ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાથમાં પાવડો લઈને નેશનલ હાઈવેના ખાડા પૂરવા પહોંચ્યા, જુવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-31 12:20:03

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા દેખાવવાની શરૂઆત થઈ જતી હોય છે. સામાન્ય વરસાદમાં કોઈ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે તો કોઈ વખત મસમોટો ભૂવો પડેલો આપણને જોવા મળે છે. અનેક વખત ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળતું હોય છે. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે સામાન્ય નાગરિકો રોષે ભરાય છે. રસ્તા પર ખાડાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ શરીરને પણ નુકસાન થાય છે. ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને પૂરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દેખાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા નર્મદા જિલ્લાથી પસાર થતાં રસ્તા પર પડેલા ખાડાને પૂરવાની કામગીરી ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.   

ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે પૂર્યા રસ્તા પરના ખાડા

રસ્તાની હાલત શું છે તે વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. નવો રસ્તો બન્યો હોત તો પણ તેમાં ખાડાઓ જોવા મળતા હોય છે. આપણી સામે એવા અનેક રસ્તાઓના દાખલા છે જેમાં રસ્તાઓ પર ખાડા વધારે અને સારો રસ્તો ઓછો દેખાય છે. રસ્તા પર પડતાં ખાડા તો સામાન્ય માણસને જ દેખાય છે સત્તાપક્ષમાં બેઠેલા નેતાઓેને, તેમના પ્રવક્તાઓને નથી દેખાતા. ખાડાને કારણે મુશ્કેલી પણ સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આપણે ત્યાં કહેવત છે કે અપના હાથ જગન્નાથ, અર્થાત બીજાના ભરોસે નહીં પરંતુ જાતે જ કામ કરી લેવાનું. ત્યારે આવું જ કંઈક ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે. રસ્તા પર પડેલા ખાડાને દૂર કરવા ચૈતર વસાવાએ અને તેમની ટીમે હાથમાં પાવડો લીધો, અને રસ્તા પર પડેલા ખાડાને પૂરવાનું કામ શરૂ કર્યું. 


જો રસ્તાની હાલત નહીં સુધરે તો....!

આ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાને કારણે રોડ પર ખાડા પડ્યા છે. સરકારનું આ ભ્રષ્ટાચાર પર ધ્યાન આવે તે માટે ખાડા પુરવાનું અભિયાન શરૂ કરાયું છે, પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો અહીંથી પસાર થતા મોટા વાહનો માટે રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરીશું. મહત્વનું છે કે મોટા મોટા શહેરો પણ ખાડાથી બાકાત નથી. મેટ્રો શહેરોના રસ્તાઓ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ખાડા તો હોય જ છે પરંતુ અનેક વખત મસમોટા ભૂવા પણ પડતા હોય છે જેને કારણે સામાન્ય માણસને આવનજાવનમાં બહું મુશ્કેલીનો સામનો કરવો પડે છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.