ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં Delhi CM Arvind Kejriwal અને સંજય સિંહને હાઈકોર્ટે આપ્યો ઝટકો, અરજીને ફગાવી દીધી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-16 14:30:41

ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ આપના સંજય સિંહને મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા તેને રદ્દ કરવા માટે કેજરીવાલે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઈ આપના નેતાઓએ નિવેદન આપ્યું હતું. જે મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

કેજરીવાલ ED ઓફિસ ન પહોંચ્યા, હવે તપાસ એજન્સી પાસે શું વિકલ્પ ? કેવી રીતે થઇ  શકે ધરપકડ? | arvind kejriwal ed summon disobey when ed arrest aap chief  kejriwal

મેટ્રો કોર્ટ દ્વારા નિકાળવવામાં આવ્યું હતું સમન્સ! 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ આપના સંજયસિંહ વિરૂદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બંને નેતાઓએ પીએમ મોદીની ડિગ્રીને લઈ આપેલા નિવેદન બદલે તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. સંજયસિંહ તેમજ અરવિંદ કેજરીવાલ સામે મેટ્રો કોર્ટે સમન્સ નિકાળ્યા હતા. મેટ્રો કોર્ટ દ્વારા સમન્સ મળ્યા બાદ સેશન્સ કોર્ટના દ્વારા ખખડાવામાં આવ્યા હતા પરંતુ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટ દ્વારા અરજી ફગાવાતા ગુજરાત હાઈકોર્ટના દ્વાર બંને આપ નેતાઓએ ખખડાવ્યા હતા અને સમન્સ રદ કરવા માટે અરજી કરી હતી. 

PM Modi to launch Gurugram Metro project on Feb 16 - Hindustan Times


ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી અરવિંદ કેજરીવાલની અરજી!

ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલ તેમજ સંજયસિંહની અરજીને ફગાવી દીધી છે. અરજી ફગાવી દેવામાં આવતા મેટ્રો કોર્ટમાં આ અંગેની સુનાવણી ચાલશે, ટ્રાયલ ચાલશે અને અરવિંદ કેજરીવાલને હાજર થવું પડશે. જો સમગ્ર કેસની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ બાદ યુનિવર્સિટીના રજીસ્ટાર દ્વારા બંને નેતા વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા સમન્સ પડકારવામાં આવી હતી. સેશન્સ કોર્ટે રાહત આપવા માટે કરેલી અરજીને નકારી દીધી હતી. તે બાદ બન્નેએ હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતાં અને અરજી કરી સમન્સ રદ કરવા અને સ્ટે આપવા માગ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલ અને સંજયસિંહની અરજી ફગાવી છે. 



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.