ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાથમાં પાવડો લઈને નેશનલ હાઈવેના ખાડા પૂરવા પહોંચ્યા, જુવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-31 12:20:03

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા દેખાવવાની શરૂઆત થઈ જતી હોય છે. સામાન્ય વરસાદમાં કોઈ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે તો કોઈ વખત મસમોટો ભૂવો પડેલો આપણને જોવા મળે છે. અનેક વખત ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળતું હોય છે. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે સામાન્ય નાગરિકો રોષે ભરાય છે. રસ્તા પર ખાડાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ શરીરને પણ નુકસાન થાય છે. ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને પૂરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દેખાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા નર્મદા જિલ્લાથી પસાર થતાં રસ્તા પર પડેલા ખાડાને પૂરવાની કામગીરી ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.   

ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે પૂર્યા રસ્તા પરના ખાડા

રસ્તાની હાલત શું છે તે વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. નવો રસ્તો બન્યો હોત તો પણ તેમાં ખાડાઓ જોવા મળતા હોય છે. આપણી સામે એવા અનેક રસ્તાઓના દાખલા છે જેમાં રસ્તાઓ પર ખાડા વધારે અને સારો રસ્તો ઓછો દેખાય છે. રસ્તા પર પડતાં ખાડા તો સામાન્ય માણસને જ દેખાય છે સત્તાપક્ષમાં બેઠેલા નેતાઓેને, તેમના પ્રવક્તાઓને નથી દેખાતા. ખાડાને કારણે મુશ્કેલી પણ સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આપણે ત્યાં કહેવત છે કે અપના હાથ જગન્નાથ, અર્થાત બીજાના ભરોસે નહીં પરંતુ જાતે જ કામ કરી લેવાનું. ત્યારે આવું જ કંઈક ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે. રસ્તા પર પડેલા ખાડાને દૂર કરવા ચૈતર વસાવાએ અને તેમની ટીમે હાથમાં પાવડો લીધો, અને રસ્તા પર પડેલા ખાડાને પૂરવાનું કામ શરૂ કર્યું. 


જો રસ્તાની હાલત નહીં સુધરે તો....!

આ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાને કારણે રોડ પર ખાડા પડ્યા છે. સરકારનું આ ભ્રષ્ટાચાર પર ધ્યાન આવે તે માટે ખાડા પુરવાનું અભિયાન શરૂ કરાયું છે, પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો અહીંથી પસાર થતા મોટા વાહનો માટે રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરીશું. મહત્વનું છે કે મોટા મોટા શહેરો પણ ખાડાથી બાકાત નથી. મેટ્રો શહેરોના રસ્તાઓ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ખાડા તો હોય જ છે પરંતુ અનેક વખત મસમોટા ભૂવા પણ પડતા હોય છે જેને કારણે સામાન્ય માણસને આવનજાવનમાં બહું મુશ્કેલીનો સામનો કરવો પડે છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.