Delhi: CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, જાણો સમન્સને લઈ AAPએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-19 11:14:28

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. આ છઠ્ઠી વાર હશે જ્યારે ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સની અવગણના અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ આપ દ્વારા નોટિસને ગરેકાયદેસર બતાવી દેવામાં આવતી. ત્યારે આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય. ઈડીએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે જેને લઈ આપે કહ્યું કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

છઠ્ઠી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવ્યું હતું સમન્સ! 

ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે હાજર થવા અનેક વખત સમન્સ પાઠવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં સામેલ થવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠી વખત સમન્સ જારી કર્યા હતા. 19 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર થવા જણાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ ED દ્વારા પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા જેની મુખ્યમંત્રીએ અવગણના કરી હતી. આ વખતે પણ ઈડી સમક્ષ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. 


કોર્ટના દ્વાર ઈડીએ ખખડાવ્યા હતા!

આની પહેલા ઈડી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સની વાત કરીએ તો EDએ કેજરીવાલને 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે વખતે દિલ્હીના મુખ્યમંત્રી હાજર થયા ન હતા. ત્યારે આજે છઠ્ઠી વખત પાઠવેલા સમન્સને લઈ ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવાનું હતું. મહત્વનું છે કે ઈડી દ્વારા રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વારંવાર અરવિંદ કેજરીવાલ સમન્સની અવગણના કરી રહ્યા છે તેને લઈ અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી જોડાયા હતા. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .