Dediyapadaના MLA Chaitar Vasava Dahod પહોંચ્યા પીડિત પરીવારને મળીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-26 16:33:11

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.. મોડી રાત્રે પણ દીકરીઓ ઘરની બહાર નીકળી શકે છે.. પરંતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈ થાય કે દીકરીઓ હવે સુરક્ષિત નથી.. અનેક કિસ્સાઓ એવા છે જેમાં દીકરીની આસપાસના લોકો તેને હવસનો શિકાર બનાવે છે.. અનેક ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચાઓ થાય છે જ્યારે અનેક ઘટનાઓ એવી હોય જેની ચર્ચાઓ થતી હોય છે. તેમાની એક ઘટના છે દાહોદની ઘટના.. 6 વર્ષની બાળકીને તેની જ શાળાના આચાર્યે જબરદસ્તી કરવાની કોશિશ કરી. દીકરી બૂમો ના પાડે એટલા માટે આચાર્યે તેને મોતને ઘાટ ઉતારી દીધી.. 

જ્યારે જમાવટની ટીમ મૃતકના પરિવારને મળી હતી 

આ પરિવાર સાથે અનેક લોકોની સંવેદના છે.. બાળકીને ન્યાય મળે તેવી પરિવારજનોને આશા છે.. જમાવટની ટીમ જ્યારે મૃતક બાળકીના ઘરે ગઈ હતી ત્યારે તેના માતા પિતાએ એક જ વાત કરી હતી અમને ન્યાય જોઈએ.. આચાર્યને ફાંસી થવી જોઈએ તેવી તેમની માગ હતી.. મૃતકના પરિવારને મળવા માટે અલગ અલગ રાજનેતાઓ જઈ રહ્યા છે. ચૈતર વસાવાએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારને ન્યાય મળે તેવી વાત કરી હતી.. 


ભાજપ પર ચૈતર વસાવાએ સાધ્યું નિશાન 

નિવેદન આપતા એક વાત કરી જેની પણ ચર્ચા થઈ રહી છે.. નિવેદનમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના વિશે ગુજરાતના અનેક મંત્રીઓએ ટ્વિટ કરી હતી પરંતુ દાહોદમાં બનેલી ઘટના વિશે વાત નથી કરી. ના તો ટ્વિટ કરી છે. મુખ્યમંત્રીએ પણ પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી હતી, પરંતુ આ મુદ્દે તેમણે પણ ટ્વિટ નથી કરી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.