગાવ્યા.    



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.