Dediapadaના ધારાસભ્ય Chaitar Vasavaને કોર્ટમાં કરાયા રજૂ, આટલા દિવસના રિમાન્ડની કરાઈ માગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-15 13:32:06

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યુ. વન વિભાગના કર્મીચારી ધમકાવા અને મારપીટ કરવાના આરોપો ચૈતર વસાવા પર લાગ્યા હતા. આને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તેઓ ફરાર હતા. એક મહિના બાદ ગઈકાલે તેમણે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના જામીન મંજુર કર્યા છે.  

ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વનકર્મીને ધમકાવવા તેમજ મારપીટ કરવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા, પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. પરમ દિવસે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને છોડી તેની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે તો સમાચાર આવ્યા કે ચૈતર વસાવા આત્મસમર્પણ કરવાના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થાય તે પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા. ગઈકાલે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડને મંજૂર કરી દીધા છે. 

 

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.