રક્ષામંત્રી રાજનાથ સિંહ મળ્યા પીએમ મોદીને, કોઈ નવા-જૂનીના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-28 22:20:59

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં  આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

OROP: Home Minister Rajnath Singh meets PM Narendra Modi - The Economic  Times 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઇને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે . ગયિકાલે CDS અનિલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ખુબ જ લાંબી બેઠક કરી હતી . હવે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪૦ મિનિટ લાંબી ચર્ચા કરી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષાને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. કેમ કે પાકિસ્તાની સેના પાછલા ઘણા સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. તો સામે પાકિસ્તાનને ભારતીય સેના દ્વારા જોરદાર જવાબ આપવામાં આવ્યો છે. વાત જમ્મુ કાશ્મીરની , જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું . વિદ્યાનસભામાં પહલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથેજ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે. એક જ સંદેશ છે , આખો દેશ આ આતંકવાદી  હુમલાની વિરુદ્ધમાં એક જ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે , " સ્પીકર સર જમ્મુ કાશ્મીરની સુરક્ષા હાલમાં જમ્મુકાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી . પરંતુ હું આ તકનો ફાયદો ઉઠાવીને રાજ્યને સ્ટેટહુડ આપવાની માંગ નઈ કરું . હું ક્યા મોં થી પહલગામના આતંકી હુમલાનો ઉપયોગ કરીને સરકારને કહું કે તમે અમને રાજ્યનો દરજ્જો આપો . શું મારી આટલી સસ્તી રાજનીતિ છે. મને શું આ ૨૬ લોકોના મર્યાની આટલી ઓછી કદર છે. અને હવે હું કેન્દ્ર સરકારને કહીશ કે ચાલો ૨૬ લોકો માર્યા ગયા છે અમને સ્ટેટહુડ આપી દો. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે અગાઉ વાત કરી હતી અને આગળ પણ કરીશું પરંતુ શરમ આવે છે મને કે આજે હું કેન્દ્ર સરકારને ગુહાર લાગવું ૨૬ મરી ગયા હવે સ્ટેટહુડ આપો. આ વાત કરીશું પણ આ અવસર પર નહિ . આ અવસર પર ના કોઈ રાજનીતિ , ના કોઈ વ્યાપાર , ના કોઈ સ્ટેટહુડ . કશું જ નહિ. એક જ વાત આ હુમલાની કડક શબ્દોમાં નિંદા અને ૨૬ લોકો માટે દિલથી હમદર્દી . કશું જ નહિ આજે ." આમ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુઅલ્લાહ ભાવુક દેખાયા હતા. 

With what face can I ask for statehood for J&K?' Omar Abdullah's in J&K  assembly after Pahalgam attack | India News - The Times of India

 બેઉ દેશો ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ મરીન નામના લડાકુ વિમાનને લઇને કરાર થયા છે . ભારત દ્વારા 26 રફાલ મરીન વિમાનની ખરીદી ફ્રાન્સ પાસેથી કરવામાં આવી.  આ કરારની કિંમત છે ૬૩,૦૦૦ કરોડ રૂપિયા છે. 26 રફાલ મરીનની ડિલિવરી 2031 સુધીમાં કરવામાં આવશે.  4.5 જનરેશનના આ લડાકુ વિમાન છે .

Rafale-M deal signed, Indian Navy to get 26 fighter jets for Rs 63,000 cr –  Firstpost




સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.