Delhi : 12 વર્ષના માસૂમ છોકરાનું સિનિયર વિદ્યાર્થીઓએ એવી નિર્દયતાથી માર માર્યો કે બાળક મોતને ભેટ્યો, આ મામલે શું કહ્યું દિલ્હી સરકારે?


  • Published By :
  • Published Date : 2024-01-24 12:34:55

અનેક વખત આપણે રેગિંગના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. શાળામાં, હોસ્ટેલમાં તેમજ કોલેજમાં આવી ઘટનાએ સામાન્ય રીતે બનતી હોય છે જેમાં સિનિયર્સ જુનિયરને હેરાન કરે. આજે આવી જ કંઈક વાત કરવી છે જે દિલ્હીથી સામે આવી છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે સરકારી શાળામાં 12 વર્ષના એક વિદ્યાર્થીની મોત થઈ ગઈ કારણ કે તેને મારવામાં આવ્યો છે. બાળકના પરિવારે એવા આક્ષેપ લગાવ્યા છે કે વિદ્યાર્થીના સિનિયરોએ તેને બહુ માર્યો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં એનું મોત થઈ ગયું.


12 વર્ષના બાળકને માર્યો ઢોર માર!

શાળામાં જ્યારે વિદ્યાર્થી જતો હોય છે ત્યારે તે આશા સાથે જતો હોય છે કે તે ભણીને આગળ આવે. તેનું ભવિષ્ય ઉજ્જવળ બને પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને તેમના સિનિયર્સ માનસિક ત્રાસ આપતા હોય છે કે તેમને માર મારતા હોય છે. આવા ત્રાસને કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોઈ છે ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની છે. 11 જાન્યુઆરીએ એક સરકારી શાળામાં અનેક સિનિયર વિદ્યાર્થીઓએ 12 વર્ષના જૂનિયર સ્ટૂડન્ટને માર માર્યો છે. એ હદે માર્યો કે તેનું મોત થઈ ગયું.


શું કહ્યું મૃતક વિદ્યાર્થીના પિતાએ?

મૃત વિદ્યાર્થીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 11 જાન્યુઆરીએ રોજની જેમ સ્કૂલે ગયો જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ તેને બેરહમીથી માર માર્યો. માર મારવાને કારણે તેને પગમાં વાગ્યું હતું. ઘરે આવીને તેણે પગમાં દુખાવા અંગેની વાત કરી. મેં તેને આ મામલે પૂછ્યું પરંતુ તેણે કઈ કહ્યું નહીં. પરંતુ તે બાદ આ ઘટના અંગે જાણ થઈ. 


ઘટનાને લઈ પોલીસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા, તેની સારવાર કરાવી  તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તેને કોઈ આરામ ન થયો પરંતુ તેની તબિયત ખરાબ થતી ગઈ. બીજી હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ 20 તારીખે તેની મોત થઈ ગઈ. પરિવારના સભ્યોએ આ મામલા અંગે પોલીસને જાણ કરી. પરિવારે એવું પણ કહ્યું કે અમે શાળાએ પણ ગયા હતા, આ ઘટના અંગેની જાણ પણ કરી હતી. સ્કૂલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ  હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 


દિલ્હી સરકારે આ મામલે આપી પ્રતિક્રિયા 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પરિવાર વાળાએ અપીલ કરી છે કે જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે દિલ્હી સરકાર તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલે તપાસ ચાલી રહી છે. દોષિતોને છોડવામાં નહીં આવે તેવી વાત પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે?             



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.