Delhi : AAP સાંસદ Swati maliwalએ કરી પોલીસ ફરિયાદ, FIRમાં ઉલ્લેખ કે મને 7 થી 8 લાફા માર્યા... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-17 18:12:59

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ( દિલ્હીના મુખ્યમંત્રી)ના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ મામલે સ્વાતી માલીવાલ દ્વારા પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં અનેક વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે.. એફઆઈઆરમાં તેમણે કહ્યું કે તેમને 7-8 થપ્પડ મારવામાં આવી ઉપરાંત તેમને પેટ પર પણ લાત મારવામાં આવી.

 

સ્વાતી માલીવાલે મામલે ગરમાઈ રાજનીતિ

થોડા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.. પહેલા અરવિંદ કેજરીવાલને કારણે અને હવે સ્વાતી માલીવાલને કારણે.. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતી માલીવાલ દ્વારા અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વાતી માલીવાલ દ્વારા મારપીટનો આરોપ વિભવ કુમાર પર લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆરની કોપી પણ સામે આવી છે.. આ મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે.. ભાજપના અનેક નેતાઓ દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે..

સ્વાતી માલીવાલે નોંધાવી એફઆઈઆર

એફઆઈઆર થયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસની 10 ટીમ આ મામલે તપાસ કરી રહી છે.  આજે કોર્ટમાં સ્વાતી માલીવાલ હાજર થયા હતા તેવી માહિતી સામે આવી છે. સ્વભાવિક રીતે આ મામલે અરવિંદ કેજરીવાલને સવાલ થવાના.. આ મુદ્દો અરવિંદ કેજરીવાલનો પીછો  છોડે તેવો નથી. 


જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો પ્રશ્ન...

ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.. કેજરીવાલે જવાબ આપવાનો ટાળ્યો હતો અને તેમની બદલીમાં અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે ચર્ચા કરવા માટે બાકીના અનેક ગંભીર મુદ્દાઓ છે. ત્યારે પ્રશ્ન થાય કે શું આ મામલો ગંભીર નથી?  



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.