રક્ષામંત્રી રાજનાથ સિંહ મળ્યા પીએમ મોદીને, કોઈ નવા-જૂનીના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-28 22:20:59

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં  આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

OROP: Home Minister Rajnath Singh meets PM Narendra Modi - The Economic  Times 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઇને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે . ગયિકાલે CDS અનિલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ખુબ જ લાંબી બેઠક કરી હતી . હવે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪૦ મિનિટ લાંબી ચર્ચા કરી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષાને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. કેમ કે પાકિસ્તાની સેના પાછલા ઘણા સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. તો સામે પાકિસ્તાનને ભારતીય સેના દ્વારા જોરદાર જવાબ આપવામાં આવ્યો છે. વાત જમ્મુ કાશ્મીરની , જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું . વિદ્યાનસભામાં પહલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથેજ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે. એક જ સંદેશ છે , આખો દેશ આ આતંકવાદી  હુમલાની વિરુદ્ધમાં એક જ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે , " સ્પીકર સર જમ્મુ કાશ્મીરની સુરક્ષા હાલમાં જમ્મુકાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી . પરંતુ હું આ તકનો ફાયદો ઉઠાવીને રાજ્યને સ્ટેટહુડ આપવાની માંગ નઈ કરું . હું ક્યા મોં થી પહલગામના આતંકી હુમલાનો ઉપયોગ કરીને સરકારને કહું કે તમે અમને રાજ્યનો દરજ્જો આપો . શું મારી આટલી સસ્તી રાજનીતિ છે. મને શું આ ૨૬ લોકોના મર્યાની આટલી ઓછી કદર છે. અને હવે હું કેન્દ્ર સરકારને કહીશ કે ચાલો ૨૬ લોકો માર્યા ગયા છે અમને સ્ટેટહુડ આપી દો. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે અગાઉ વાત કરી હતી અને આગળ પણ કરીશું પરંતુ શરમ આવે છે મને કે આજે હું કેન્દ્ર સરકારને ગુહાર લાગવું ૨૬ મરી ગયા હવે સ્ટેટહુડ આપો. આ વાત કરીશું પણ આ અવસર પર નહિ . આ અવસર પર ના કોઈ રાજનીતિ , ના કોઈ વ્યાપાર , ના કોઈ સ્ટેટહુડ . કશું જ નહિ. એક જ વાત આ હુમલાની કડક શબ્દોમાં નિંદા અને ૨૬ લોકો માટે દિલથી હમદર્દી . કશું જ નહિ આજે ." આમ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુઅલ્લાહ ભાવુક દેખાયા હતા. 

With what face can I ask for statehood for J&K?' Omar Abdullah's in J&K  assembly after Pahalgam attack | India News - The Times of India

 બેઉ દેશો ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ મરીન નામના લડાકુ વિમાનને લઇને કરાર થયા છે . ભારત દ્વારા 26 રફાલ મરીન વિમાનની ખરીદી ફ્રાન્સ પાસેથી કરવામાં આવી.  આ કરારની કિંમત છે ૬૩,૦૦૦ કરોડ રૂપિયા છે. 26 રફાલ મરીનની ડિલિવરી 2031 સુધીમાં કરવામાં આવશે.  4.5 જનરેશનના આ લડાકુ વિમાન છે .

Rafale-M deal signed, Indian Navy to get 26 fighter jets for Rs 63,000 cr –  Firstpost




વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.