Delhi CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, Noticeને લઈ AAPએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-03 12:05:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા માટે નહીં જાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસને લઈ પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ પાઠવવામાં આવી હતી. 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ઈડીએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. આપ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહયોગ આપવા માટે તૈયાર છે પરંતુ જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાનુની છે. 

અનેક વખત પૂછપરછ માટે બોલાવાયા છે અરવિંદ કેજરીવાલને 

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે EDએ 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલને આની પહેલા બે સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે પછી સીએમ વિપશ્યના માટે ગયા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કહ્યું કે આ માત્ર 2024ની લોકસભા ચૂંટણીના છેલ્લા મહિનામાં સનસનાટીભર્યા સમાચારો બનાવવા માટે છે. 

આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ 

ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સના સમય પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું, "તમારા સમન્સનો સમય મારી માન્યતાને વધુ મજબૂત કરે છે કે મને જે સમન્સ મોકલવામાં આવ્યા છે તે કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રચાર છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે." ચૂંટણી પહેલાના છેલ્લા કેટલાક મહિનાઓ સનસનાટીભર્યા સમાચાર આપવા માટે બંધાયેલા છે. મહત્વનું છે કે આજે પણ ઈડી સમક્ષ હાજર અરવિંદ કેજરીવાલ નથી થવાના ઉપરાંત નોટિસને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવી છે . 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.