દિલ્હીના CM કેજરીવાલ પહોંચ્યા CBI હેડક્વાર્ટર, આપના નેતાઓના હોબાળા બાદ પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-04-16 17:09:09

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસને લઈ CBI હેડક્વાર્ટર પહોંચ્યા છે. CBI તપાસમાં જોડાતા પહેલા કેજરીવાલે કહ્યું કે તેઓ CBIના તમામ પ્રશ્નોના જવાબ ઈમાનદારીથી આપશે. કંઈ જ ખોટું કર્યું નથી, તેથી છુપાવવા જેવું પણ કંઈ નથી. કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો દેશનો વિકાસ નથી ઈચ્છતા. કેજરીવાલે રવિવારે સવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરશે.


હેડક્વાર્ટરની બહાર જડબેસલાક સુરક્ષા


સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળો સહિત 1,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત કરવામાં આવ્યા છે અને ચારથી વધુ લોકો એકઠા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) ની કલમ 144 લાગુ કરવામાં આવી છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાઉઝ એવન્યુ સ્થિત આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AAP કાર્યાલય અને CBI હેડક્વાર્ટરની નજીકના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે કારણ કે  AAPના કાર્યકરો અને સમર્થકો કોઈ સમસ્યા ન સર્જે તેની આશંકા છે.


AAPના નેતાઓની અટકાયત 


દિલ્હી પોલીસે CBI ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે આપના નેતાઓ CBI ઓફિસથી થોડાક મીટર દૂર આતિશી, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ, ભગવંત માન અને કુલતાર સિંહ લોધી રોડના ફૂટપાથ પર બેઠા હતા. ત્યાર બાદ રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને અન્ય સહિત આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સીબીઆઈ હાલમાં દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.