Delhi : AAP સાંસદ Swati maliwalએ કરી પોલીસ ફરિયાદ, FIRમાં ઉલ્લેખ કે મને 7 થી 8 લાફા માર્યા... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-17 18:12:59

આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની ચર્ચા થઈ રહી છે.. આપ સાંસદ સ્વાતી માલીવાલે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ ( દિલ્હીના મુખ્યમંત્રી)ના પીએ વિભવ કુમારે તેમની સાથે મારપીટ કરી છે. સીએમના સત્તાવાર નિવાસસ્થાન પર વિભવ કુમાર દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. આ મામલે સ્વાતી માલીવાલ દ્વારા પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે જેમાં અનેક વાતો તેમના દ્વારા કહેવામાં આવી છે.. એફઆઈઆરમાં તેમણે કહ્યું કે તેમને 7-8 થપ્પડ મારવામાં આવી ઉપરાંત તેમને પેટ પર પણ લાત મારવામાં આવી.

 

સ્વાતી માલીવાલે મામલે ગરમાઈ રાજનીતિ

થોડા સમયથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.. પહેલા અરવિંદ કેજરીવાલને કારણે અને હવે સ્વાતી માલીવાલને કારણે.. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતી માલીવાલ દ્વારા અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. સ્વાતી માલીવાલ દ્વારા મારપીટનો આરોપ વિભવ કુમાર પર લગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને એફઆઈઆરની કોપી પણ સામે આવી છે.. આ મામલે હવે રાજનીતિ ગરમાઈ રહી છે.. ભાજપના અનેક નેતાઓ દ્વારા આ મામલે પ્રતિક્રિયા સામે આવી રહી છે..

સ્વાતી માલીવાલે નોંધાવી એફઆઈઆર

એફઆઈઆર થયા બાદ પોલીસ પણ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે. મળતી માહિતી અનુસાર પોલીસની 10 ટીમ આ મામલે તપાસ કરી રહી છે.  આજે કોર્ટમાં સ્વાતી માલીવાલ હાજર થયા હતા તેવી માહિતી સામે આવી છે. સ્વભાવિક રીતે આ મામલે અરવિંદ કેજરીવાલને સવાલ થવાના.. આ મુદ્દો અરવિંદ કેજરીવાલનો પીછો  છોડે તેવો નથી. 


જ્યારે કેજરીવાલને પૂછવામાં આવ્યો પ્રશ્ન...

ગઈકાલે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો હતો.. કેજરીવાલે જવાબ આપવાનો ટાળ્યો હતો અને તેમની બદલીમાં અખિલેશ યાદવે પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યું કે ચર્ચા કરવા માટે બાકીના અનેક ગંભીર મુદ્દાઓ છે. ત્યારે પ્રશ્ન થાય કે શું આ મામલો ગંભીર નથી?  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .