Dediyapadaના MLA Chaitar Vasava Dahod પહોંચ્યા પીડિત પરીવારને મળીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-26 16:33:11

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.. મોડી રાત્રે પણ દીકરીઓ ઘરની બહાર નીકળી શકે છે.. પરંતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈ થાય કે દીકરીઓ હવે સુરક્ષિત નથી.. અનેક કિસ્સાઓ એવા છે જેમાં દીકરીની આસપાસના લોકો તેને હવસનો શિકાર બનાવે છે.. અનેક ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચાઓ થાય છે જ્યારે અનેક ઘટનાઓ એવી હોય જેની ચર્ચાઓ થતી હોય છે. તેમાની એક ઘટના છે દાહોદની ઘટના.. 6 વર્ષની બાળકીને તેની જ શાળાના આચાર્યે જબરદસ્તી કરવાની કોશિશ કરી. દીકરી બૂમો ના પાડે એટલા માટે આચાર્યે તેને મોતને ઘાટ ઉતારી દીધી.. 

જ્યારે જમાવટની ટીમ મૃતકના પરિવારને મળી હતી 

આ પરિવાર સાથે અનેક લોકોની સંવેદના છે.. બાળકીને ન્યાય મળે તેવી પરિવારજનોને આશા છે.. જમાવટની ટીમ જ્યારે મૃતક બાળકીના ઘરે ગઈ હતી ત્યારે તેના માતા પિતાએ એક જ વાત કરી હતી અમને ન્યાય જોઈએ.. આચાર્યને ફાંસી થવી જોઈએ તેવી તેમની માગ હતી.. મૃતકના પરિવારને મળવા માટે અલગ અલગ રાજનેતાઓ જઈ રહ્યા છે. ચૈતર વસાવાએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારને ન્યાય મળે તેવી વાત કરી હતી.. 


ભાજપ પર ચૈતર વસાવાએ સાધ્યું નિશાન 

નિવેદન આપતા એક વાત કરી જેની પણ ચર્ચા થઈ રહી છે.. નિવેદનમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના વિશે ગુજરાતના અનેક મંત્રીઓએ ટ્વિટ કરી હતી પરંતુ દાહોદમાં બનેલી ઘટના વિશે વાત નથી કરી. ના તો ટ્વિટ કરી છે. મુખ્યમંત્રીએ પણ પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી હતી, પરંતુ આ મુદ્દે તેમણે પણ ટ્વિટ નથી કરી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.