ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ ભ્રષ્ટાચારને લઈ સરકાર સામે મોરચો ખોલ્યો! સરકાર પર આકરા પ્રહાર કરતા શું કહ્યું સાંભળો


  • Published By :
  • Published Date : 2024-07-17 09:41:21

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ખોખલો કરી નાખે છે. અને જયારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય તો તો પછી કહેવું જ શું. આખી સિસ્ટમને અંદરથી કોરી ખાય છે. નાગરિકો પાયાની સવલતોથી વંચિત રહે છે અને વિકાસ ગામના છેવાડા સુધી નથી પહોંચી શકતો. ગુજરાતના આદિવાસી વિસ્તારો અગાઉથી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પણ નથી પહોંચી.. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ  ભ્રષ્ટાચારને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે . 

ભ્રષ્ટાચારને લઈ ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર  

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ છોટાઉદેપુરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી છે . તે દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે, આ વિસ્તારમાં જે પણ રોડ રસ્તા બન્યા છે તે એક જ વર્ષમાં પહેલા વરસાદમાં ધોવાઈ ગયા છે . નાળાઓ પણ તૂટી ગયા છે. જ્યારે આ કરોડો રૂપિયા ખર્ચીને રસ્તાઓ બનાવવામાં આવતા હોય ત્યારે , સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની મીલીભગત હશે ત્યારેજ આ રસ્તાઓનું ધોવાણ થાય છે. 



નલ સે જલને લઈ ચૈતર વસાવાએ કહી આ વાત

વધુમાં કહ્યું કે સરકારની ''નલ સે જલ '' યોજનાની પણ ફરિયાદ આવી છે. સામાન્ય નાગરિકને જરૂરી હોય એવા જાતિના દાખલા હોય કે પછી આવકના દાખલા હોય અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ઉલ્લેખનિય છે કે નલ સે જલ યોજનામાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે કારણ કે અનેક ઘરો એવા છે જ્યાં નળ છે તો પાઈપલાઈન નથી, પાઈપ લાઈન છે તો નળ નથી અને જ્યાં બધુ જ છે તો ત્યાં પાણી નથી. 



થોડા સમય પહેલા દારૂને લઈ અનેક વીડિયો કર્યા હતા વાયરલ

AAP MLA ચૈતર વસાવા અવાર નવાર સરકારને આડે હાથ લેતા રહે છે . આ અગાઉ તેમણે ભરૂચમાં દારૂબંધી કાયદાના કેવી રીતે ધજાગરા ઉડે તે બતાવવા માટે અનેક વીડિયો  વાયરલ કર્યા હતા. પોલીસ અધિકારીઓ પર તો કટાક્ષ કર્યો પરંતુ તેમણે ભાજપનું પણ નામ લીધું હતું.  હપ્તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત છેક , BJP કાર્યાલય કમલમ સુધી પહોંચે છે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે એ વાતનો આપણે અસ્વીકાર નહીં કરી શકીએ કે આદિવાસી વિસ્તારો. અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત છે, પાયાની સુવિધાથી વંચિત છે..    

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.