Delhi : 12 વર્ષના માસૂમ છોકરાનું સિનિયર વિદ્યાર્થીઓએ એવી નિર્દયતાથી માર માર્યો કે બાળક મોતને ભેટ્યો, આ મામલે શું કહ્યું દિલ્હી સરકારે?


  • Published By :
  • Published Date : 2024-01-24 12:34:55

અનેક વખત આપણે રેગિંગના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. શાળામાં, હોસ્ટેલમાં તેમજ કોલેજમાં આવી ઘટનાએ સામાન્ય રીતે બનતી હોય છે જેમાં સિનિયર્સ જુનિયરને હેરાન કરે. આજે આવી જ કંઈક વાત કરવી છે જે દિલ્હીથી સામે આવી છે. દિલ્હીથી સમાચાર આવ્યા છે કે સરકારી શાળામાં 12 વર્ષના એક વિદ્યાર્થીની મોત થઈ ગઈ કારણ કે તેને મારવામાં આવ્યો છે. બાળકના પરિવારે એવા આક્ષેપ લગાવ્યા છે કે વિદ્યાર્થીના સિનિયરોએ તેને બહુ માર્યો, જેને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં એનું મોત થઈ ગયું.


12 વર્ષના બાળકને માર્યો ઢોર માર!

શાળામાં જ્યારે વિદ્યાર્થી જતો હોય છે ત્યારે તે આશા સાથે જતો હોય છે કે તે ભણીને આગળ આવે. તેનું ભવિષ્ય ઉજ્જવળ બને પરંતુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને તેમના સિનિયર્સ માનસિક ત્રાસ આપતા હોય છે કે તેમને માર મારતા હોય છે. આવા ત્રાસને કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરી લેતા હોઈ છે ત્યારે આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારની છે. 11 જાન્યુઆરીએ એક સરકારી શાળામાં અનેક સિનિયર વિદ્યાર્થીઓએ 12 વર્ષના જૂનિયર સ્ટૂડન્ટને માર માર્યો છે. એ હદે માર્યો કે તેનું મોત થઈ ગયું.


શું કહ્યું મૃતક વિદ્યાર્થીના પિતાએ?

મૃત વિદ્યાર્થીના પિતાએ મીડિયાને જણાવ્યું કે તેમનો પુત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. 11 જાન્યુઆરીએ રોજની જેમ સ્કૂલે ગયો જ્યાં સિનિયર વિદ્યાર્થીઓએ તેને બેરહમીથી માર માર્યો. માર મારવાને કારણે તેને પગમાં વાગ્યું હતું. ઘરે આવીને તેણે પગમાં દુખાવા અંગેની વાત કરી. મેં તેને આ મામલે પૂછ્યું પરંતુ તેણે કઈ કહ્યું નહીં. પરંતુ તે બાદ આ ઘટના અંગે જાણ થઈ. 


ઘટનાને લઈ પોલીસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે... 

વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા, તેની સારવાર કરાવી  તેને આરામ કરવાનું કહ્યું. પરંતુ તેને કોઈ આરામ ન થયો પરંતુ તેની તબિયત ખરાબ થતી ગઈ. બીજી હોસ્પિટલ પણ લઈ ગયા પરંતુ 20 તારીખે તેની મોત થઈ ગઈ. પરિવારના સભ્યોએ આ મામલા અંગે પોલીસને જાણ કરી. પરિવારે એવું પણ કહ્યું કે અમે શાળાએ પણ ગયા હતા, આ ઘટના અંગેની જાણ પણ કરી હતી. સ્કૂલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ  હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. 


દિલ્હી સરકારે આ મામલે આપી પ્રતિક્રિયા 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પરિવાર વાળાએ અપીલ કરી છે કે જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. એવી પણ માહિતી સામે આવી છે કે દિલ્હી સરકાર તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. પોલીસે કહ્યું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલે તપાસ ચાલી રહી છે. દોષિતોને છોડવામાં નહીં આવે તેવી વાત પણ સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે મામલે આગળ શું કાર્યવાહી થાય છે?             



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.