ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી, શું હતો સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2023-05-24 19:11:55

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વર્ષ 2021 માં થયેલા ઝગડા મામલે કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવા સહિત 10 લોકોને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે થયેલા ઝગડા મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે તે સમયે ચૈતર વસાવા BTPના યુવા નેતા હતા.


સમગ્ર  મામલો શું હતો?


ગત વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવા એ ચૈતર વસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021 ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયાના અન્ય 6 સવારે માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા. એ સમયે ચૈતર વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાંઆવી બુમો પાડી કહ્યું હતું કે “આ વખતે સરપંચની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે. તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. તેમની સાથેના ટોળાના માણસ હોય એમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.


સજા ભોગવવી પડશે નહીં 


ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 શ્ખ્સોને નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી, જજ આર.એન.જોશીએ ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. જો કે ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમો ને સજા ભોગવવા ની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000/- ના જાત જામીન આપવાનાં અને દંડ ની રકમ 15 દિવસ મા કોર્ટ માં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો હતો.


આ લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ


ચૈતર વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિત ના લોકોએ તાપણું કરવા બેસેલા અન્ય ને પણ ગડદા પાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .