Deepika Padukone - Ranveer Singh બનવાના છે માતા પિતા, Social Media પર શેર કરી ખુશખબરી.. ફેન્સ અનેરા ઉત્સાહમાં..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 12:19:28

થોડા મહિનાઓની અંદર બોલિવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં પારણું બંધાવાનું છે. જલ્દી જ દીપિકા અને રણવીર માતા પિતા બનવાના છે. આ ખુશખબરની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી પોતાના ફેન્સને ખુશખબરી આપી હતી. દીપિકાની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થશે. ખુશખબરી સામે આવ્યા બાદ કપલને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા Deepika Padukone, RanveerSingh , Pregnancy જેવા # ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ખુશખબરી આપ્યા બાદ ફેન્સ તેમને આપી રહ્યા છે શુભેચ્છા

સોશિયલ મીડિયા પર અનેક બોલિવુડ સ્ટાર ચર્ચામાં રહેતા હોય છે. અપકમિંગ ફિલ્મને લઈ અથવા તો કોઈ સમાચારને લઈ તેમની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હોય છે. ત્યારે આ વખતે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ટ્રેન્ડ થઈ રહ્યા છે. દીપિકા અને રણવીરસિંહે સરપ્રાઈઝ આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જેનાંથી તેમના ફેન્સ ખુશ ખુશ થઈ ગયા. થોડા સમયની અંદર દિપીકા-રણવીરસિંહ માતા પિતા બનવા ગઈ રહ્યા છે. થોડા મહિનાની અંદર તેમનાં ત્યાં પારણું બંધાવાનું છે. આ સમાચાર સામે આવતા તેમના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે તે પ્રેગ્નેટ છે અને જલ્દી માતા પિતા બનવાના છે. ના માત્ર ફેન્સ પરંતુ બોલિવુડ સ્ટાર્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

Deepika Padukone Ranveer Singh Latest Pics


સપ્ટેમ્બર મહિનામાં દીપિકાની થવાની છે ડિલીવરી

દીપિકા પાદુકોણના લગ્ન 2018માં રણવીરસિંહ સાથે થયા છે. છ વર્ષ સુધી તેમણે ડેટિંગ કર્યું અને પછી તે લગ્ન સંબંધમાં બંધાયા હતા. ફેન્સ ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે આ કપલ તરફથી ખુશખબરી શેર કરવામાં આવે. અનેક વખત એવી પણ ચર્ચાઓ થઈ કે દીપિકા પ્રગ્નેન્ટ છે પરંતુ તે છુપાવી રહી છે પરંતુ હવે કપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે સિંગાપોર વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માત્ર બે મહિના પહેલાની વાત છે.   



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.