વડોદરાની દીપક નાઈટ્રેટ કંપનીમાં બીજીવાર આગની ઘટના, કંપની સામે થયા અનેક સવાલ


  • Published By :
  • Published Date : 2023-02-07 20:58:36

વડોદરાના નંદેસરી વિસ્તારમાં છાણી રોડ પર આવેલી 50 વર્ષ જૂની દીપક નાઈટ્રેટ કંપનીમાં ગઈકાલે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં જ નંદરેસરી ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. દીપક નાઈટ્રેટ કંપનીમાં સોડિયમ નાઈટ્રેટ કેમિકલનો કાચો માલ, એમોનિયા વગેરે રખાય છે. 


બીજીવાર આગની ઘટના


દીપક નાઈટ્રેટમાં આ બીજીવાર આગનો બનાવ બન્યો છે, આ ઘટનામાં જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. જો કે એક સવાલ અહીં એ ઉઠે કે એક વાર બનેલી ઘટનાથી દીપક નાઈટ્રેટ કંપનીના ચેરમેન દીપક મેહતાએ કોઈ શીખ કેમ લીધી નહીં? દીપક નાઈટ્રેટ ખાલી વડોદરામાં જ નથી ઓપરેટ કરતી. દુનિયાના અનેક દેશોમાં પણ દીપક નાઈટ્રેટની સર્વિસ વિસ્તરેલી છે. કંપનીની વેબસાઈટમાં કંપની વિશે વન ઓફ ધ ફોર્ટી ગ્રુપ ઈન ઈન્ડિયા સર્ટિફાઈડ વીથ રિસ્પોન્સિબલ કેર લખાયું છે. જો કે વિવિધ પ્રકારની 56થી વધુ સેવા આપતી દીપક નાઈટ્રેટને હાલ બીજી આગની ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.


અગાઉ પણ બની હતી આગની ઘટના


દીપક નાઈટ્રેટ કંપનીમાં અગાઉ પણ જુન 2022માં બોઈલર ફાટવાની ઘટના બની હતી. તે વખતે ત્રણ બ્લાસ્ટ થયા હતા. જેનો અવાજ 15 કિલોમીટર દૂર સુધી પહોંચ્યો હતો. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આગ લાગતા પર્યાવરણને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ બનાવ્યો અને હેડ ઓફિસમાં મોકલાવ્યો હતો. પર્યાવરણને નુકસાન મામલે દંડાત્મક કાર્યવાહીની પણ વાત કરાઈ હતી. 2022માં દીપક નાઈટ્રેટ કંપનીનું ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પ્રોડક્શન બંધ કરાવ્યું હતું. વિસ્ફોટ થતાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ મંગાયા હતા. દીપક નાઈટ્રેટ જૂની ઘટનામાંથી કોઈ બોધપાઠ નથી લીધો ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વારંવાર આગ લાગવાની ઘટના પર તપાસ કરવા કંઈ કરશે કે નહીં તે જોવાનું રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.