Bharat Ratnaને લઈ સંસદમાં છેડાયો વિવાદ! Mallikarjun Khargeએ કહ્યું એવું કે જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-10 17:11:24

ગઈકાલે ભારત રત્નને લઈ જાહેરાત કરવામાં આવી. ભારતના બે પૂર્વ પ્રધાનમંત્રી નરસિન્હા રાવ તેમજ ચૌધરી ચરણસિંહને તેમજ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામિનાથનને પણ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. ભારત રત્નને લઈ સંસદમાં હોબાળો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આજે જ્યારે સંસદમાં કાર્યવાહી થઈ ત્યારે કોંગ્રેસના સાંસદોએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. આ હોબાળો ત્યારે ચાલુ થયો જ્યારે અધ્યક્ષે જયંત ચૌધરીને બોલવાનો સમય આપ્યો. જયંત ચૌધરીને બોલવાની અનુમતી અપતા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ કર્યો. આ વાત પર વિવાદ છેડાયો અને પછી સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે હું ચરણસિંહનું અપમાન સહન નહીં કરી શકું....

ભારત રત્નને લઈ સંસદમાં થયો હંગામો!

બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. બજેટ સત્રની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થયો છે. ત્યારે સત્રમાં આજે ભારત રત્નને લઈ વિવાદ છેડાઈ ગયો હતો. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 'આ ખુશીની વાત છે કે આપણા તમામ સામાજિક કાર્યકરોને ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરતા સામાજિક કાર્યકરો આપણા બધા માટે ઉદાહરણ છે... અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. અમે ચૌધરી ચરણ સિંહ અને ખેડૂતો માટે કામ કરનારા તમામ સામાજિક કાર્યકરોને સલામ કરીએ છીએ. ભારત રત્ન એનાયત થયેલા તમામ લોકોને હું સલામ કરું છું. 

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે... 

આ બાદ સભાપતિએ જયંત ચૌધરીને બોલવાની અનુમતિ આપવા પર મલ્લિકાર્જુન ખડગેએ નારાજગી વ્યક્ત કરી. જયંત ચૌધરીને કયા નિયમ અનુસાર બોલવાની અનુમતિ આપી તે પ્રશ્ન સભાપતિને મલ્લિકાર્જુન ખડગેએ પૂછ્યો. તેમણે કહ્યું કે પરંતુ જો કોઈ સભ્ય કોઈ મુદ્દો ઉઠાવવા માંગે છે, તો તમે કયા નિયમ હેઠળ પૂછો છો. મારે જાણવું છે કે તેને કયા નિયમો હેઠળ બોલવાની છૂટ છે. કૃપા કરીને અમને પણ મંજૂરી આપો.



જગદીપ ધનખડેએ કહ્યું કે... 

આ બાદ વિવાદ છેડાયો અને સભાપતિ ધનખડ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે 'તમે ચૌધરી ચરણ સિંહનું અપમાન કર્યું છે, તમે તેમના વારસાનું અપમાન કર્યું છે. તમારી પાસે ભારત રત્ન ચૌધરી ચરણ સિંહ માટે સમય નહોતો. આજે ગૃહમાં આવું વાતાવરણ બનાવીને તમે દેશના દરેક ખેડૂતને દુઃખ પહોંચાડી રહ્યા છો. આપણું માથું શરમથી ઝૂકી જવું જોઈએ. વિપક્ષી સાંસદોએ હંગામો ચાલું રાખ્યો. નારાઓ લગાવ્યા.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.