વડોદરાની દીપક નાઈટ્રેટ કંપનીમાં બીજીવાર આગની ઘટના, કંપની સામે થયા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 20:58:36

વડોદરાના નંદેસરી વિસ્તારમાં છાણી રોડ પર આવેલી 50 વર્ષ જૂની દીપક નાઈટ્રેટ કંપનીમાં ગઈકાલે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ નંદરેસરી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. દીપક નાઈટ્રેટ કંપનીમાં સોડિયમ નાઈટ્રેટ કેમિકલનો કાચો માલ, એમોનિયા વગેરે રખાય છે. 


બીજીવાર આગની ઘટના


દીપક નાઈટ્રેટમાં આ બીજીવાર આગનો બનાવ બન્યો છે, આ ઘટનામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. જો કે એક સવાલ અહીં એ ઉઠે કે એક વાર બનેલી ઘટનાથી દીપક નાઈટ્રેટ કંપનીના ચેરમેન દીપક મેહતાએ કોઈ શીખ કેમ લીધી નહીં? દીપક નાઈટ્રેટ ખાલી વડોદરામાં જ નથી ઓપરેટ કરતી. દુનિયાના અનેક દેશોમાં પણ દીપક નાઈટ્રેટની સર્વિસ વિસ્તરેલી છે. કંપનીની વેબસાઈટમાં કંપની વિશે વન ઓફ ધ ફોર્ટી ગ્રુપ ઈન ઈન્ડિયા સર્ટિફાઈડ વીથ રિસ્પોન્સિબલ કેર લખાયું છે. જો કે વિવિધ પ્રકારની 56થી વધુ સેવા આપતી દીપક નાઈટ્રેટને હાલ બીજી આગની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.


અગાઉ પણ બની હતી આગની ઘટના


દીપક નાઈટ્રેટ કંપનીમાં અગાઉ પણ જુન 2022માં બોઈલર ફાટવાની ઘટના બની હતી. તે વખતે ત્રણ બ્લાસ્ટ થયા હતા. જેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગ લાગતા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ બનાવ્યો અને હેડ ઓફિસમાં મોકલાવ્યો હતો. પર્યાવરણને નુકસાન મામલે દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરાઈ હતી. 2022માં દીપક નાઈટ્રેટ કંપનીનું ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પ્રોડક્શન બંધ કરાવ્યું હતું. વિસ્ફોટ થતાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ મંગાયા હતા. દીપક નાઈટ્રેટ જૂની ઘટનામાંથી કોઈ બોધપાઠ નથી લીધો ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર આગ લાગવાની ઘટના પર તપાસ કરવા કંઈ કરશે કે નહીં તે જોવાનું રહેશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.