Delhi CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, Noticeને લઈ AAPએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-03 12:05:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા માટે નહીં જાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસને લઈ પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ પાઠવવામાં આવી હતી. 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ઈડીએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. આપ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહયોગ આપવા માટે તૈયાર છે પરંતુ જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાનુની છે. 

અનેક વખત પૂછપરછ માટે બોલાવાયા છે અરવિંદ કેજરીવાલને 

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે EDએ 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલને આની પહેલા બે સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે પછી સીએમ વિપશ્યના માટે ગયા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કહ્યું કે આ માત્ર 2024ની લોકસભા ચૂંટણીના છેલ્લા મહિનામાં સનસનાટીભર્યા સમાચારો બનાવવા માટે છે. 

આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ 

ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સના સમય પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું, "તમારા સમન્સનો સમય મારી માન્યતાને વધુ મજબૂત કરે છે કે મને જે સમન્સ મોકલવામાં આવ્યા છે તે કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રચાર છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે." ચૂંટણી પહેલાના છેલ્લા કેટલાક મહિનાઓ સનસનાટીભર્યા સમાચાર આપવા માટે બંધાયેલા છે. મહત્વનું છે કે આજે પણ ઈડી સમક્ષ હાજર અરવિંદ કેજરીવાલ નથી થવાના ઉપરાંત નોટિસને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવી છે . 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.