Delhi : 12 વર્ષના માસૂમ છોકરાનું સિનિયર વિદ્યાર્થીઓએ એવી નિર્દયતાથી માર માર્યો કે બાળક મોતને ભેટ્યો, આ મામલે શું કહ્યું દિલ્હી સરકારે?


  • Published By :
  • Published Date : 2024-01-24 12:34:55

અનેક વખત આપણે રેગિંગના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. શાળામાં, હોસ્ટેલમાં તેમજ કોલેજમાં આવી ઘટનાએ સામાન્ય રીતે બનતી હોય છે જેમાં સિનિયર્સ જુનિયરને હેરાન કરે. આજે આવી જ કંઈક વાત કરવી છે જે દિલ્હીથી સામે આવી છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે સરકારી શાળામાં 12 વર્ષના એક વિદ્યાર્થીની મોત થઈ ગઈ કારણ કે તેને મારવામાં આવ્યો છે. બાળકના પરિવારે એવા આક્ષેપ લગાવ્યા છે કે વિદ્યાર્થીના સિનિયરોએ તેને બહુ માર્યો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં એનું મોત થઈ ગયું.


12 વર્ષના બાળકને માર્યો ઢોર માર!

શાળામાં જ્યારે વિદ્યાર્થી જતો હોય છે ત્યારે તે આશા સાથે જતો હોય છે કે તે ભણીને આગળ આવે. તેનું ભવિષ્ય ઉજ્જવળ બને પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને તેમના સિનિયર્સ માનસિક ત્રાસ આપતા હોય છે કે તેમને માર મારતા હોય છે. આવા ત્રાસને કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોઈ છે ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની છે. 11 જાન્યુઆરીએ એક સરકારી શાળામાં અનેક સિનિયર વિદ્યાર્થીઓએ 12 વર્ષના જૂનિયર સ્ટૂડન્ટને માર માર્યો છે. એ હદે માર્યો કે તેનું મોત થઈ ગયું.


શું કહ્યું મૃતક વિદ્યાર્થીના પિતાએ?

મૃત વિદ્યાર્થીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 11 જાન્યુઆરીએ રોજની જેમ સ્કૂલે ગયો જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ તેને બેરહમીથી માર માર્યો. માર મારવાને કારણે તેને પગમાં વાગ્યું હતું. ઘરે આવીને તેણે પગમાં દુખાવા અંગેની વાત કરી. મેં તેને આ મામલે પૂછ્યું પરંતુ તેણે કઈ કહ્યું નહીં. પરંતુ તે બાદ આ ઘટના અંગે જાણ થઈ. 


ઘટનાને લઈ પોલીસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા, તેની સારવાર કરાવી  તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તેને કોઈ આરામ ન થયો પરંતુ તેની તબિયત ખરાબ થતી ગઈ. બીજી હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ 20 તારીખે તેની મોત થઈ ગઈ. પરિવારના સભ્યોએ આ મામલા અંગે પોલીસને જાણ કરી. પરિવારે એવું પણ કહ્યું કે અમે શાળાએ પણ ગયા હતા, આ ઘટના અંગેની જાણ પણ કરી હતી. સ્કૂલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ  હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 


દિલ્હી સરકારે આ મામલે આપી પ્રતિક્રિયા 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પરિવાર વાળાએ અપીલ કરી છે કે જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે દિલ્હી સરકાર તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલે તપાસ ચાલી રહી છે. દોષિતોને છોડવામાં નહીં આવે તેવી વાત પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે?             



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.