Dediyapadaના MLA Chaitar Vasava Dahod પહોંચ્યા પીડિત પરીવારને મળીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-26 16:33:11

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે.. મોડી રાત્રે પણ દીકરીઓ ઘરની બહાર નીકળી શકે છે.. પરંતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈ થાય કે દીકરીઓ હવે સુરક્ષિત નથી.. અનેક કિસ્સાઓ એવા છે જેમાં દીકરીની આસપાસના લોકો તેને હવસનો શિકાર બનાવે છે.. અનેક ઘટનાઓ એવી હોય છે જેની ચર્ચાઓ થાય છે જ્યારે અનેક ઘટનાઓ એવી હોય જેની ચર્ચાઓ થતી હોય છે. તેમાની એક ઘટના છે દાહોદની ઘટના.. 6 વર્ષની બાળકીને તેની જ શાળાના આચાર્યે જબરદસ્તી કરવાની કોશિશ કરી. દીકરી બૂમો ના પાડે એટલા માટે આચાર્યે તેને મોતને ઘાટ ઉતારી દીધી.. 

જ્યારે જમાવટની ટીમ મૃતકના પરિવારને મળી હતી 

આ પરિવાર સાથે અનેક લોકોની સંવેદના છે.. બાળકીને ન્યાય મળે તેવી પરિવારજનોને આશા છે.. જમાવટની ટીમ જ્યારે મૃતક બાળકીના ઘરે ગઈ હતી ત્યારે તેના માતા પિતાએ એક જ વાત કરી હતી અમને ન્યાય જોઈએ.. આચાર્યને ફાંસી થવી જોઈએ તેવી તેમની માગ હતી.. મૃતકના પરિવારને મળવા માટે અલગ અલગ રાજનેતાઓ જઈ રહ્યા છે. ચૈતર વસાવાએ મૃતક દીકરીના પરિવારની મુલાકાત લીધી હતી. પરિવારને ન્યાય મળે તેવી વાત કરી હતી.. 


ભાજપ પર ચૈતર વસાવાએ સાધ્યું નિશાન 

નિવેદન આપતા એક વાત કરી જેની પણ ચર્ચા થઈ રહી છે.. નિવેદનમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું.. પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના વિશે ગુજરાતના અનેક મંત્રીઓએ ટ્વિટ કરી હતી પરંતુ દાહોદમાં બનેલી ઘટના વિશે વાત નથી કરી. ના તો ટ્વિટ કરી છે. મુખ્યમંત્રીએ પણ પશ્ચિમ બંગાળની ઘટના પર ટ્વિટ કરી હતી, પરંતુ આ મુદ્દે તેમણે પણ ટ્વિટ નથી કરી.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .