Delhiના CM Arvind Kejriwalની વધી મુશ્કેલી, આ મામલે LGએ CBI તપાસના આપ્યા આદેશ! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-23 16:12:17

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચિંતામાં વધારો થયો છે. એક તરફ ઈડીએ તેમને સમન્સ પાઠવ્યું છે તો બીજી તરફ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈના તપાસનો આદેશ આપ્યો છે, આ અંગે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે. હોસ્પિટલો માટે જે દવાઓ ખરીદવામાં આવે છે તેની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. 

દિલ્હીના એલજીએ સીબીઆઈ તપાસ કરવાની કરી ભલામણ  

દેશની રાજધાની દિલ્હીમાં વધુ એક કૌભાંડ થયો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની ઓફિસે દાવો કર્યો છે કે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાંથી નકલી દવાઓ મળી આવી છે. મળતી માહિતી અનુસાર એલજી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં પરીક્ષણ કરાયેલા 10% સેમ્પલ ફેલ સાબિત થયા છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ વિજિલન્સ વિભાગના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી છે.

 


લાખો લોકોને આપવામાં આવે છે દવા 

વિજિલન્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની ભલામણ કરતા દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને લખેલી નોટમાં કહ્યું છે કે આ ચિંતાજનક છે. આ દવાઓ લાખો દર્દીઓને આપવામાં આવી રહી છે. દવાઓની ખરીદીમાં બજેટની જંગી ફાળવણી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 


ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવી છે નોટિસ  

મહત્વનું છે કે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ શુક્રવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરીથી સમન્સ મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ત્રીજું સમન્સ મોકલ્યું છે, જેમાં તેમને 3 જાન્યુઆરીએ ED સમક્ષ હાજર થવા જણાવ્યું છે. અગાઉ, ઇડીએ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડમાં પૂછપરછ માટે 18 ડિસેમ્બરે સમન્સ જારી કરીને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું હતું. પરંતુ સુનાવણીમાં હાજર થવાને બદલે કેજરીવાલ પંજાબના હોશિયારપુરમાં 10 દિવસની વિપશ્યના માટે રવાના થઈ ગયા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે