ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી, શું હતો સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2023-05-24 19:11:55

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વર્ષ 2021 માં થયેલા ઝગડા મામલે કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. કોર્ટે ચૈતર વસાવા સહિત 10 લોકોને કોર્ટે 6 મહિનાની સજા ફટકારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે થયેલા ઝગડા મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે તે સમયે ચૈતર વસાવા BTPના યુવા નેતા હતા.


સમગ્ર  મામલો શું હતો?


ગત વર્ષ 2021 ના સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી સમયે થયેલા ઝગડા બાબતે બોગજ ગામના ફરિયાદી સતિષ કુંવરજી વસાવા એ ચૈતર વસાવા સહિત 10 ના ટોળા સામે ડેડીયાપાડા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તારીખ 19-12-2021 ના રોજ વહેલી સવારે પોતાના ઘર આગળ ફળિયાના અન્ય 6 સવારે માણસો સાથે બેસી તાપણું કરી રહ્યા હતા. એ સમયે ચૈતર વસાવા સહિત અન્ય 10 જણાનું ટોળું ત્યાંઆવી બુમો પાડી કહ્યું હતું કે “આ વખતે સરપંચની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઉભો રાખેલ છે. તમે અને તમારા ઉમેદવાર કેવી રીતે જીતે છે, તે અમે જોઈ લઈશું. તેમની સાથેના ટોળાના માણસ હોય એમને બધાને તમને મારી નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી માર મારતા અને સળગતા લાકડાથી ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો.


સજા ભોગવવી પડશે નહીં 


ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 શ્ખ્સોને નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે સજા ફટકારી હતી, જજ આર.એન.જોશીએ ડેડીયાપાડાના ધારસભ્ય ચૈતરભાઈ વસાવા સહિત અન્ય 10 ને 6 માસ ની સાદી કેદ અને 1 હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો. જો કે ચૈતર વસાવા સહિત અન્ય 10 ઈસમો ને સજા ભોગવવા ની જરૂરિયાત રહેશે નહીં ને તેની જગ્યા એ તેમણે એ સી.આર.પી.સી ની કલમ 360 મુજબ સારી વર્તુણક માટે શરતો ને આધીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને દરેક ને રૂ.20,000/- ના જાત જામીન આપવાનાં અને દંડ ની રકમ 15 દિવસ મા કોર્ટ માં જમા કરાવવાની રહેશે તેવો ચુકાદો કોર્ટે દ્વારા આપવામાં આવ્યો હતો.


આ લોકો સામે નોંધાઈ હતી ફરિયાદ


ચૈતર વસાવા, શાંતિલાલ દામજીભાઈ વસાવા, સંજયભાઈ રૂપજીભાઈ વસાવા, જીતેન્દ્રભાઈ નાથાલાલ વસાવા, મુકેશભાઈ છત્રસિંહ વસાવા, ઈશ્વરભાઈ મૂળજીભાઈ વસાવા અને અન્ય વિજય ચુનીલાલ વસાવા, ગણેશ રાવલજી વસાવા, રતિલાલ મંગા વસાવા, અને જયરામ ગોવિંદ વસાવા સહિત ના લોકોએ તાપણું કરવા બેસેલા અન્ય ને પણ ગડદા પાટુનો માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.