Delhi : AAPના નેતાઓને ત્યાં EDની રેડ.... CM કેજરીવાલના PS બિભવ કુમાર સહિતના નેતાઓને ત્યાં ત્રાટકી ઈડી....


  • Published By :
  • Published Date : 2024-02-06 10:44:16

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ જ નથી લઈ રહી. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર થયા ન હતા. તે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી. તે બાદ આમ આદમી પાર્ટીના નેતા અતિશીને નોટિસ ફટકારવામાં આવી. ત્યારે આજે 10થી વધારે જગ્યાઓ પર ઈડીએ રેડ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અલગ અલગ નેતાઓને ત્યાં રેડ પાડી છે. કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમારને ત્યાં રેડ પાડવામાં આવી છે. 

કેજરીવાલના નિજી સચિવને ત્યાં ઈડીના દરોડા!

ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ તપાસ માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત ગયા ન હતા. તે બાદ અતિશીને નોટિસ આપવામાં આવી અને હવે અલગ અલગ મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ પહોંચી છે. અરવિંદ કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘર પર ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.     




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.