TMC સાંસદ મહુઆ મોઈત્રાના લોકસભા સભ્ય પદ આજે ફેંસલો, જાણો સંસદમાં હવે શું થશે


  • Published By :
  • Published Date : 2023-12-08 14:24:03

તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની સાંસદ મહુઆ મોઈત્રાનું લોકસભા સભ્ય પદ પર તલવાર લટકી રહી છે, આજે તેના પર નિર્ણય લેવાઈ શકે છે. સંસદની એથિક્સ કમિટીએ તેની રિપોર્ટમાં મહુઆ મોઈત્રાનું સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી છે. ભાજપે પણ તેના સાંસદોને વ્હીપ જારી કરીને આજે સંસદમાં હાજર રહેવાનું કહ્યું છે. જો કે આવી સ્થિતી ત્યારે જ સર્જાશે જ્યારે વોટિંગની નોબત આવશે. ટીએમસીએ આવો કોઈ નિર્ણય કર્યો નથી. જો મહુઆનું સંસદનું સભ્ય પદ જશે તો તે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. નિયમ મુજબ શિસ્ત સમિતીની રિપોર્ટ લોકસભામાં સંસદના નેતા પ્રધાનમંત્રી મોદી, ઉપ નેતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી જ રજુ કરી શકે છે.


સંસદમાં આજે શું થશે?


સરકાર એથિક્સ કમિટીના રિપોર્ટની ભલામણો પર સંસદનો અભિપ્રાય જાણશે, જો વિપક્ષ મહુઆ મોઈત્રાને લોકસભામાંથી હટાવવા માટે વોટિંગ કરાવવાની માગ કરશે તો લોકસભામાં મતદાન થશે. જો મતદાન થશે તો ચોક્કસપણે ભાજપ અને તેના સાથી પક્ષોની જીત થશે કારણ કે લોકસભામાં તેમની બહુમતી છે.  


મહુઆ પર શું આરોપ છે?


ઉલ્લેખનિય છે કે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર લોકસભાની વેબસાઈટનું લોગ-ઈન અને પાસવર્ડ વિદેશમાં રહેતા એક ભારતીય બિઝનેશમેન સાથે શેઅર કરવાનો આરોપ છે. બિજેપી સાંસદ નિશિકાંત દુબેના ખુલાસા બાદ ઘેરાયેલી મહુઆએ તેને મીડિયા સામે પણ સ્વિકાર્યો હતો. તેમની દલીલ છે કે લોગ-ઈન ડીટેલ તો સાંસદો કોઈની પણ સાથે શેર  કરે જ છે. જો કે મહુઆ મોઈત્રા પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરૂધ્ધ એજન્ડા ચલાવવા માટે હરિફ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની સાથે સાંઠગાઠનો આરોપ છે. હીરાનંદાનીએ તે પણ કહ્યું કે તેમણે અદાણી સામે સંસદમાં સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઈત્રાને પૈસા અને મોંઘી ગિફ્ટ આપી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.