સરકારે મફતમાં કશું નથી આપ્યું તો પણ ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું કેમ?: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:56:04

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલન સંબોધિત કર્યું હતું. સંબોધન દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં ઓપરેશન લોટસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓના સ્થળોએ કેન્દ્રીય એજન્સીઓના દરોડા, રેવડી કલ્ચર, વિપક્ષી ભાજપ વગેરે મામલે વાત કરી હતી. 


કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, '26 નવેમ્બર 1949ના રોજ બંધારણીય સભાએ બંધારણ અપનાવેલું. 60 વર્ષમાં આ પાર્ટીઓ અને નેતાઓએ આ બંધારણના ચિંથરા ઉડાવી દીધા અને પછી ભગવાને વચ્ચે આવવું પડ્યું. તેના બિલકુલ 63 વર્ષો બાદ 26 નવમ્બર 2012ના રોજ આમ આદમી પાર્ટી બની. આજે 20 રાજ્યો અને યુનિયન ટેરીટરીમાં અમારા 1,446 જનપ્રતિનિધિ છે. MLA, MP, જિલ્લા પંચાયત સદસ્યો બધા જ છે.'


કેજરીવાલે તેને બીજ સમાન ગણાવીને આગળ જતાં વિશાળ વૃક્ષ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતમાં પણ તે વૃક્ષ સમાન વિશાળ સ્વરૂપ બનાવશે તેમ જણાવ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે, '1.5 વર્ષ પહેલા ગુજરાતમાં 27 બીજ રોપ્યા હતા. વિશ્વમાં કોઈ પાર્ટીનો આટલી ઝડપથી વિકાસ નથી થયો. કૃષ્ણને બાળપણમાં કાન્હા કહેતા હતા અને કાન્હાએ અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. અમે પણ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારીનો વધ કરી રહ્યા છીએ. જો બીજી પાર્ટીના લોકો કશું કામ કરતા હોત તો લોકો અમને લાત મારીને બહાર ભગાડી દેતા.'


ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ AAPની તાકાત


કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આમ આદમી પાર્ટીની ચાર વાતો- ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ લોકોને પસંદ આવી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મફતની રેવડીને ભારતના રાજકારણમાં સામેલ કરી જે વિરોધીઓ ગળી પણ નથી શકતા અને બહાર પણ નથી કાઢી શકતા. વિરોધીઓ એમ કહે છે કે, તેનાથી સરકાર પર દેવું ચઢશે. ગુજરાત અને પંજાબ પર તો 3.5 લાખ કરોડનું દેવું છે. ત્યાંની સરકારોએ તો મફતમાં કશું નહોતું આપ્યું. દિલ્હીમાં બધું ફ્રી છે છતાં દેવું નથી. જે નેતા એમ કહે છે કે, મફતની રેવડી ન વહેંચવી જોઈએ તે બેઈમાન અને ભ્રષ્ટ છે. તેઓ સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીને કચડી નાખવા ઈચ્છે છે. 




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.