Delhi CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, Noticeને લઈ AAPએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-03 12:05:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા માટે નહીં જાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસને લઈ પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ પાઠવવામાં આવી હતી. 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ઈડીએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. આપ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહયોગ આપવા માટે તૈયાર છે પરંતુ જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાનુની છે. 

અનેક વખત પૂછપરછ માટે બોલાવાયા છે અરવિંદ કેજરીવાલને 

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે EDએ 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલને આની પહેલા બે સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે પછી સીએમ વિપશ્યના માટે ગયા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કહ્યું કે આ માત્ર 2024ની લોકસભા ચૂંટણીના છેલ્લા મહિનામાં સનસનાટીભર્યા સમાચારો બનાવવા માટે છે. 

આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ 

ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સના સમય પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું, "તમારા સમન્સનો સમય મારી માન્યતાને વધુ મજબૂત કરે છે કે મને જે સમન્સ મોકલવામાં આવ્યા છે તે કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રચાર છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે." ચૂંટણી પહેલાના છેલ્લા કેટલાક મહિનાઓ સનસનાટીભર્યા સમાચાર આપવા માટે બંધાયેલા છે. મહત્વનું છે કે આજે પણ ઈડી સમક્ષ હાજર અરવિંદ કેજરીવાલ નથી થવાના ઉપરાંત નોટિસને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવી છે . 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.