Delhi CM Arvind Kejriwal આજે પણ ઈડી સમક્ષ નહીં થાય હાજર, પાંચમી વખત મોકલવામાં આવ્યું હતું સમન્સ


  • Published By :
  • Published Date : 2024-02-02 11:48:05

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી સમક્ષ પૂછપરછ માટે હાજર થવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાંચમી વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું આજે પણ તે પૂછપરછ માટે હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. ઈડીના સમન્સને ગેરકાયદેસર આપ દ્વારા બતાવવામાં આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી શકે છે. પીએમ મોદી પર નિશાન સાધતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે તેમનો ઈરાદો કેજરીવાલની ધરપકડ કરી દિલ્હીની સરકારને પાડવા માંગે છે. 

પાંચમી વખત ઈડીએ હાજર થવા મોકલ્યું હતું સમન્સ 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ફરી એક વખત ઈડીએ સમન્સ પાઠવ્યું હતું. ઈડીએ કેજરીવાલની પૂછપરછ કરવા માટે પાંચમી વખત સમન્સ મોકલ્યું હતું. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ આજે પણ અરવિંદ કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નથી થવાના તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આની પહેલા ઈડીએ ચાર સમન્સ પાઠવ્યા છે પરંતુ દરેક વખતે તે હાજર નથી થયા. ત્યારે પાંચમી વખત મોકલાયેલા સમન્સમાં પણ તે ઈડી સમક્ષ હાજર નથી થવાના.   


આ તારીખોએ મોકલવામાં આવ્યા છે સમન્સ  

આ પહેલા ઈડી દ્વારા મોકલવામાં આવેલા સમનને મુખ્યમંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી ગણાવી હતી. આ અગાઉ ઈડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર, અને 2 નવેમ્બરના રોજ દિલ્હી સીએમને સમન્સ મોકલ્યું હતું. જો કે  તેઓ ઈડી સમક્ષ હાજર થયા નહોંતા. ત્યારે પાંચમી વખતે મોકલાયેલા સમન્સમાં પણ કેજરીવાલ હાજર નહીં થાય તેવી માહિતી સામે આવી છે. ઈડી દ્વારા મોકલવામાં આવતા સમન્સ પર પણ અરવિંદ કેજરીવાલે અનેક વખત પ્રશ્ન ઉઠાવ્યા છે.  



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.