Delhi : AAPની સરકાર તોડવા માટે ધારાસભ્યોને BJP આપી રહી છે કરોડોની ઓફર! Arvind Kejriwalએ લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:31:33

એક તરફ બિહારનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ દિલ્હીનું રાજકારણ ગરમાઈ ગયું છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા આતીશી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ તેમના 7 ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી છોડવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે. દિલ્હીના મંત્રી આતિશીએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે બીજેપીએ ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવશે.

   

ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ 2.0!

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. સરકારને તોડવાનો પ્રયત્ન સામાન્ય રીતે કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક ભાજપ કરી રહી છે. તેમને કરોડોની ઓફર આપવામાં આવી રહી છે તેવો આરોપ આતીશી દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. આતીશી દ્વારા તો આવા આરોપ લગાવવામાં આવ્યા પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મામલે એક પોસ્ટ કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ શેર કરી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે જેમાં તે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પોસ્ટમાં કેજરીવાલે લખ્યું છે કે ભાજપ દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. 25 કરોડ આપવાની વાત કરવામાં આવી રહી છે ઉપરાંત ભાજપની ટીકીટ પણ આપવાની વાત કરવામાં આવી છે તેવી પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.