ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ ભ્રષ્ટાચારને લઈ સરકાર સામે મોરચો ખોલ્યો! સરકાર પર આકરા પ્રહાર કરતા શું કહ્યું સાંભળો


  • Published By :
  • Published Date : 2024-07-17 09:41:21

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ખોખલો કરી નાખે છે. અને જયારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય તો તો પછી કહેવું જ શું. આખી સિસ્ટમને અંદરથી કોરી ખાય છે. નાગરિકો પાયાની સવલતોથી વંચિત રહે છે અને વિકાસ ગામના છેવાડા સુધી નથી પહોંચી શકતો. ગુજરાતના આદિવાસી વિસ્તારો અગાઉથી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પણ નથી પહોંચી.. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ  ભ્રષ્ટાચારને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે . 

ભ્રષ્ટાચારને લઈ ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર  

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ છોટાઉદેપુરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી છે . તે દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે, આ વિસ્તારમાં જે પણ રોડ રસ્તા બન્યા છે તે એક જ વર્ષમાં પહેલા વરસાદમાં ધોવાઈ ગયા છે . નાળાઓ પણ તૂટી ગયા છે. જ્યારે આ કરોડો રૂપિયા ખર્ચીને રસ્તાઓ બનાવવામાં આવતા હોય ત્યારે , સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની મીલીભગત હશે ત્યારેજ આ રસ્તાઓનું ધોવાણ થાય છે. 



નલ સે જલને લઈ ચૈતર વસાવાએ કહી આ વાત

વધુમાં કહ્યું કે સરકારની ''નલ સે જલ '' યોજનાની પણ ફરિયાદ આવી છે. સામાન્ય નાગરિકને જરૂરી હોય એવા જાતિના દાખલા હોય કે પછી આવકના દાખલા હોય અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ઉલ્લેખનિય છે કે નલ સે જલ યોજનામાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે કારણ કે અનેક ઘરો એવા છે જ્યાં નળ છે તો પાઈપલાઈન નથી, પાઈપ લાઈન છે તો નળ નથી અને જ્યાં બધુ જ છે તો ત્યાં પાણી નથી. 



થોડા સમય પહેલા દારૂને લઈ અનેક વીડિયો કર્યા હતા વાયરલ

AAP MLA ચૈતર વસાવા અવાર નવાર સરકારને આડે હાથ લેતા રહે છે . આ અગાઉ તેમણે ભરૂચમાં દારૂબંધી કાયદાના કેવી રીતે ધજાગરા ઉડે તે બતાવવા માટે અનેક વીડિયો  વાયરલ કર્યા હતા. પોલીસ અધિકારીઓ પર તો કટાક્ષ કર્યો પરંતુ તેમણે ભાજપનું પણ નામ લીધું હતું.  હપ્તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત છેક , BJP કાર્યાલય કમલમ સુધી પહોંચે છે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે એ વાતનો આપણે અસ્વીકાર નહીં કરી શકીએ કે આદિવાસી વિસ્તારો. અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત છે, પાયાની સુવિધાથી વંચિત છે..    

 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.