રક્ષામંત્રી રાજનાથ સિંહ મળ્યા પીએમ મોદીને, કોઈ નવા-જૂનીના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-28 22:20:59

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં  આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

OROP: Home Minister Rajnath Singh meets PM Narendra Modi - The Economic  Times 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઇને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે . ગયિકાલે CDS અનિલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ખુબ જ લાંબી બેઠક કરી હતી . હવે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪૦ મિનિટ લાંબી ચર્ચા કરી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષાને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. કેમ કે પાકિસ્તાની સેના પાછલા ઘણા સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. તો સામે પાકિસ્તાનને ભારતીય સેના દ્વારા જોરદાર જવાબ આપવામાં આવ્યો છે. વાત જમ્મુ કાશ્મીરની , જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું . વિદ્યાનસભામાં પહલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથેજ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે. એક જ સંદેશ છે , આખો દેશ આ આતંકવાદી  હુમલાની વિરુદ્ધમાં એક જ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે , " સ્પીકર સર જમ્મુ કાશ્મીરની સુરક્ષા હાલમાં જમ્મુકાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી . પરંતુ હું આ તકનો ફાયદો ઉઠાવીને રાજ્યને સ્ટેટહુડ આપવાની માંગ નઈ કરું . હું ક્યા મોં થી પહલગામના આતંકી હુમલાનો ઉપયોગ કરીને સરકારને કહું કે તમે અમને રાજ્યનો દરજ્જો આપો . શું મારી આટલી સસ્તી રાજનીતિ છે. મને શું આ ૨૬ લોકોના મર્યાની આટલી ઓછી કદર છે. અને હવે હું કેન્દ્ર સરકારને કહીશ કે ચાલો ૨૬ લોકો માર્યા ગયા છે અમને સ્ટેટહુડ આપી દો. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે અગાઉ વાત કરી હતી અને આગળ પણ કરીશું પરંતુ શરમ આવે છે મને કે આજે હું કેન્દ્ર સરકારને ગુહાર લાગવું ૨૬ મરી ગયા હવે સ્ટેટહુડ આપો. આ વાત કરીશું પણ આ અવસર પર નહિ . આ અવસર પર ના કોઈ રાજનીતિ , ના કોઈ વ્યાપાર , ના કોઈ સ્ટેટહુડ . કશું જ નહિ. એક જ વાત આ હુમલાની કડક શબ્દોમાં નિંદા અને ૨૬ લોકો માટે દિલથી હમદર્દી . કશું જ નહિ આજે ." આમ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુઅલ્લાહ ભાવુક દેખાયા હતા. 

With what face can I ask for statehood for J&K?' Omar Abdullah's in J&K  assembly after Pahalgam attack | India News - The Times of India

 બેઉ દેશો ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ મરીન નામના લડાકુ વિમાનને લઇને કરાર થયા છે . ભારત દ્વારા 26 રફાલ મરીન વિમાનની ખરીદી ફ્રાન્સ પાસેથી કરવામાં આવી.  આ કરારની કિંમત છે ૬૩,૦૦૦ કરોડ રૂપિયા છે. 26 રફાલ મરીનની ડિલિવરી 2031 સુધીમાં કરવામાં આવશે.  4.5 જનરેશનના આ લડાકુ વિમાન છે .

Rafale-M deal signed, Indian Navy to get 26 fighter jets for Rs 63,000 cr –  Firstpost




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.