Delhi CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, Noticeને લઈ AAPએ કહી આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-03 12:05:03

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડીને જવાબ આપવા માટે નહીં જાય અને પૂછપરછમાં ભાગ લેશે નહીં તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડ કેસને લઈ પૂછપરછ માટે દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ પાઠવવામાં આવી હતી. 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ઈડીએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું. આપ દ્વારા એવી માહિતી આપવામાં આવી કે તપાસ દરમિયાન અરવિંદ કેજરીવાલ સહયોગ આપવા માટે તૈયાર છે પરંતુ જે નોટિસ મોકલવામાં આવી છે તે ગેરકાનુની છે. 

અનેક વખત પૂછપરછ માટે બોલાવાયા છે અરવિંદ કેજરીવાલને 

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે EDએ 3 જાન્યુઆરીએ ત્રીજું સમન્સ જારી કર્યું હતું. કેજરીવાલને આની પહેલા બે સમન્સ મોકલવામાં આવ્યા હતા પરંતુ તે ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ તે પછી સીએમ વિપશ્યના માટે ગયા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કહ્યું કે આ માત્ર 2024ની લોકસભા ચૂંટણીના છેલ્લા મહિનામાં સનસનાટીભર્યા સમાચારો બનાવવા માટે છે. 

આજે પણ હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ 

ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સના સમય પર સવાલ ઉઠાવતા કેજરીવાલે કહ્યું, "તમારા સમન્સનો સમય મારી માન્યતાને વધુ મજબૂત કરે છે કે મને જે સમન્સ મોકલવામાં આવ્યા છે તે કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી, પરંતુ તે સંપૂર્ણ રીતે પ્રચાર છે અને ખૂબ જ આગળ વધી રહ્યા છે. દેશમાં લોકસભાની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે." ચૂંટણી પહેલાના છેલ્લા કેટલાક મહિનાઓ સનસનાટીભર્યા સમાચાર આપવા માટે બંધાયેલા છે. મહત્વનું છે કે આજે પણ ઈડી સમક્ષ હાજર અરવિંદ કેજરીવાલ નથી થવાના ઉપરાંત નોટિસને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવી છે . 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.