Deepika Padukone - Ranveer Singh બનવાના છે માતા પિતા, Social Media પર શેર કરી ખુશખબરી.. ફેન્સ અનેરા ઉત્સાહમાં..


  • Published By :
  • Published Date : 2024-02-29 12:19:28

થોડા મહિનાઓની અંદર બોલિવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં પારણું બંધાવાનું છે. જલ્દી જ દીપિકા અને રણવીર માતા પિતા બનવાના છે. આ ખુશખબરની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી પોતાના ફેન્સને ખુશખબરી આપી હતી. દીપિકાની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થશે. ખુશખબરી સામે આવ્યા બાદ કપલને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા Deepika Padukone, RanveerSingh , Pregnancy જેવા # ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ખુશખબરી આપ્યા બાદ ફેન્સ તેમને આપી રહ્યા છે શુભેચ્છા

સોશિયલ મીડિયા પર અનેક બોલિવુડ સ્ટાર ચર્ચામાં રહેતા હોય છે. અપકમિંગ ફિલ્મને લઈ અથવા તો કોઈ સમાચારને લઈ તેમની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હોય છે. ત્યારે આ વખતે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ટ્રેન્ડ થઈ રહ્યા છે. દીપિકા અને રણવીરસિંહે સરપ્રાઈઝ આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જેનાંથી તેમના ફેન્સ ખુશ ખુશ થઈ ગયા. થોડા સમયની અંદર દિપીકા-રણવીરસિંહ માતા પિતા બનવા ગઈ રહ્યા છે. થોડા મહિનાની અંદર તેમનાં ત્યાં પારણું બંધાવાનું છે. આ સમાચાર સામે આવતા તેમના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે તે પ્રેગ્નેટ છે અને જલ્દી માતા પિતા બનવાના છે. ના માત્ર ફેન્સ પરંતુ બોલિવુડ સ્ટાર્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

Deepika Padukone Ranveer Singh Latest Pics


સપ્ટેમ્બર મહિનામાં દીપિકાની થવાની છે ડિલીવરી

દીપિકા પાદુકોણના લગ્ન 2018માં રણવીરસિંહ સાથે થયા છે. છ વર્ષ સુધી તેમણે ડેટિંગ કર્યું અને પછી તે લગ્ન સંબંધમાં બંધાયા હતા. ફેન્સ ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે આ કપલ તરફથી ખુશખબરી શેર કરવામાં આવે. અનેક વખત એવી પણ ચર્ચાઓ થઈ કે દીપિકા પ્રગ્નેન્ટ છે પરંતુ તે છુપાવી રહી છે પરંતુ હવે કપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે સિંગાપોર વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માત્ર બે મહિના પહેલાની વાત છે.   



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.