રક્ષામંત્રી રાજનાથ સિંહ મળ્યા પીએમ મોદીને, કોઈ નવા-જૂનીના એંધાણ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-28 22:20:59

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં  આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

OROP: Home Minister Rajnath Singh meets PM Narendra Modi - The Economic  Times 

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઇને સમગ્ર ભારતમાં રોષ જોવા મળી રહ્યો છે . ગયિકાલે CDS અનિલ ચૌહાણે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે ખુબ જ લાંબી બેઠક કરી હતી . હવે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪૦ મિનિટ લાંબી ચર્ચા કરી છે. આ બેઠકમાં ભારતની સુરક્ષાને લઇને વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. કેમ કે પાકિસ્તાની સેના પાછલા ઘણા સમયથી સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરી રહી છે. તો સામે પાકિસ્તાનને ભારતીય સેના દ્વારા જોરદાર જવાબ આપવામાં આવ્યો છે. વાત જમ્મુ કાશ્મીરની , જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું . વિદ્યાનસભામાં પહલગામના આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથેજ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું છે. એક જ સંદેશ છે , આખો દેશ આ આતંકવાદી  હુમલાની વિરુદ્ધમાં એક જ છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાના વિશેષ સત્રને સંબોધિત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે , " સ્પીકર સર જમ્મુ કાશ્મીરની સુરક્ષા હાલમાં જમ્મુકાશ્મીરની ચૂંટાયેલી સરકારની જવાબદારી નથી . પરંતુ હું આ તકનો ફાયદો ઉઠાવીને રાજ્યને સ્ટેટહુડ આપવાની માંગ નઈ કરું . હું ક્યા મોં થી પહલગામના આતંકી હુમલાનો ઉપયોગ કરીને સરકારને કહું કે તમે અમને રાજ્યનો દરજ્જો આપો . શું મારી આટલી સસ્તી રાજનીતિ છે. મને શું આ ૨૬ લોકોના મર્યાની આટલી ઓછી કદર છે. અને હવે હું કેન્દ્ર સરકારને કહીશ કે ચાલો ૨૬ લોકો માર્યા ગયા છે અમને સ્ટેટહુડ આપી દો. જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જા માટે અગાઉ વાત કરી હતી અને આગળ પણ કરીશું પરંતુ શરમ આવે છે મને કે આજે હું કેન્દ્ર સરકારને ગુહાર લાગવું ૨૬ મરી ગયા હવે સ્ટેટહુડ આપો. આ વાત કરીશું પણ આ અવસર પર નહિ . આ અવસર પર ના કોઈ રાજનીતિ , ના કોઈ વ્યાપાર , ના કોઈ સ્ટેટહુડ . કશું જ નહિ. એક જ વાત આ હુમલાની કડક શબ્દોમાં નિંદા અને ૨૬ લોકો માટે દિલથી હમદર્દી . કશું જ નહિ આજે ." આમ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુઅલ્લાહ ભાવુક દેખાયા હતા. 

With what face can I ask for statehood for J&K?' Omar Abdullah's in J&K  assembly after Pahalgam attack | India News - The Times of India

 બેઉ દેશો ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ મરીન નામના લડાકુ વિમાનને લઇને કરાર થયા છે . ભારત દ્વારા 26 રફાલ મરીન વિમાનની ખરીદી ફ્રાન્સ પાસેથી કરવામાં આવી.  આ કરારની કિંમત છે ૬૩,૦૦૦ કરોડ રૂપિયા છે. 26 રફાલ મરીનની ડિલિવરી 2031 સુધીમાં કરવામાં આવશે.  4.5 જનરેશનના આ લડાકુ વિમાન છે .

Rafale-M deal signed, Indian Navy to get 26 fighter jets for Rs 63,000 cr –  Firstpost




આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?