Delhi CM Arvind Kejriwal આજે પણ ઈડી સમક્ષ નહીં થાય હાજર, પાંચમી વખત મોકલવામાં આવ્યું હતું સમન્સ


  • Published By :
  • Published Date : 2024-02-02 11:48:05

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું આજે પણ તે પૂછપરછ માટે હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. ઈડીના સમન્સને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી શકે છે. પીએમ મોદી પર નિશાન સાધતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરી દિલ્હીની સરકારને પાડવા માંગે છે. 

પાંચમી વખત ઈડીએ હાજર થવા મોકલ્યું હતું સમન્સ 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન્સ પાઠવ્યું હતું. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ઈડીએ ચાર સમન્સ પાઠવ્યા છે પરંતુ દરેક વખતે તે હાજર નથી થયા. ત્યારે પાંચમી વખત મોકલાયેલા સમન્સમાં પણ તે ઈડી સમક્ષ હાજર નથી થવાના.   


આ તારીખોએ મોકલવામાં આવ્યા છે સમન્સ  

આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમનને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન્સ મોકલ્યું હતું. જો કે  તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા. ત્યારે પાંચમી વખતે મોકલાયેલા સમન્સમાં પણ કેજરીવાલ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી દ્વારા મોકલવામાં આવતા સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે અનેક વખત પ્રશ્ન ઉઠાવ્યા છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.