સરકારે મફતમાં કશું નથી આપ્યું તો પણ ગુજરાત પર 3.5 લાખ કરોડનું દેવું કેમ?: કેજરીવાલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 15:56:04

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલન સંબોધિત કર્યું હતું. સંબોધન દરમિયાન કેજરીવાલે દિલ્હીમાં ઓપરેશન લોટસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓના સ્થળોએ કેન્દ્રીય એજન્સીઓના દરોડા, રેવડી કલ્ચર, વિપક્ષી ભાજપ વગેરે મામલે વાત કરી હતી. 


કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, '26 નવેમ્બર 1949ના રોજ બંધારણીય સભાએ બંધારણ અપનાવેલું. 60 વર્ષમાં આ પાર્ટીઓ અને નેતાઓએ આ બંધારણના ચિંથરા ઉડાવી દીધા અને પછી ભગવાને વચ્ચે આવવું પડ્યું. તેના બિલકુલ 63 વર્ષો બાદ 26 નવમ્બર 2012ના રોજ આમ આદમી પાર્ટી બની. આજે 20 રાજ્યો અને યુનિયન ટેરીટરીમાં અમારા 1,446 જનપ્રતિનિધિ છે. MLA, MP, જિલ્લા પંચાયત સદસ્યો બધા જ છે.'


કેજરીવાલે તેને બીજ સમાન ગણાવીને આગળ જતાં વિશાળ વૃક્ષ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતમાં પણ તે વૃક્ષ સમાન વિશાળ સ્વરૂપ બનાવશે તેમ જણાવ્યું હતું. કેજરીવાલે જણાવ્યું કે, '1.5 વર્ષ પહેલા ગુજરાતમાં 27 બીજ રોપ્યા હતા. વિશ્વમાં કોઈ પાર્ટીનો આટલી ઝડપથી વિકાસ નથી થયો. કૃષ્ણને બાળપણમાં કાન્હા કહેતા હતા અને કાન્હાએ અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. અમે પણ ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારીનો વધ કરી રહ્યા છીએ. જો બીજી પાર્ટીના લોકો કશું કામ કરતા હોત તો લોકો અમને લાત મારીને બહાર ભગાડી દેતા.'


ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ AAPની તાકાત


કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે આમ આદમી પાર્ટીની ચાર વાતો- ઈમાનદારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ અને ફ્રીબીઝ લોકોને પસંદ આવી રહ્યા છે. કેજરીવાલે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મફતની રેવડીને ભારતના રાજકારણમાં સામેલ કરી જે વિરોધીઓ ગળી પણ નથી શકતા અને બહાર પણ નથી કાઢી શકતા. વિરોધીઓ એમ કહે છે કે, તેનાથી સરકાર પર દેવું ચઢશે. ગુજરાત અને પંજાબ પર તો 3.5 લાખ કરોડનું દેવું છે. ત્યાંની સરકારોએ તો મફતમાં કશું નહોતું આપ્યું. દિલ્હીમાં બધું ફ્રી છે છતાં દેવું નથી. જે નેતા એમ કહે છે કે, મફતની રેવડી ન વહેંચવી જોઈએ તે બેઈમાન અને ભ્રષ્ટ છે. તેઓ સૌ સાથે મળીને આમ આદમી પાર્ટીને કચડી નાખવા ઈચ્છે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.