Delhi : AAP સાંસદ Swati maliwalએ કરી પોલીસ ફરિયાદ, FIRમાં ઉલ્લેખ કે મને 7 થી 8 લાફા માર્યા... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-17 18:12:59

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ( દિલ્હીના મુખ્યમંત્રી)ના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ મામલે સ્વાતી માલીવાલ દ્વારા પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં અનેક વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે.. એફઆઈઆરમાં તેમણે કહ્યું કે તેમને 7-8 થપ્પડ મારવામાં આવી ઉપરાંત તેમને પેટ પર પણ લાત મારવામાં આવી.

 

સ્વાતી માલીવાલે મામલે ગરમાઈ રાજનીતિ

થોડા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.. પહેલા અરવિંદ કેજરીવાલને કારણે અને હવે સ્વાતી માલીવાલને કારણે.. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતી માલીવાલ દ્વારા અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વાતી માલીવાલ દ્વારા મારપીટનો આરોપ વિભવ કુમાર પર લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆરની કોપી પણ સામે આવી છે.. આ મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે.. ભાજપના અનેક નેતાઓ દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે..

સ્વાતી માલીવાલે નોંધાવી એફઆઈઆર

એફઆઈઆર થયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસની 10 ટીમ આ મામલે તપાસ કરી રહી છે.  આજે કોર્ટમાં સ્વાતી માલીવાલ હાજર થયા હતા તેવી માહિતી સામે આવી છે. સ્વભાવિક રીતે આ મામલે અરવિંદ કેજરીવાલને સવાલ થવાના.. આ મુદ્દો અરવિંદ કેજરીવાલનો પીછો  છોડે તેવો નથી. 


જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો પ્રશ્ન...

ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.. કેજરીવાલે જવાબ આપવાનો ટાળ્યો હતો અને તેમની બદલીમાં અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે ચર્ચા કરવા માટે બાકીના અનેક ગંભીર મુદ્દાઓ છે. ત્યારે પ્રશ્ન થાય કે શું આ મામલો ગંભીર નથી?  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.