Delhi : AAP નેતા આતિશીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું BJPમાં સામેલ થવા માટે મળી ઓફર, સાંભળો પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-04-02 11:29:42

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક આરોપો લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે મારા અંગતોના માધ્યમથી મને બીજેપીમાં સામેલ થવા ઓફર આપવામાં આવી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેમના ત્યાં પણ ઈડીની તપાસ કરવામાં આવશે. આપના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈડીએ ગઈકાલે તેમનું તેમજ સૌરભ ભારદ્વાજનું નામ જાણી જોઈને લીધું..

આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા અનેક દાવા.. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. 15 એપ્રિલ સુધી તેમને ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક દાવા કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બીજેપી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે થોડા દિવસો બાદ ઈડી તેમની ધરપકડ કરી લેશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેમના કરીબી દ્વારા તેમને બીજેપીમાં જોઈન થવા માટે ઓફર કરવામાં આવી. તેમણે કહ્યું કે જો તે બીજેપીમાં જોઈન નહીં થાય તો આગામી એક મહિનાની અંદર ઈડી તેમના ઘર પર રેડ કરશે અને તેમની ધરપકડ કરી લેશે.

 


આ ચાર નેતાઓની ધરપકડ થશે તેવી આતિશીએ કરી વાત 

તેમના કરીબીએ તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટીને અને તેના બધા નેતાઓને એ ખતમ કરવા માંગે છે... પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જેલમાં ગયેલા નેતાઓની વાત કરી. તેમણે કહ્યું કે આવનાર 2 મહિનાની અંદર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે.તેમાં સૌરભ ભારદ્વાજ, આતિશી, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .