વડોદરાની દીપક નાઈટ્રેટ કંપનીમાં બીજીવાર આગની ઘટના, કંપની સામે થયા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 20:58:36

વડોદરાના નંદેસરી વિસ્તારમાં છાણી રોડ પર આવેલી 50 વર્ષ જૂની દીપક નાઈટ્રેટ કંપનીમાં ગઈકાલે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ નંદરેસરી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. દીપક નાઈટ્રેટ કંપનીમાં સોડિયમ નાઈટ્રેટ કેમિકલનો કાચો માલ, એમોનિયા વગેરે રખાય છે. 


બીજીવાર આગની ઘટના


દીપક નાઈટ્રેટમાં આ બીજીવાર આગનો બનાવ બન્યો છે, આ ઘટનામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. જો કે એક સવાલ અહીં એ ઉઠે કે એક વાર બનેલી ઘટનાથી દીપક નાઈટ્રેટ કંપનીના ચેરમેન દીપક મેહતાએ કોઈ શીખ કેમ લીધી નહીં? દીપક નાઈટ્રેટ ખાલી વડોદરામાં જ નથી ઓપરેટ કરતી. દુનિયાના અનેક દેશોમાં પણ દીપક નાઈટ્રેટની સર્વિસ વિસ્તરેલી છે. કંપનીની વેબસાઈટમાં કંપની વિશે વન ઓફ ધ ફોર્ટી ગ્રુપ ઈન ઈન્ડિયા સર્ટિફાઈડ વીથ રિસ્પોન્સિબલ કેર લખાયું છે. જો કે વિવિધ પ્રકારની 56થી વધુ સેવા આપતી દીપક નાઈટ્રેટને હાલ બીજી આગની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.


અગાઉ પણ બની હતી આગની ઘટના


દીપક નાઈટ્રેટ કંપનીમાં અગાઉ પણ જુન 2022માં બોઈલર ફાટવાની ઘટના બની હતી. તે વખતે ત્રણ બ્લાસ્ટ થયા હતા. જેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગ લાગતા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ બનાવ્યો અને હેડ ઓફિસમાં મોકલાવ્યો હતો. પર્યાવરણને નુકસાન મામલે દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરાઈ હતી. 2022માં દીપક નાઈટ્રેટ કંપનીનું ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પ્રોડક્શન બંધ કરાવ્યું હતું. વિસ્ફોટ થતાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ મંગાયા હતા. દીપક નાઈટ્રેટ જૂની ઘટનામાંથી કોઈ બોધપાઠ નથી લીધો ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર આગ લાગવાની ઘટના પર તપાસ કરવા કંઈ કરશે કે નહીં તે જોવાનું રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.