ડેડિયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ ભ્રષ્ટાચારને લઈ સરકાર સામે મોરચો ખોલ્યો! સરકાર પર આકરા પ્રહાર કરતા શું કહ્યું સાંભળો


  • Published By :
  • Published Date : 2024-07-17 09:41:21

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી ખોખલો કરી નાખે છે. અને જયારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય તો તો પછી કહેવું જ શું. આખી સિસ્ટમને અંદરથી કોરી ખાય છે. નાગરિકો પાયાની સવલતોથી વંચિત રહે છે અને વિકાસ ગામના છેવાડા સુધી નથી પહોંચી શકતો. ગુજરાતના આદિવાસી વિસ્તારો અગાઉથી પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પણ નથી પહોંચી.. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ  ભ્રષ્ટાચારને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે . 

ભ્રષ્ટાચારને લઈ ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર  

ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ છોટાઉદેપુરના કાર્યકર્તાઓ સાથે મુલાકાત લીધી છે . તે દરમિયાન તેમણે સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, નસવાડી તાલુકામાં સરકારી કામોમાં ખુબ જ ભ્રષ્ટાચાર થાય છે, આ વિસ્તારમાં જે પણ રોડ રસ્તા બન્યા છે તે એક જ વર્ષમાં પહેલા વરસાદમાં ધોવાઈ ગયા છે . નાળાઓ પણ તૂટી ગયા છે. જ્યારે આ કરોડો રૂપિયા ખર્ચીને રસ્તાઓ બનાવવામાં આવતા હોય ત્યારે , સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની મીલીભગત હશે ત્યારેજ આ રસ્તાઓનું ધોવાણ થાય છે. 



નલ સે જલને લઈ ચૈતર વસાવાએ કહી આ વાત

વધુમાં કહ્યું કે સરકારની ''નલ સે જલ '' યોજનાની પણ ફરિયાદ આવી છે. સામાન્ય નાગરિકને જરૂરી હોય એવા જાતિના દાખલા હોય કે પછી આવકના દાખલા હોય અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં નાનામાં નાનું કામ કરવા માટે પણ પૈસા ચૂકવવા પડે છે. ઉલ્લેખનિય છે કે નલ સે જલ યોજનામાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે કારણ કે અનેક ઘરો એવા છે જ્યાં નળ છે તો પાઈપલાઈન નથી, પાઈપ લાઈન છે તો નળ નથી અને જ્યાં બધુ જ છે તો ત્યાં પાણી નથી. 



થોડા સમય પહેલા દારૂને લઈ અનેક વીડિયો કર્યા હતા વાયરલ

AAP MLA ચૈતર વસાવા અવાર નવાર સરકારને આડે હાથ લેતા રહે છે . આ અગાઉ તેમણે ભરૂચમાં દારૂબંધી કાયદાના કેવી રીતે ધજાગરા ઉડે તે બતાવવા માટે અનેક વીડિયો  વાયરલ કર્યા હતા. પોલીસ અધિકારીઓ પર તો કટાક્ષ કર્યો પરંતુ તેમણે ભાજપનું પણ નામ લીધું હતું.  હપ્તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત છેક , BJP કાર્યાલય કમલમ સુધી પહોંચે છે તેવી વાત તેમણે કરી હતી. મહત્વનું છે કે એ વાતનો આપણે અસ્વીકાર નહીં કરી શકીએ કે આદિવાસી વિસ્તારો. અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત છે, પાયાની સુવિધાથી વંચિત છે..    

 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .