Delhi CM અરવિંદ કેજરીવાલને હજી જેલમાં રહેવું પડશે? જેલવાસમાંથી નહીં મળે મુક્તિ, જાણો શા માટે જામીન પર મૂક્યો સ્ટે હાઈકોર્ટે?


  • Published By :
  • Published Date : 2024-06-21 16:30:26

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે . આ જામીન પર સ્ટે મુકવા બદલ એવો તર્ક આપ્યો છે કે , જ્યાં સુધી હાઈકૉર્ટમાં આ જામીન અરજીની સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ જ જામીન નહીં  મળે. 

નીચલી કોર્ટ દ્વારા આપી દેવામાં આવી હતી જામીન! 

અરવિંદ કેજરીવાલ કે જેઓ ૮૧ દિવસથી જેલમાં છે , તેમની પર દિલ્હી લિકર પોલિસીના કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે ત્યારે ગઈકાલે રાઉસ એવલ્યુ કોર્ટ એટલે કે નીચલી અદાલત દ્વારા જામીન મળી ગયા હતા પણ હવે દિલ્હી હાઈકોર્ટે આ જામીન પર રોક લગાવી દીધા છે . એટલે કે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવવા હજી વધારે રાહ જોવી પડશે . 


અરવિંદ કેજરીવાલની જામીન અરજીને ફટકારવામાં આવી

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પેહલા ખુબ ઉત્સાહી હતા પણ હવે આ દિલ્હી હાઈકોર્ટે રોક લગાવતા નિરાશ થઈ ગયા છે. એવી update સામે આવી રહી છે કે ED  એટલે કે enforcment ડિરેક્ટોરેટએ અરવિંદ કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યા છે ત્યારે આ બેલ પર સુનાવણી ચાલુ છે . અને જ્યાં સુધી આ સુનાવણી પુરી નયી થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સ્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મૂકી દેવામાં આવ્યો છે . 



11 વાગ્યે સમાચાર સામે આવ્યા કે...   

વાત આખી એમ છે કે , ૨ જૂનના દિવસે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં પાછાં સરેન્ડર થયા ત્યારે તેમણે પોતાના હેલ્થ ઈસ્યુના આધારે બેલ એપ્લિકેશન નાખી હતી . અને જ બેલ અરજી પર સુનાવણી કરતા rouse avenue કોર્ટના જજ દ્વારા ગઈકાલે દિલ્હી CM અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. આ બાદ આજે ૧૧ વાગ્યે સમાચાર આવે છે કે દિલ્હી હાઈકોર્ટે બેલ પર રોક લગાવી દીધી છે. કારણ કે EDએ આ નીચલી અદાલતની જામીન અરજીને દિલ્હીની વડી અદાલતમાં પડકાર્યા છે.  જ્યાં સુધી હાઈ કોર્ટમાં સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી આ જામીન અરજી પર રોક રહેશે.



સંજય સિંહની સામે આવી પ્રતિક્રિયા

AAP નેતા સંજય સિંહનું એવું કેહવું છે કે જ્યાં સુધી નીચલી અદાલતનો આદેશ નથી આવ્યો તો ED ક્યાં આધારે દિલ્હી હાઈકૉર્ટમાં પહોંચી છે . હવે જોવાનું એ છે કે , દિલ્હી હાઈકૉર્ટમાં આજે સુનાવણી પછી શું થશે . હવે વાત કરીએ ED ની તો તેમણે સ્પેશ્યલ લિવ પિટિશન દિલ્હી હાઈકૉર્ટમાં દાખલ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે , હાલમાં ખુબ મહત્વના મુદ્દાની તપાસ ચાલી રહી છે એટલે અરવિંદ કેજરીવાલને જામીન ના આપી શકાય. આ બાદ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.  



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.