Delhi : AAP નેતા આતિશીએ કરી પ્રેસ કોન્ફરન્સ, કહ્યું BJPમાં સામેલ થવા માટે મળી ઓફર, સાંભળો પ્રેસ કોન્ફરન્સ


  • Published By :
  • Published Date : 2024-04-02 11:29:42

દિલ્હી સરકારના મંત્રી આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક આરોપો લગાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે મારા અંગતોના માધ્યમથી મને બીજેપીમાં સામેલ થવા ઓફર આપવામાં આવી.પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે તેમના ત્યાં પણ ઈડીની તપાસ કરવામાં આવશે. આપના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈડીએ ગઈકાલે તેમનું તેમજ સૌરભ ભારદ્વાજનું નામ જાણી જોઈને લીધું..

આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી કર્યા અનેક દાવા.. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. 15 એપ્રિલ સુધી તેમને ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધા વચ્ચે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા આતિશીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે અનેક દાવા કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે બીજેપી પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે થોડા દિવસો બાદ ઈડી તેમની ધરપકડ કરી લેશે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેમના કરીબી દ્વારા તેમને બીજેપીમાં જોઈન થવા માટે ઓફર કરવામાં આવી. તેમણે કહ્યું કે જો તે બીજેપીમાં જોઈન નહીં થાય તો આગામી એક મહિનાની અંદર ઈડી તેમના ઘર પર રેડ કરશે અને તેમની ધરપકડ કરી લેશે.

 


આ ચાર નેતાઓની ધરપકડ થશે તેવી આતિશીએ કરી વાત 

તેમના કરીબીએ તેમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન બનાવી લીધું છે કે આમ આદમી પાર્ટીને અને તેના બધા નેતાઓને એ ખતમ કરવા માંગે છે... પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જેલમાં ગયેલા નેતાઓની વાત કરી. તેમણે કહ્યું કે આવનાર 2 મહિનાની અંદર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવશે.તેમાં સૌરભ ભારદ્વાજ, આતિશી, દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢા.    



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.