Delhiના CM Arvind Kejriwalને આ કારણોસર મળી શકે છે વચ્ચગાળાના જામીન, જાણો જામીનને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવી ટિપ્પણી?


  • Published By :
  • Published Date : 2024-05-03 18:38:58

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે... કથિત દારૂકૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તે હાલ તિહાડ જેલમાં છે.... એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે કેજરીવાલ દ્વારા જામીનની અરજી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે સુનવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ અમે ચૂંટણીના કારણે તેમના વચગાળા જામીન પર વિચાર કરી શકીએ છીએ.

અરવિંદ કેજરીવાલને મળી શકે છે રાહત! 

અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીનની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને આ સુનાવણી બાદ આમ આદમી પાર્ટીએ થોડી રાહત અનુભવી હશે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. જામીનની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીને કહેવામાં આવ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચ્ચગાળાની જામીન આપવા માટે વિચાર કરી શકે છે... 


વચગાળાની જામીન આપવા કોર્ટ કરી શકે છે વિચાર 

જામીન આપવા કે નહીં તે કોર્ટ નક્કી કરશે પરંતુ બંને પક્ષોને દલિલ માટે તૈયાર રાખવા કહ્યું છે.  મહત્વનું છે કે આ મામલે આગળની સુનાવણી મંગળવારે થવાની છે.. કોર્ટે કહ્યું કે આ મામલો લાંબો ચાલશે તો અમે અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન માટે વિચાર કરીશું. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી.. અનેક કલાકો સુધી પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહીં?  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.