ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આવ્યા ચર્ચામાં


  • Published By :
  • Published Date : 2023-01-13 09:53:45

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાંચ સીટો હાંસલ કરી હતી. પાંચ સીટો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતન વસાવા અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમણે આદિવાસી પરિવારના એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી. ચૈતર વસાવાએ પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા. ઉપરાંત તેઓ બેન્ડ બાજાના તાલે ઝુમતા પણ નજરે પડયા હતા. 

ડેડિયાપાડામાં ચૈતર વસાવા વરરાજાને ખભાપર બેસાડી નાચી ઊઠ્યા; આવું જોઈ લોકો  આશ્ચર્યચકિત થયા | In Dediyapada Chaitar Vasava danced with the bridegroom  on his shoulders; People were ...


ડીજેના તાલે ઝુમ્યા ધારાસભ્ય 

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોઅએ જ્યારથી પોતાની જવાબદારી સંભાળી છે ત્યારથી તેનો અનેક જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ડેડિયાપારાના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ વખત બસ સ્ટેન્ડની મુલાકાત લઈ રહ્યા છે તો કોઈ બીજી જગ્યાની મુલાકાત લેતા તેઓ નજરે પડે છે. ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. આદિવાસી પરિવારના એક લગ્નમાં હાજરી આપી. પોતાના ખભા પર વરરાજાને બેસાડ્યા હતા અને બેન્ડ બાજાના તાલે ઝુમતા  નજરે પડયા હતા.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.