દિલ્હીના CM કેજરીવાલ પહોંચ્યા CBI હેડક્વાર્ટર, આપના નેતાઓના હોબાળા બાદ પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-04-16 17:09:09

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસને લઈ CBI હેડક્વાર્ટર પહોંચ્યા છે. CBI તપાસમાં જોડાતા પહેલા કેજરીવાલે કહ્યું કે તેઓ CBIના તમામ પ્રશ્નોના જવાબ ઈમાનદારીથી આપશે. કંઈ જ ખોટું કર્યું નથી, તેથી છુપાવવા જેવું પણ કંઈ નથી. કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો દેશનો વિકાસ નથી ઈચ્છતા. કેજરીવાલે રવિવારે સવારે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રીય એજન્સી તેમની ધરપકડ કરશે.


હેડક્વાર્ટરની બહાર જડબેસલાક સુરક્ષા


સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અર્ધલશ્કરી દળો સહિત 1,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર તૈનાત કરવામાં આવ્યા છે અને ચારથી વધુ લોકો એકઠા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારમાં ફોજદારી પ્રક્રિયા સંહિતા (સીઆરપીસી) ની કલમ 144 લાગુ કરવામાં આવી છે, અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાઉઝ એવન્યુ સ્થિત આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યાલયની બહાર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે AAP કાર્યાલય અને CBI હેડક્વાર્ટરની નજીકના રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે કારણ કે  AAPના કાર્યકરો અને સમર્થકો કોઈ સમસ્યા ન સર્જે તેની આશંકા છે.


AAPના નેતાઓની અટકાયત 


દિલ્હી પોલીસે CBI ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કરવા માટે આપના નેતાઓ CBI ઓફિસથી થોડાક મીટર દૂર આતિશી, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ, ભગવંત માન અને કુલતાર સિંહ લોધી રોડના ફૂટપાથ પર બેઠા હતા. ત્યાર બાદ રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને અન્ય સહિત આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. સીબીઆઈ હાલમાં દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.