Bharat Ratnaને લઈ સંસદમાં છેડાયો વિવાદ! Mallikarjun Khargeએ કહ્યું એવું કે જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-10 17:11:24

ગઈકાલે ભારત રત્નને લઈ જાહેરાત કરવામાં આવી. ભારતના બે પૂર્વ પ્રધાનમંત્રી નરસિન્હા રાવ તેમજ ચૌધરી ચરણસિંહને તેમજ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. ભારત રત્નને લઈ સંસદમાં હોબાળો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આજે જ્યારે સંસદમાં કાર્યવાહી થઈ ત્યારે કોંગ્રેસના સાંસદોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. આ હોબાળો ત્યારે ચાલુ થયો જ્યારે અધ્યક્ષે જયંત ચૌધરીને બોલવાનો સમય આપ્યો. જયંત ચૌધરીને બોલવાની અનુમતી અપતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ કર્યો. આ વાત પર વિવાદ છેડાયો અને પછી સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે હું ચરણસિંહનું અપમાન સહન નહીં કરી શકું....

ભારત રત્નને લઈ સંસદમાં થયો હંગામો!

બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થયો છે. ત્યારે સત્રમાં આજે ભારત રત્નને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'આ ખુશીની વાત છે કે આપણા તમામ સામાજિક કાર્યકરોને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરતા સામાજિક કાર્યકરો આપણા બધા માટે ઉદાહરણ છે... અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે... 

આ બાદ સભાપતિએ જયંત ચૌધરીને બોલવાની અનુમતિ આપવા પર મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરી. જયંત ચૌધરીને કયા નિયમ અનુસાર બોલવાની અનુમતિ આપી તે પ્રશ્ન સભાપતિને મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યો. તેમણે કહ્યું કે પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે તેને કયા નિયમો હેઠળ બોલવાની છૂટ છે. કૃપા કરીને અમને પણ મંજૂરી આપો.



જગદીપ ધનખડેએ કહ્યું કે... 

આ બાદ વિવાદ છેડાયો અને સભાપતિ ધનખડ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે 'તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે, તમે તેમના વારસાનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આજે ગૃહમાં આવું વાતાવરણ બનાવીને તમે દેશના દરેક ખેડૂતને દુઃખ પહોંચાડી રહ્યા છો. આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. વિપક્ષી સાંસદોએ હંગામો ચાલું રાખ્યો. નારાઓ લગાવ્યા.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .