Delhi : AAP નેતા આતિશીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું BJPમાં સામેલ થવા માટે મળી ઓફર, સાંભળો પ્રેસ કોન્ફરન્સ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 11:29:42

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક આરોપો લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે મારા અંગતોના માધ્યમથી મને બીજેપીમાં સામેલ થવા ઓફર આપવામાં આવી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેમના ત્યાં પણ ઈડીની તપાસ કરવામાં આવશે. આપના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈડીએ ગઈકાલે તેમનું તેમજ સૌરભ ભારદ્વાજનું નામ જાણી જોઈને લીધું..

આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા અનેક દાવા.. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. 15 એપ્રિલ સુધી તેમને ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક દાવા કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બીજેપી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે થોડા દિવસો બાદ ઈડી તેમની ધરપકડ કરી લેશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેમના કરીબી દ્વારા તેમને બીજેપીમાં જોઈન થવા માટે ઓફર કરવામાં આવી. તેમણે કહ્યું કે જો તે બીજેપીમાં જોઈન નહીં થાય તો આગામી એક મહિનાની અંદર ઈડી તેમના ઘર પર રેડ કરશે અને તેમની ધરપકડ કરી લેશે.

 


આ ચાર નેતાઓની ધરપકડ થશે તેવી આતિશીએ કરી વાત 

તેમના કરીબીએ તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટીને અને તેના બધા નેતાઓને એ ખતમ કરવા માંગે છે... પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જેલમાં ગયેલા નેતાઓની વાત કરી. તેમણે કહ્યું કે આવનાર 2 મહિનાની અંદર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે.તેમાં સૌરભ ભારદ્વાજ, આતિશી, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા.    



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.