Delhi : Munna Bhaiની જેમ નકલી MBBS બની સર્જરી કરી કેટલાયના જીવ લીધા, પર્દાફાશ થતા આટલા લોકોની પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-17 10:25:30

નકલીનો પર્દાફાશ અનેક વખત થઈ રહ્યો છે. કોઈ વખત નકલી પીએમઓ અધિકારી મળી આવે છે તો કોઈ વખત નકલી સીએમઓ અધિકારીની પકડ થાય છે. અધિકારીઓ સુધી તો ઠીક હતું પરંતુ હવે તો નકલી ડોક્ટરો મળી આવી રહ્યા છે! નકલી ડોક્ટરોનો પર્દાફાશ થયો છે જે દિલ્હીના એક પ્રાઈવેટ મેડિકલ સેન્ટરથી સામે આવ્યો છે. જે ચાર ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે તેમાંથી બે સાચા ડોક્ટર હતા અને બે નકલી ડોક્ટર હતા. નકલી ડોક્ટરોમાં એક ડોક્ટરની પત્ની છે અને બીજી ઓપરેશન થિયેટર ટેકનિશિયન છે.

થોડા પૈસાની લાલચમાં લોકો બીજાની જીંદગી સાથે રમી રહ્યા છે! 

મોતના મેડિકલ સેન્ટરનો પર્દાફાશ થયો છે,અહીં એક નહિ પણ ચાર ચાર મુન્ના ભાઈ ઝડપાયા છે. આ સમાચાર સાંભળી તમે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા પહેલા સો વાર વિચારશો, કારણ કે ડોક્ટરના વેશમાં નકલી ડોક્ટરનું આખું મેડિકલ સેન્ટર ઝડપાયું છે. પોલીસે નકલી ડોકટરોની ટીમનો પર્દાફાશ પોલીસે કર્યો છે. ડોક્ટરો ન હોવા છતાં, ડોક્ટરો હોવાનો ઢોંગ કરીને સર્જરી કરીને લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા હતા. થોડા પૈસાના લોભને કારણે અને નકલી ડોક્ટરોની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

અગ્રવાલ મેડિકલ સેન્ટરમાં ચાલતું હતું આ કાંડ!  

આ મામલો રાજધાની દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારનો છે. અહીં નકલી ડોક્ટરો કોઈપણ પ્રકારની મેડિકલ લાયકાત વગર સર્જરી કરતા હતા. દિલ્હી પોલીસે ઘટનાસ્થળેથી 4 લોકોની ધરપકડ કરી છે. અસલી ડોક્ટર અને નકલી ડોક્ટરનો આ મેડકિલ સેન્ટરમાં ખેલ ચાલતો હતો પોલીસે જણાવ્યું કે આ ગેંગ ગ્રેટર કૈલાશ  ના E બ્લોકમાં એક નર્સિંગ હોમ ચલાવતી હતી.આ મેડિકલ સેન્ટરનું નામ અગ્રવાલ મેડિકલ સેન્ટર છે જ્યાં સ્પષ્ટ રીતે એવું પણ લખવામાં આવ્યું છે કે આ હોસ્પિટલ ગવર્મેન્ટ approved છે. દિલ્હી પોલીસને એક મહિલાએ ફરિયાદ કરી હતી કે આ હોસ્પિટલએ તેમના પતિની ખોટી સર્જરી કરી છે અને જીવ લઇ લીધો છે. જેની પોલીસ દ્વારા તપાસ કરતા આ ભાંડાફોડ થયો છે અને પોલીસે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે