Delhi CM Arvind Kejriwal આજે પણ ઈડી સમક્ષ નહીં થાય હાજર, પાંચમી વખત મોકલવામાં આવ્યું હતું સમન્સ


  • Published By :
  • Published Date : 2024-02-02 11:48:05

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું આજે પણ તે પૂછપરછ માટે હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. ઈડીના સમન્સને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી શકે છે. પીએમ મોદી પર નિશાન સાધતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરી દિલ્હીની સરકારને પાડવા માંગે છે. 

પાંચમી વખત ઈડીએ હાજર થવા મોકલ્યું હતું સમન્સ 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન્સ પાઠવ્યું હતું. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ઈડીએ ચાર સમન્સ પાઠવ્યા છે પરંતુ દરેક વખતે તે હાજર નથી થયા. ત્યારે પાંચમી વખત મોકલાયેલા સમન્સમાં પણ તે ઈડી સમક્ષ હાજર નથી થવાના.   


આ તારીખોએ મોકલવામાં આવ્યા છે સમન્સ  

આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમનને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન્સ મોકલ્યું હતું. જો કે  તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા. ત્યારે પાંચમી વખતે મોકલાયેલા સમન્સમાં પણ કેજરીવાલ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી દ્વારા મોકલવામાં આવતા સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે અનેક વખત પ્રશ્ન ઉઠાવ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.