Delhi : Munna Bhaiની જેમ નકલી MBBS બની સર્જરી કરી કેટલાયના જીવ લીધા, પર્દાફાશ થતા આટલા લોકોની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-17 10:25:30

નકલીનો પર્દાફાશ અનેક વખત થઈ રહ્યો છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી મળી આવે છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારીની પકડ થાય છે. અધિકારીઓ સુધી તો ઠીક હતું પરંતુ હવે તો નકલી ડોક્ટરો મળી આવી રહ્યા છે! નકલી ડોક્ટરોનો પર્દાફાશ થયો છે જે દિલ્હીના એક પ્રાઈવેટ મેડિકલ સેન્ટરથી સામે આવ્યો છે. જે ચાર ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે તેમાંથી બે સાચા ડોક્ટર હતા અને બે નકલી ડોક્ટર હતા. નકલી ડોક્ટરોમાં એક ડોક્ટરની પત્ની છે અને બીજી ઓપરેશન થિયેટર ટેકનિશિયન છે.

થોડા પૈસાની લાલચમાં લોકો બીજાની જીંદગી સાથે રમી રહ્યા છે! 

મોતના મેડિકલ સેન્ટરનો પર્દાફાશ થયો છે,અહીં એક નહિ પણ ચાર ચાર મુન્ના ભાઈ ઝડપાયા છે. આ સમાચાર સાંભળી તમે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા પહેલા સો વાર વિચારશો, કારણ કે ડોક્ટરના વેશમાં નકલી ડોક્ટરનું આખું મેડિકલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે નકલી ડોકટરોની ટીમનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ડોક્ટરો ન હોવા છતાં, ડોક્ટરો હોવાનો ઢોંગ કરીને સર્જરી કરીને લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા હતા. થોડા પૈસાના લોભને કારણે અને નકલી ડોક્ટરોની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અગ્રવાલ મેડિકલ સેન્ટરમાં ચાલતું હતું આ કાંડ!  

આ મામલો રાજધાની દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારનો છે. અહીં નકલી ડોક્ટરો કોઈપણ પ્રકારની મેડિકલ લાયકાત વગર સર્જરી કરતા હતા. દિલ્હી પોલીસે ઘટનાસ્થળેથી 4 લોકોની ધરપકડ કરી છે. અસલી ડોક્ટર અને નકલી ડોક્ટરનો આ મેડકિલ સેન્ટરમાં ખેલ ચાલતો હતો પોલીસે જણાવ્યું કે આ ગેંગ ગ્રેટર કૈલાશ  ના E બ્લોકમાં એક નર્સિંગ હોમ ચલાવતી હતી.આ મેડિકલ સેન્ટરનું નામ અગ્રવાલ મેડિકલ સેન્ટર છે જ્યાં સ્પષ્ટ રીતે એવું પણ લખવામાં આવ્યું છે કે આ હોસ્પિટલ ગવર્મેન્ટ approved છે. દિલ્હી પોલીસને એક મહિલાએ ફરિયાદ કરી હતી કે આ હોસ્પિટલએ તેમના પતિની ખોટી સર્જરી કરી છે અને જીવ લઇ લીધો છે. જેની પોલીસ દ્વારા તપાસ કરતા આ ભાંડાફોડ થયો છે અને પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.