Delhi : AAP નેતા આતિશીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું BJPમાં સામેલ થવા માટે મળી ઓફર, સાંભળો પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-04-02 11:29:42

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક આરોપો લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે મારા અંગતોના માધ્યમથી મને બીજેપીમાં સામેલ થવા ઓફર આપવામાં આવી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેમના ત્યાં પણ ઈડીની તપાસ કરવામાં આવશે. આપના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈડીએ ગઈકાલે તેમનું તેમજ સૌરભ ભારદ્વાજનું નામ જાણી જોઈને લીધું..

આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા અનેક દાવા.. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. 15 એપ્રિલ સુધી તેમને ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક દાવા કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બીજેપી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે થોડા દિવસો બાદ ઈડી તેમની ધરપકડ કરી લેશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેમના કરીબી દ્વારા તેમને બીજેપીમાં જોઈન થવા માટે ઓફર કરવામાં આવી. તેમણે કહ્યું કે જો તે બીજેપીમાં જોઈન નહીં થાય તો આગામી એક મહિનાની અંદર ઈડી તેમના ઘર પર રેડ કરશે અને તેમની ધરપકડ કરી લેશે.

 


આ ચાર નેતાઓની ધરપકડ થશે તેવી આતિશીએ કરી વાત 

તેમના કરીબીએ તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટીને અને તેના બધા નેતાઓને એ ખતમ કરવા માંગે છે... પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જેલમાં ગયેલા નેતાઓની વાત કરી. તેમણે કહ્યું કે આવનાર 2 મહિનાની અંદર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે.તેમાં સૌરભ ભારદ્વાજ, આતિશી, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા.    



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.