Delhi : AAPની સરકાર તોડવા માટે ધારાસભ્યોને BJP આપી રહી છે કરોડોની ઓફર! Arvind Kejriwalએ લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:31:33

એક તરફ બિહારનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ દિલ્હીનું રાજકારણ ગરમાઈ ગયું છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા આતીશી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ તેમના 7 ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી છોડવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે. દિલ્હીના મંત્રી આતિશીએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે બીજેપીએ ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવશે.

   

ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ 2.0!

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. સરકારને તોડવાનો પ્રયત્ન સામાન્ય રીતે કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક ભાજપ કરી રહી છે. તેમને કરોડોની ઓફર આપવામાં આવી રહી છે તેવો આરોપ આતીશી દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. આતીશી દ્વારા તો આવા આરોપ લગાવવામાં આવ્યા પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મામલે એક પોસ્ટ કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ શેર કરી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે જેમાં તે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પોસ્ટમાં કેજરીવાલે લખ્યું છે કે ભાજપ દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. 25 કરોડ આપવાની વાત કરવામાં આવી રહી છે ઉપરાંત ભાજપની ટીકીટ પણ આપવાની વાત કરવામાં આવી છે તેવી પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.