Bharat Ratnaને લઈ સંસદમાં છેડાયો વિવાદ! Mallikarjun Khargeએ કહ્યું એવું કે જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-10 17:11:24

ગઈકાલે ભારત રત્નને લઈ જાહેરાત કરવામાં આવી. ભારતના બે પૂર્વ પ્રધાનમંત્રી નરસિન્હા રાવ તેમજ ચૌધરી ચરણસિંહને તેમજ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. ભારત રત્નને લઈ સંસદમાં હોબાળો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આજે જ્યારે સંસદમાં કાર્યવાહી થઈ ત્યારે કોંગ્રેસના સાંસદોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. આ હોબાળો ત્યારે ચાલુ થયો જ્યારે અધ્યક્ષે જયંત ચૌધરીને બોલવાનો સમય આપ્યો. જયંત ચૌધરીને બોલવાની અનુમતી અપતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ કર્યો. આ વાત પર વિવાદ છેડાયો અને પછી સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે હું ચરણસિંહનું અપમાન સહન નહીં કરી શકું....

ભારત રત્નને લઈ સંસદમાં થયો હંગામો!

બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થયો છે. ત્યારે સત્રમાં આજે ભારત રત્નને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'આ ખુશીની વાત છે કે આપણા તમામ સામાજિક કાર્યકરોને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરતા સામાજિક કાર્યકરો આપણા બધા માટે ઉદાહરણ છે... અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે... 

આ બાદ સભાપતિએ જયંત ચૌધરીને બોલવાની અનુમતિ આપવા પર મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરી. જયંત ચૌધરીને કયા નિયમ અનુસાર બોલવાની અનુમતિ આપી તે પ્રશ્ન સભાપતિને મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યો. તેમણે કહ્યું કે પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે તેને કયા નિયમો હેઠળ બોલવાની છૂટ છે. કૃપા કરીને અમને પણ મંજૂરી આપો.



જગદીપ ધનખડેએ કહ્યું કે... 

આ બાદ વિવાદ છેડાયો અને સભાપતિ ધનખડ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે 'તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે, તમે તેમના વારસાનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આજે ગૃહમાં આવું વાતાવરણ બનાવીને તમે દેશના દરેક ખેડૂતને દુઃખ પહોંચાડી રહ્યા છો. આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. વિપક્ષી સાંસદોએ હંગામો ચાલું રાખ્યો. નારાઓ લગાવ્યા.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.