Delhi: CM Arvind Kejriwal આજે પણ ED સમક્ષ નહીં થાય હાજર, જાણો સમન્સને લઈ AAPએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-19 11:14:28

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય તેવી જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે. આ છઠ્ઠી વાર હશે જ્યારે ઈડી દ્વારા આપવામાં આવેલા સમન્સની અવગણના અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી છે. કથિત દારૂ કૌભાંડને લઈ ઈડી દ્વારા અનેક વખત અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ આપ દ્વારા નોટિસને ગરેકાયદેસર બતાવી દેવામાં આવતી. ત્યારે આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર નહીં થાય. ઈડીએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો છે જેને લઈ આપે કહ્યું કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

છઠ્ઠી વખત ઈડીએ અરવિંદ કેજરીવાલને પાઠવ્યું હતું સમન્સ! 

ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે હાજર થવા અનેક વખત સમન્સ પાઠવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં સામેલ થવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને છઠ્ઠી વખત સમન્સ જારી કર્યા હતા. 19 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલને હાજર થવા જણાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ ED દ્વારા પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા જેની મુખ્યમંત્રીએ અવગણના કરી હતી. આ વખતે પણ ઈડી સમક્ષ કેજરીવાલ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. 


કોર્ટના દ્વાર ઈડીએ ખખડાવ્યા હતા!

આની પહેલા ઈડી દ્વારા પાઠવવામાં આવેલા સમન્સની વાત કરીએ તો EDએ કેજરીવાલને 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે વખતે દિલ્હીના મુખ્યમંત્રી હાજર થયા ન હતા. ત્યારે આજે છઠ્ઠી વખત પાઠવેલા સમન્સને લઈ ઈડી સમક્ષ અરવિંદ કેજરીવાલને હાજર થવાનું હતું. મહત્વનું છે કે ઈડી દ્વારા રાઉજ એવન્યુ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વારંવાર અરવિંદ કેજરીવાલ સમન્સની અવગણના કરી રહ્યા છે તેને લઈ અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે અરવિંદ કેજરીવાલ વર્ચ્યુઅલી જોડાયા હતા. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.