મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ, 4 ઓગસ્ટએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-21 16:46:00

સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. પૂર્ણેશ મોદીએ કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો છે. જો કે કોર્ટે તેમને માત્ર 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ સ્તરે પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ મોકુફ કરવા યોગ્ય છે કે નહીં? આ કેસની સુનાવણી આગામી 4 ઓગસ્ટના રોજ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા મોકુફીની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. 


રાહુલ ગાંધીએ અરજીમાં શું દલીલ કરી હતી?


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરશે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને દબાવી દેશે.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કહ્યું હતું કે રાજનીતિમાં શુચિતા એ સમયની માગ છે. જનપ્રતિનિધિઓએ તેમની છબી સ્વચ્છ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સજા મોકુફીએ નિયમ નથી. જો કે તે એક અપવાદ છે. આને અપવાદરૂપ મામલામાં જ ઉપયોગ કરવામાં આવે છે. જસ્ટિસ પ્રચ્છકે 125 પાનાના પોતાના ચુકાદામાં કહ્યું હતું  કે રાહુલ ગાંધી પહેલાથી દેશભરમાં 10 કેસનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતીમાં નિચલી કોર્ટનો ચુકાદો ન્યાયસંગત, યોગ્ય અને કાનુની છે.


શું છે સમગ્ર મામલો?


વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ  ગાંધીએ કહ્યું હતું કે 'કઈ રીતે તમામ ચોરોનું ઉપનામ મોદી છે?'  આ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ નોંધ્યો હતો. રાહુલ સામે આઈપીસીની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાયો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.