Delhiના CM Arvind Kejriwalની વધી મુશ્કેલી, આ મામલે LGએ CBI તપાસના આપ્યા આદેશ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-23 16:12:17

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે તો બીજી તરફ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈના તપાસનો આદેશ આપ્યો છે, આ અંગે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. હોસ્પિટલો માટે જે દવાઓ ખરીદવામાં આવે છે તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. 

દિલ્હીના એલજીએ સીબીઆઈ તપાસ કરવાની કરી ભલામણ  

દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક કૌભાંડ થયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દાવો કર્યો છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાંથી નકલી દવાઓ મળી આવી છે. મળતી માહિતી અનુસાર એલજી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં પરીક્ષણ કરાયેલા 10% સેમ્પલ ફેલ સાબિત થયા છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ વિજિલન્સ વિભાગના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી છે.

 


લાખો લોકોને આપવામાં આવે છે દવા 

વિજિલન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરતા દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને લખેલી નોટમાં કહ્યું છે કે આ ચિંતાજનક છે. આ દવાઓ લાખો દર્દીઓને આપવામાં આવી રહી છે. દવાઓની ખરીદીમાં બજેટની જંગી ફાળવણી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 


ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવી છે નોટિસ  

મહત્વનું છે કે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે, જેમાં તેમને 3 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ, ઇડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે 18 ડિસેમ્બરે સમન્સ જારી કરીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું હતું. પરંતુ સુનાવણીમાં હાજર થવાને બદલે કેજરીવાલ પંજાબના હોશિયારપુરમાં 10 દિવસની વિપશ્યના માટે રવાના થઈ ગયા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.