Delhi CM અરવિંદ કેજરીવાલને હજી જેલમાં રહેવું પડશે? જેલવાસમાંથી નહીં મળે મુક્તિ, જાણો શા માટે જામીન પર મૂક્યો સ્ટે હાઈકોર્ટે?


  • Published By :
  • Published Date : 2024-06-21 16:30:26

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે . આ જામીન પર સ્ટે મુકવા બદલ એવો તર્ક આપ્યો છે કે , જ્યાં સુધી હાઈકૉર્ટમાં આ જામીન અરજીની સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ જ જામીન નહીં  મળે. 

નીચલી કોર્ટ દ્વારા આપી દેવામાં આવી હતી જામીન! 

અરવિંદ કેજરીવાલ કે જેઓ ૮૧ દિવસથી જેલમાં છે , તેમની પર દિલ્હી લિકર પોલિસીના કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે ત્યારે ગઈકાલે રાઉસ એવલ્યુ કોર્ટ એટલે કે નીચલી અદાલત દ્વારા જામીન મળી ગયા હતા પણ હવે દિલ્હી હાઈકોર્ટે આ જામીન પર રોક લગાવી દીધા છે . એટલે કે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવવા હજી વધારે રાહ જોવી પડશે . 


અરવિંદ કેજરીવાલની જામીન અરજીને ફટકારવામાં આવી

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પેહલા ખુબ ઉત્સાહી હતા પણ હવે આ દિલ્હી હાઈકોર્ટે રોક લગાવતા નિરાશ થઈ ગયા છે. એવી update સામે આવી રહી છે કે ED  એટલે કે enforcment ડિરેક્ટોરેટએ અરવિંદ કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યા છે ત્યારે આ બેલ પર સુનાવણી ચાલુ છે . અને જ્યાં સુધી આ સુનાવણી પુરી નયી થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સ્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મૂકી દેવામાં આવ્યો છે . 



11 વાગ્યે સમાચાર સામે આવ્યા કે...   

વાત આખી એમ છે કે , ૨ જૂનના દિવસે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં પાછાં સરેન્ડર થયા ત્યારે તેમણે પોતાના હેલ્થ ઈસ્યુના આધારે બેલ એપ્લિકેશન નાખી હતી . અને જ બેલ અરજી પર સુનાવણી કરતા rouse avenue કોર્ટના જજ દ્વારા ગઈકાલે દિલ્હી CM અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. આ બાદ આજે ૧૧ વાગ્યે સમાચાર આવે છે કે દિલ્હી હાઈકોર્ટે બેલ પર રોક લગાવી દીધી છે. કારણ કે EDએ આ નીચલી અદાલતની જામીન અરજીને દિલ્હીની વડી અદાલતમાં પડકાર્યા છે.  જ્યાં સુધી હાઈ કોર્ટમાં સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી આ જામીન અરજી પર રોક રહેશે.



સંજય સિંહની સામે આવી પ્રતિક્રિયા

AAP નેતા સંજય સિંહનું એવું કેહવું છે કે જ્યાં સુધી નીચલી અદાલતનો આદેશ નથી આવ્યો તો ED ક્યાં આધારે દિલ્હી હાઈકૉર્ટમાં પહોંચી છે . હવે જોવાનું એ છે કે , દિલ્હી હાઈકૉર્ટમાં આજે સુનાવણી પછી શું થશે . હવે વાત કરીએ ED ની તો તેમણે સ્પેશ્યલ લિવ પિટિશન દિલ્હી હાઈકૉર્ટમાં દાખલ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે , હાલમાં ખુબ મહત્વના મુદ્દાની તપાસ ચાલી રહી છે એટલે અરવિંદ કેજરીવાલને જામીન ના આપી શકાય. આ બાદ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.