Delhi : AAPની સરકાર તોડવા માટે ધારાસભ્યોને BJP આપી રહી છે કરોડોની ઓફર! Arvind Kejriwalએ લગાવ્યો આ આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:31:33

એક તરફ બિહારનું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ દિલ્હીનું રાજકારણ ગરમાઈ ગયું છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા આતીશી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ તેમના 7 ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ આદમી પાર્ટી છોડવા માટે 25 કરોડની ઓફર કરવામાં આવી છે. દિલ્હીના મંત્રી આતિશીએ ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે બીજેપીએ ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. તે ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે થોડા સમય બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવશે.

   

ભાજપે શરૂ કર્યું ઓપરેશન લોટસ 2.0!

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. સરકારને તોડવાનો પ્રયત્ન સામાન્ય રીતે કરવામાં આવતા હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક ભાજપ કરી રહી છે. તેમને કરોડોની ઓફર આપવામાં આવી રહી છે તેવો આરોપ આતીશી દ્વારા લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપે ઓપરેશન લોટસ 2.0 શરૂ કરી દીધું છે. આતીશી દ્વારા તો આવા આરોપ લગાવવામાં આવ્યા પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પણ આ મામલે એક પોસ્ટ કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલે પોસ્ટ શેર કરી!

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે જેમાં તે ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. પોસ્ટમાં કેજરીવાલે લખ્યું છે કે ભાજપ દિલ્હીના સાત ધારાસભ્યોનો સંપર્ક કરી રહી છે. 25 કરોડ આપવાની વાત કરવામાં આવી રહી છે ઉપરાંત ભાજપની ટીકીટ પણ આપવાની વાત કરવામાં આવી છે તેવી પોસ્ટ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે