Delhiના CM Arvind Kejriwalને આ કારણોસર મળી શકે છે વચ્ચગાળાના જામીન, જાણો જામીનને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા શું કરવામાં આવી ટિપ્પણી?


  • Published By :
  • Published Date : 2024-05-03 18:38:58

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે... કથિત દારૂકૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી અને તે હાલ તિહાડ જેલમાં છે.... એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જેલમાં છે. ત્યારે કેજરીવાલ દ્વારા જામીનની અરજી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે સુનવણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ અમે ચૂંટણીના કારણે તેમના વચગાળા જામીન પર વિચાર કરી શકીએ છીએ.

અરવિંદ કેજરીવાલને મળી શકે છે રાહત! 

અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જામીનની અરજી પર આજે સુનાવણી થઈ હતી અને આ સુનાવણી બાદ આમ આદમી પાર્ટીએ થોડી રાહત અનુભવી હશે તેમ કહીએ તો અતિશયોક્તિ નથી.. જામીનની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીને કહેવામાં આવ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલની વચ્ચગાળાની જામીન આપવા માટે વિચાર કરી શકે છે... 


વચગાળાની જામીન આપવા કોર્ટ કરી શકે છે વિચાર 

જામીન આપવા કે નહીં તે કોર્ટ નક્કી કરશે પરંતુ બંને પક્ષોને દલિલ માટે તૈયાર રાખવા કહ્યું છે.  મહત્વનું છે કે આ મામલે આગળની સુનાવણી મંગળવારે થવાની છે.. કોર્ટે કહ્યું કે આ મામલો લાંબો ચાલશે તો અમે અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે વચગાળાની જામીન માટે વિચાર કરીશું. મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ઈડી દ્વારા 21 માર્ચના રોજ કરવામાં આવી હતી.. અનેક કલાકો સુધી પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે જોવું રહ્યું કે અરવિંદ કેજરીવાલને જામીન મળશે કે નહીં?  



હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.