Dediapadaના ધારાસભ્ય Chaitar Vasavaને કોર્ટમાં કરાયા રજૂ, આટલા દિવસના રિમાન્ડની કરાઈ માગ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 13:32:06

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યુ. વન વિભાગના કર્મીચારી ધમકાવા અને મારપીટ કરવાના આરોપો ચૈતર વસાવા પર લાગ્યા હતા. આને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તેઓ ફરાર હતા. એક મહિના બાદ ગઈકાલે તેમણે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના જામીન મંજુર કર્યા છે.  

ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વનકર્મીને ધમકાવવા તેમજ મારપીટ કરવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા, પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. પરમ દિવસે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને છોડી તેની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે તો સમાચાર આવ્યા કે ચૈતર વસાવા આત્મસમર્પણ કરવાના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થાય તે પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા. ગઈકાલે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડને મંજૂર કરી દીધા છે. 

 

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 




બનાસકાંઠા અને પાટણ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધી પ્રચાર કરવાના છે.. બનાસકાંઠાના લાખણીમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...