Dediapadaના ધારાસભ્ય Chaitar Vasava આજે થશે જેલમુક્ત, ધારાસભ્યના સ્વાગતમાં કરાયું કાર્યક્રમનું આયોજન! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-01 09:13:43

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન ઘણા સમય પહેલા મળી ગયા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા ન હતા. ચૈતર વસાવાના પત્નીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે. આજે સુનાવણી થવાની છે. ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે તેવી માહિતી સામે આવી છે. 10 વાગે તે જેલ મુક્ત થવાના છે.   


10 વાગે જેલની બહાર આવશે ચૈતર વસાવા 

વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં  ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્યના પત્ની શકુન્તલા વસાવા સહિત 9 લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને તો શરતી જામીન મળી ગયા પરંતુ બીજા અનેક લોકોને જામીન મળવાના બાકી છે. તેમના પત્નીના જામીન અંગેની સુનાવણી આજે થવાની છે.    આજે 10 વાગે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે. ધારાસભ્ય જેલની બહાર ક્યારે આવશે તેની રાહ તેમના સમર્થકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.


શકુંતલા વસાવાના જામીન અરજી પર આજે થશે સુનાવણી  

ધારાસભ્ય બહાર આવવાના છે તેના ભાગરૂપે અનેક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં શકુંતલાબેન સહીત ત્રણ લોકોની જામીન માટેની અરજી પર સુનવણી થશે અને જો નામદાર કોર્ટ જામીન મંજુર કરશે તો ચારેય જેલમાંથી મુક્તિ મળતા લોકો સમક્ષ આવશે. સંભવિત રીતે ધારાસભ્યના પત્ની શકુંતલાબેન તેમના પી.એ. અને ખેડૂત મિત્ર ત્રણના જામીન મંજૂર થાય અને ડેડીયાપાડા કોર્ટમાં બીડું લઈને જિલ્લા કોર્ટમાં પરત આવે ત્યાં સુધીમાં સાંજ પડી જાય એટલે એકલા ધારાસભ્ય ચૈતર વસાવા વહેલા 10 કલાકે પણ પોતાનું જામીન અંગેનું બીડું જિલ્લા કોર્ટમાં જમા કરાવી નીકળી શકે છે.


જિલ્લામાં વધારાઈ સુરક્ષા! 

આજે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો સ્વાગત માટે પહોંચવાના છે. ચૈતર વસાવા શરતી જમીન પર છૂટયા છે એટલે કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હદપાર જવાનું હોય છે. કાર્યકરોએ મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો છે અને નર્મદામાં જેટલા કલાક રહેવાનું હોય એમાં દેવમોગરા માતાજીના મંદિરના દર્શન કરવા જવાના છે અને કાર્યક્રરોને મળીને હદપાર જવા રવાના થશે. નર્મદા પોલીસ પણ  આને લઈ એલર્ટ થઈ ગઈ છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેલમાંથી બહાર આવીને ધારાસભ્ય શું કહે છે તેની પર સૌ કોઈની નજર છે. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.