Dediapadaના ધારાસભ્ય Chaitar Vasavaને કોર્ટમાં કરાયા રજૂ, આટલા દિવસના રિમાન્ડની કરાઈ માગ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-15 13:32:06

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મસર્મપણ કર્યુ. વન વિભાગના કર્મીચારી ધમકાવા અને મારપીટ કરવાના આરોપો ચૈતર વસાવા પર લાગ્યા હતા. આને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તેઓ ફરાર હતા. એક મહિના બાદ ગઈકાલે તેમણે ડેડીયાપાડા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ચૈતર વસાવાને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના જામીન મંજુર કર્યા છે.  

ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વનકર્મીને ધમકાવવા તેમજ મારપીટ કરવા બદલ ચૈતર વસાવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારથી પોલીસ ફરિયાદ થઈ ત્યારથી ચૈતર વસાવા ફરાર હતા, પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી. પરમ દિવસે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીને છોડી તેની ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે તો સમાચાર આવ્યા કે ચૈતર વસાવા આત્મસમર્પણ કરવાના છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. પોલીસ સમક્ષ ચૈતર વસાવા હાજર થાય તે પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા. ગઈકાલે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટે તેમના ત્રણ દિવસના રિમાન્ડને મંજૂર કરી દીધા છે. 

 

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.