Dediapadaના ધારાસભ્ય Chaitar Vasavaને કોર્ટમાં કરાયા રજૂ, આટલા દિવસના રિમાન્ડની કરાઈ માગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-15 13:32:06

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યુ. વન વિભાગના કર્મીચારી ધમકાવા અને મારપીટ કરવાના આરોપો ચૈતર વસાવા પર લાગ્યા હતા. આને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તેઓ ફરાર હતા. એક મહિના બાદ ગઈકાલે તેમણે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના જામીન મંજુર કર્યા છે.  

ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વનકર્મીને ધમકાવવા તેમજ મારપીટ કરવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા, પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. પરમ દિવસે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને છોડી તેની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે તો સમાચાર આવ્યા કે ચૈતર વસાવા આત્મસમર્પણ કરવાના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થાય તે પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા. ગઈકાલે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડને મંજૂર કરી દીધા છે. 

 

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 




પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.