Deepika Padukone - Ranveer Singh બનવાના છે માતા પિતા, Social Media પર શેર કરી ખુશખબરી.. ફેન્સ અનેરા ઉત્સાહમાં..


  • Published By :
  • Published Date : 2024-02-29 12:19:28

થોડા મહિનાઓની અંદર બોલિવુડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ત્યાં પારણું બંધાવાનું છે. જલ્દી જ દીપિકા અને રણવીર માતા પિતા બનવાના છે. આ ખુશખબરની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી પોતાના ફેન્સને ખુશખબરી આપી હતી. દીપિકાની ડિલિવરી સપ્ટેમ્બર 2024માં થશે. ખુશખબરી સામે આવ્યા બાદ કપલને લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા Deepika Padukone, RanveerSingh , Pregnancy જેવા # ટ્રેન્ડ થઈ રહ્યા છે.

ખુશખબરી આપ્યા બાદ ફેન્સ તેમને આપી રહ્યા છે શુભેચ્છા

સોશિયલ મીડિયા પર અનેક બોલિવુડ સ્ટાર ચર્ચામાં રહેતા હોય છે. અપકમિંગ ફિલ્મને લઈ અથવા તો કોઈ સમાચારને લઈ તેમની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હોય છે. ત્યારે આ વખતે દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ટ્રેન્ડ થઈ રહ્યા છે. દીપિકા અને રણવીરસિંહે સરપ્રાઈઝ આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જેનાંથી તેમના ફેન્સ ખુશ ખુશ થઈ ગયા. થોડા સમયની અંદર દિપીકા-રણવીરસિંહ માતા પિતા બનવા ગઈ રહ્યા છે. થોડા મહિનાની અંદર તેમનાં ત્યાં પારણું બંધાવાનું છે. આ સમાચાર સામે આવતા તેમના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે તે પ્રેગ્નેટ છે અને જલ્દી માતા પિતા બનવાના છે. ના માત્ર ફેન્સ પરંતુ બોલિવુડ સ્ટાર્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

Deepika Padukone Ranveer Singh Latest Pics


સપ્ટેમ્બર મહિનામાં દીપિકાની થવાની છે ડિલીવરી

દીપિકા પાદુકોણના લગ્ન 2018માં રણવીરસિંહ સાથે થયા છે. છ વર્ષ સુધી તેમણે ડેટિંગ કર્યું અને પછી તે લગ્ન સંબંધમાં બંધાયા હતા. ફેન્સ ઘણા સમયથી રાહ જોતા હતા કે ક્યારે આ કપલ તરફથી ખુશખબરી શેર કરવામાં આવે. અનેક વખત એવી પણ ચર્ચાઓ થઈ કે દીપિકા પ્રગ્નેન્ટ છે પરંતુ તે છુપાવી રહી છે પરંતુ હવે કપલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે સિંગાપોર વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ માત્ર બે મહિના પહેલાની વાત છે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.