Delhi CM Arvind Kejriwalની વધી મુશ્કેલી, નોટિસ આપવા કેજરીવાલનેના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-03 13:09:13

દિલ્હીના મુખ્યમંત્રીને ગઈકાલે ઈડી સમક્ષ હાજર થવાનું હતું પૂછપરછ માટે. ઈડીએ તેમને પાંચ વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ દરેક વખતે તે નોટિસને ટાળી રહ્યા હતા. ગઈકાલે તેમને હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન થયા. ત્યારે એવી માહિતી સામે આવી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્યાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી છે. મીડિયા રિપોર્ટના અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલને ઘરે તેમને નોટિસ આપવા માટે પહોંચી છે. અરવિંદ કેજરીવાલે એવો બીજેપી પર એવો આરોપ લગાવ્યો હતો કે બીજેપી તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. આ મામલે દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અરવિંદ કેજરીવાલને નોટિસ આપવા માટે તેમના ઘરે પહોંચી હતી. 

ઈડીએ પાંચ વખત કેજરીવાલને મોકલી હતી નોટિસ! 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે. ઈડીએ તેમને પાંચ વખત હાજર થવા સમન્સ મોકલ્યું હતું પરંતુ એક પણ વખત તે ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટીને ડર હતોકે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. અરવિંદ કેજરીવાલે પણ નોટિસને ગેરકાયદેસર અનેક વખત ગણાવી છે. 



ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી અરવિંદ કેજરીવાલના ઘરે!

આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્રાઈમ બ્રાન્ચ અરવિંદ કેજરીવાલના ઘરે નોટિસ આપવા માટે પહોંચી હતી. ભાજપ પર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમના વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહી છે. 7 વિધાયકોને ખરીદવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. 


દિલ્હી પોલીસ નોટિસ આપવા માટે ગયા હતા પરંતુ..... 

મીડિયા રિપોર્ટ અનુસાર મુખ્યમંત્રીને નોટિસ આપવા માટે ગઈકાલે દિલ્હી પોલીસ ગઈ હતી પરંતુ મુખ્યમંત્રી તેમને મળવા ન આવ્યા હતા. અધિકારીઓ નોટિસ લેવાની જીદ કરવા લાગ્યા જેને કારણે પોલીસ ત્યાંથી જતી રહી. ત્યારે આજે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ નોટિસ આપવા માટે કેજરીવાલના ઘરે પહોંચી હતી. સીએમ ઓફિસ નોટિસ લેવા માટે તૈયાર છે પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નોટિસ અરવિંદ કેજરીવાલને જ આપશે તે વાત પર મક્કમ છે તેવી વાત સામે આવી છે. 

ભાજપ પર અરવિંદ કેજરીવાલે લગાવ્યો હતો આરોપ! 

ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવાલે 27 જાન્યુઆરીએ આરોપ લગાવ્યો હતો તે તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે તેમના ધારાસભ્યોને 25 કરોડની ઓફર કરી છે અને તેમને ટિકિટ આપવાની લાલચ પણ આપી છે. ત્યારે આ વાતને લઈ નોટિસ આપવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.