Dediapadaના ધારાસભ્ય Chaitar Vasava આજે થશે જેલમુક્ત, ધારાસભ્યના સ્વાગતમાં કરાયું કાર્યક્રમનું આયોજન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 09:13:43

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવવાના છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન ઘણા સમય પહેલા મળી ગયા હતા. ચૈતર વસાવાને તો જામીન મળી ગયા હતા પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવાને જામીન મળ્યા ન હતા. ચૈતર વસાવાના પત્નીની જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી છે. આજે સુનાવણી થવાની છે. ચૈતર વસાવા આજે જેલની બહાર આવશે તેવી માહિતી સામે આવી છે. 10 વાગે તે જેલ મુક્ત થવાના છે.   


10 વાગે જેલની બહાર આવશે ચૈતર વસાવા 

વનકર્મીઓને ધમકાવી 60 હજાર રૂપિયા પડાવી લેવાના ગુનામાં  ધારાસભ્ય ચૈતર વસાવા, ધારાસભ્યના પત્ની શકુન્તલા વસાવા સહિત 9 લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ચૈતર વસાવાને તો શરતી જામીન મળી ગયા પરંતુ બીજા અનેક લોકોને જામીન મળવાના બાકી છે. તેમના પત્નીના જામીન અંગેની સુનાવણી આજે થવાની છે.    આજે 10 વાગે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે. ધારાસભ્ય જેલની બહાર ક્યારે આવશે તેની રાહ તેમના સમર્થકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.


શકુંતલા વસાવાના જામીન અરજી પર આજે થશે સુનાવણી  

ધારાસભ્ય બહાર આવવાના છે તેના ભાગરૂપે અનેક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે. લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં શકુંતલાબેન સહીત ત્રણ લોકોની જામીન માટેની અરજી પર સુનવણી થશે અને જો નામદાર કોર્ટ જામીન મંજુર કરશે તો ચારેય જેલમાંથી મુક્તિ મળતા લોકો સમક્ષ આવશે. સંભવિત રીતે ધારાસભ્યના પત્ની શકુંતલાબેન તેમના પી.એ. અને ખેડૂત મિત્ર ત્રણના જામીન મંજૂર થાય અને ડેડીયાપાડા કોર્ટમાં બીડું લઈને જિલ્લા કોર્ટમાં પરત આવે ત્યાં સુધીમાં સાંજ પડી જાય એટલે એકલા ધારાસભ્ય ચૈતર વસાવા વહેલા 10 કલાકે પણ પોતાનું જામીન અંગેનું બીડું જિલ્લા કોર્ટમાં જમા કરાવી નીકળી શકે છે.


જિલ્લામાં વધારાઈ સુરક્ષા! 

આજે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો સ્વાગત માટે પહોંચવાના છે. ચૈતર વસાવા શરતી જમીન પર છૂટયા છે એટલે કાયદાના નિયમ પ્રમાણે જેલમાંથી છૂટી અમુક કલાક બાદ હદપાર જવાનું હોય છે. કાર્યકરોએ મોવી ચોકડી ખાતે જાહેર સ્વાગત કાર્યક્રમ રાખ્યો છે અને નર્મદામાં જેટલા કલાક રહેવાનું હોય એમાં દેવમોગરા માતાજીના મંદિરના દર્શન કરવા જવાના છે અને કાર્યક્રરોને મળીને હદપાર જવા રવાના થશે. નર્મદા પોલીસ પણ  આને લઈ એલર્ટ થઈ ગઈ છે. સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેલમાંથી બહાર આવીને ધારાસભ્ય શું કહે છે તેની પર સૌ કોઈની નજર છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે