મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને ફટકારી નોટિસ, 4 ઓગસ્ટએ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-07-21 16:46:00

સુપ્રીમ કોર્ટમાં મોદી સરનેમ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજી પર ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. પૂર્ણેશ મોદીએ કોર્ટ પાસે 21 દિવસનો સમય માંગ્યો છે. જો કે કોર્ટે તેમને માત્ર 10 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ સ્તરે પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ મોકુફ કરવા યોગ્ય છે કે નહીં? આ કેસની સુનાવણી આગામી 4 ઓગસ્ટના રોજ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા મોકુફીની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધીએ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. 


રાહુલ ગાંધીએ અરજીમાં શું દલીલ કરી હતી?


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરશે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને દબાવી દેશે.


ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?


ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવતા કહ્યું હતું કે રાજનીતિમાં શુચિતા એ સમયની માગ છે. જનપ્રતિનિધિઓએ તેમની છબી સ્વચ્છ કરવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે સજા મોકુફીએ નિયમ નથી. જો કે તે એક અપવાદ છે. આને અપવાદરૂપ મામલામાં જ ઉપયોગ કરવામાં આવે છે. જસ્ટિસ પ્રચ્છકે 125 પાનાના પોતાના ચુકાદામાં કહ્યું હતું  કે રાહુલ ગાંધી પહેલાથી દેશભરમાં 10 કેસનો સામનો કરી રહ્યા છે, આ સ્થિતીમાં નિચલી કોર્ટનો ચુકાદો ન્યાયસંગત, યોગ્ય અને કાનુની છે.


શું છે સમગ્ર મામલો?


વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલારમાં એક રેલીમાં રાહુલ  ગાંધીએ કહ્યું હતું કે 'કઈ રીતે તમામ ચોરોનું ઉપનામ મોદી છે?'  આ મુદ્દે ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ નોંધ્યો હતો. રાહુલ સામે આઈપીસીની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધાયો હતો. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.