Delhi : AAPના નેતાઓને ત્યાં EDની રેડ.... CM કેજરીવાલના PS બિભવ કુમાર સહિતના નેતાઓને ત્યાં ત્રાટકી ઈડી....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-06 10:44:16

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ જ નથી લઈ રહી. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર થયા ન હતા. તે બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી. તે બાદ આમ આદમી પાર્ટીના નેતા અતિશીને નોટિસ ફટકારવામાં આવી. ત્યારે આજે 10થી વધારે જગ્યાઓ પર ઈડીએ રેડ કરી છે. મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ અલગ અલગ નેતાઓને ત્યાં રેડ પાડી છે. કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમારને ત્યાં રેડ પાડવામાં આવી છે. 

કેજરીવાલના નિજી સચિવને ત્યાં ઈડીના દરોડા!

ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી રહી છે. મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ તપાસ માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલને અનેક વખત ઈડીએ સમન્સ મોકલ્યું હતું. પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલને હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત ગયા ન હતા. તે બાદ અતિશીને નોટિસ આપવામાં આવી અને હવે અલગ અલગ મોટા નેતાઓને ત્યાં ઈડીની ટીમ પહોંચી છે. અરવિંદ કેજરીવાલના નિજી સચિવ બિભવ કુમાર અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાના ઘર પર ઈડી દ્વારા રેડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના કેસમાં ED દ્વારા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.     




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..