Delhi CM અરવિંદ કેજરીવાલને હજી જેલમાં રહેવું પડશે? જેલવાસમાંથી નહીં મળે મુક્તિ, જાણો શા માટે જામીન પર મૂક્યો સ્ટે હાઈકોર્ટે?


  • Published By :
  • Published Date : 2024-06-21 16:30:26

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન પર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે . આ જામીન પર સ્ટે મુકવા બદલ એવો તર્ક આપ્યો છે કે , જ્યાં સુધી હાઈકૉર્ટમાં આ જામીન અરજીની સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોઈ જ જામીન નહીં  મળે. 

નીચલી કોર્ટ દ્વારા આપી દેવામાં આવી હતી જામીન! 

અરવિંદ કેજરીવાલ કે જેઓ ૮૧ દિવસથી જેલમાં છે , તેમની પર દિલ્હી લિકર પોલિસીના કૌભાંડમાં મની લોન્ડરિંગનો આરોપ છે ત્યારે ગઈકાલે રાઉસ એવલ્યુ કોર્ટ એટલે કે નીચલી અદાલત દ્વારા જામીન મળી ગયા હતા પણ હવે દિલ્હી હાઈકોર્ટે આ જામીન પર રોક લગાવી દીધા છે . એટલે કે હવે અરવિંદ કેજરીવાલે જેલમાંથી બહાર આવવા હજી વધારે રાહ જોવી પડશે . 


અરવિંદ કેજરીવાલની જામીન અરજીને ફટકારવામાં આવી

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પેહલા ખુબ ઉત્સાહી હતા પણ હવે આ દિલ્હી હાઈકોર્ટે રોક લગાવતા નિરાશ થઈ ગયા છે. એવી update સામે આવી રહી છે કે ED  એટલે કે enforcment ડિરેક્ટોરેટએ અરવિંદ કેજરીવાલના જામીનને દિલ્હી હાઈકૉર્ટમાં પડકાર્યા છે ત્યારે આ બેલ પર સુનાવણી ચાલુ છે . અને જ્યાં સુધી આ સુનાવણી પુરી નયી થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સ્ટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા મૂકી દેવામાં આવ્યો છે . 



11 વાગ્યે સમાચાર સામે આવ્યા કે...   

વાત આખી એમ છે કે , ૨ જૂનના દિવસે જ્યારે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં પાછાં સરેન્ડર થયા ત્યારે તેમણે પોતાના હેલ્થ ઈસ્યુના આધારે બેલ એપ્લિકેશન નાખી હતી . અને જ બેલ અરજી પર સુનાવણી કરતા rouse avenue કોર્ટના જજ દ્વારા ગઈકાલે દિલ્હી CM અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા. આ બાદ આજે ૧૧ વાગ્યે સમાચાર આવે છે કે દિલ્હી હાઈકોર્ટે બેલ પર રોક લગાવી દીધી છે. કારણ કે EDએ આ નીચલી અદાલતની જામીન અરજીને દિલ્હીની વડી અદાલતમાં પડકાર્યા છે.  જ્યાં સુધી હાઈ કોર્ટમાં સુનાવણી પુરી નહીં થાય ત્યાં સુધી આ જામીન અરજી પર રોક રહેશે.



સંજય સિંહની સામે આવી પ્રતિક્રિયા

AAP નેતા સંજય સિંહનું એવું કેહવું છે કે જ્યાં સુધી નીચલી અદાલતનો આદેશ નથી આવ્યો તો ED ક્યાં આધારે દિલ્હી હાઈકૉર્ટમાં પહોંચી છે . હવે જોવાનું એ છે કે , દિલ્હી હાઈકૉર્ટમાં આજે સુનાવણી પછી શું થશે . હવે વાત કરીએ ED ની તો તેમણે સ્પેશ્યલ લિવ પિટિશન દિલ્હી હાઈકૉર્ટમાં દાખલ કરી છે , જેમાં તેમણે જણાવ્યું છે કે , હાલમાં ખુબ મહત્વના મુદ્દાની તપાસ ચાલી રહી છે એટલે અરવિંદ કેજરીવાલને જામીન ના આપી શકાય. આ બાદ અરવિંદ કેજરીવાલની પત્ની સુનિતા કેજરીવાલની પ્રતિક્રિયા પણ સામે આવી છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.