Delhi : AAPની સરકાર તોડવા માટે ધારાસભ્યોને BJP આપી રહી છે કરોડોની ઓફર! Arvind Kejriwalએ લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-27 12:31:33

એક તરફ બિહારનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ દિલ્હીનું રાજકારણ ગરમાઈ ગયું છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા આતીશી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ તેમના 7 ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી છોડવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે. દિલ્હીના મંત્રી આતિશીએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે બીજેપીએ ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવશે.

   

ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ 2.0!

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. સરકારને તોડવાનો પ્રયત્ન સામાન્ય રીતે કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક ભાજપ કરી રહી છે. તેમને કરોડોની ઓફર આપવામાં આવી રહી છે તેવો આરોપ આતીશી દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. આતીશી દ્વારા તો આવા આરોપ લગાવવામાં આવ્યા પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મામલે એક પોસ્ટ કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ શેર કરી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે જેમાં તે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પોસ્ટમાં કેજરીવાલે લખ્યું છે કે ભાજપ દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. 25 કરોડ આપવાની વાત કરવામાં આવી રહી છે ઉપરાંત ભાજપની ટીકીટ પણ આપવાની વાત કરવામાં આવી છે તેવી પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



ગુજરાતમાં પણ અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. બનાસકાંઠા, વલસાડ. ભરૂચ, આણંદ સહિતની અનેક બેઠકો એવી છે જેના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે.. ત્યારે ગુજરાતમાં 26 બેઠકોમાંથી 14 જેટલી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવો આશાવાદ અમિત ચાવડાએ વ્યક્ત કર્યો છે.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નક્કી કરી લીધું કે 2024ની ચૂંટણીમાં આપણે તમામ 26 બેઠક પર ફક્ત જીત નથી મેળવવી પરંતુ 5 લાખ મતની લીડથી જીત મેળવવી છે. પરંતુ ગુજરાતની અનેક બેઠકો એવી છે જ્યાં આ ટાર્ગેટ પૂર્ણ થવો મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે