Deepotsav : Social Media પર વાયરલ થયો બાળકોનો વીડિયો જેમાં દીવામાંથી બાળકો કાઢી રહ્યા છે તેલ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 12:53:49

અયોધ્યામાં ભવ્ય રીતે દિવાળીની પૂર્વ સંધ્યા પહેલા દિપોત્સવ મનાવવામાં આવ્યો. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. લાખો દીવાડાની રોશનીથી આખી અયોધ્યા ઝળહળી ઉઠી હતી. ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જે જાકમજોળ અયોધ્યામાં કરવામાં આવી હતી તે દ્રશ્યો જોઈ અનેક લોકોની આંખો પહોંળી થઈ ગઈ હશે. પરંતુ ઉજવણી બાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે જોઈને આંખોના ખુણા ભીના થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાં વપરાયેલા તેલને ભરી રહ્યા છે. દીવામાં વપરાયેલા તેલથી તે બાળકોનો પરિવાર રસોઈ બનાવશે અને પોતાનું પેટ ભરશે. 

દિવાળી ઉજવણીના હતા મનમોહક દ્રશ્યો

દિવાળીના તહેવારની ઉજવણી આપણા દેશમાં ધામધૂમથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન રામ વનવાસ સમાપ્ત કરી અયોધ્યા પરત ફર્યા હતા તે ખુશીમાં અયોધ્યાવાસીઓએ દીવડા પ્રગટાવ્યા હતા. અને ત્યારથી દિવાળીના દિવસો દરમિયાન દીવડા પ્રગટાવવાની પરંપરા આપણે ત્યાં શરૂ થયું તેવું માનવામાં આવે છે. અનેક વર્ષો વીતિ ગયા પરંતુ આ તહેવારની ઉજવણી તેવી જ રીતે કરવામાં આવે છે. દીવડાઓ પ્રગટાવામાં આવે છે અને તહેવાર મનાવવામાં આવે છે. દિવાળી પર્વની ઉજવણી દરેક જગ્યાએ ધામધૂમથી થતી હોય છે પરંતુ અયોધ્યા ખાતે કરવામાં આવતી આ પર્વની ઉજવણી અલગ જ હોય છે. લાખો દીવડાને પ્રગટાવવામાં આવે છે. તહેવારની ઉજવણીના દ્રશ્યો એટલા મનમોહક હોય છે એમ થાય કે આ દ્રશ્યો જોતા જ રહીએ! 


બાળકોનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

દિપોત્સવની ઉજવણી તો ધામધૂમથી થઈ ગઈ પરંતુ તે બાદ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ઈમોશનલ કરી શકે તેવા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકો દીવામાંથી તેલ કાઢી રહ્યા છે પોતાના ઘરે લઈ જવા. આ તેલનો ઉપયોગ કરી તેમનો પરિવાર ખાવાનું ખાશે. આ તેલથી તે બાળકોનો પરિવાર આખું વર્ષ ગુજરાન ચલાવશે!



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.