મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ, 4 ઓગસ્ટએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-21 16:46:00

સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. પૂર્ણેશ મોદીએ કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો છે. જો કે કોર્ટે તેમને માત્ર 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ સ્તરે પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ મોકુફ કરવા યોગ્ય છે કે નહીં? આ કેસની સુનાવણી આગામી 4 ઓગસ્ટના રોજ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા મોકુફીની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. 


રાહુલ ગાંધીએ અરજીમાં શું દલીલ કરી હતી?


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરશે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને દબાવી દેશે.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કહ્યું હતું કે રાજનીતિમાં શુચિતા એ સમયની માગ છે. જનપ્રતિનિધિઓએ તેમની છબી સ્વચ્છ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સજા મોકુફીએ નિયમ નથી. જો કે તે એક અપવાદ છે. આને અપવાદરૂપ મામલામાં જ ઉપયોગ કરવામાં આવે છે. જસ્ટિસ પ્રચ્છકે 125 પાનાના પોતાના ચુકાદામાં કહ્યું હતું  કે રાહુલ ગાંધી પહેલાથી દેશભરમાં 10 કેસનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતીમાં નિચલી કોર્ટનો ચુકાદો ન્યાયસંગત, યોગ્ય અને કાનુની છે.


શું છે સમગ્ર મામલો?


વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ  ગાંધીએ કહ્યું હતું કે 'કઈ રીતે તમામ ચોરોનું ઉપનામ મોદી છે?'  આ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ નોંધ્યો હતો. રાહુલ સામે આઈપીસીની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાયો હતો. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.