ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાથમાં પાવડો લઈને નેશનલ હાઈવેના ખાડા પૂરવા પહોંચ્યા, જુવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-31 12:20:03

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ રસ્તાઓ પર ખાડા દેખાવવાની શરૂઆત થઈ જતી હોય છે. સામાન્ય વરસાદમાં કોઈ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે તો કોઈ વખત મસમોટો ભૂવો પડેલો આપણને જોવા મળે છે. અનેક વખત ખરાબ રોડ રસ્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. રસ્તાઓ પર ખાડારાજ જોવા મળતું હોય છે. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવે છે પરંતુ કોઈ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે સામાન્ય નાગરિકો રોષે ભરાય છે. રસ્તા પર ખાડાને કારણે વાહનને તો નુકસાન થાય છે પરંતુ શરીરને પણ નુકસાન થાય છે. ત્યારે રસ્તા પર પડેલા ખાડાઓને પૂરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દેખાયા હતા. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા નર્મદા જિલ્લાથી પસાર થતાં રસ્તા પર પડેલા ખાડાને પૂરવાની કામગીરી ચૈતર વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.   

ધારાસભ્ય ચૈતર વસાવાએ જાતે પૂર્યા રસ્તા પરના ખાડા

રસ્તાની હાલત શું છે તે વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. નવો રસ્તો બન્યો હોત તો પણ તેમાં ખાડાઓ જોવા મળતા હોય છે. આપણી સામે એવા અનેક રસ્તાઓના દાખલા છે જેમાં રસ્તાઓ પર ખાડા વધારે અને સારો રસ્તો ઓછો દેખાય છે. રસ્તા પર પડતાં ખાડા તો સામાન્ય માણસને જ દેખાય છે સત્તાપક્ષમાં બેઠેલા નેતાઓેને, તેમના પ્રવક્તાઓને નથી દેખાતા. ખાડાને કારણે મુશ્કેલી પણ સામાન્ય માણસને ભોગવવાનો વારો આવે છે. ત્યારે આપણે ત્યાં કહેવત છે કે અપના હાથ જગન્નાથ, અર્થાત બીજાના ભરોસે નહીં પરંતુ જાતે જ કામ કરી લેવાનું. ત્યારે આવું જ કંઈક ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે. રસ્તા પર પડેલા ખાડાને દૂર કરવા ચૈતર વસાવાએ અને તેમની ટીમે હાથમાં પાવડો લીધો, અને રસ્તા પર પડેલા ખાડાને પૂરવાનું કામ શરૂ કર્યું. 


જો રસ્તાની હાલત નહીં સુધરે તો....!

આ દરમિયાન ચૈતર વસાવાએ કહ્યું કે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાને કારણે રોડ પર ખાડા પડ્યા છે. સરકારનું આ ભ્રષ્ટાચાર પર ધ્યાન આવે તે માટે ખાડા પુરવાનું અભિયાન શરૂ કરાયું છે, પણ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો અહીંથી પસાર થતા મોટા વાહનો માટે રસ્તો બ્લોક કરીને ચક્કાજામ કરીશું. મહત્વનું છે કે મોટા મોટા શહેરો પણ ખાડાથી બાકાત નથી. મેટ્રો શહેરોના રસ્તાઓ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. ખાડા તો હોય જ છે પરંતુ અનેક વખત મસમોટા ભૂવા પણ પડતા હોય છે જેને કારણે સામાન્ય માણસને આવનજાવનમાં બહું મુશ્કેલીનો સામનો કરવો પડે છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.