Delhi Liquor Policy Case: AAP સાંસદ સંજય સિંહની ધરપકડ, 10 કલાકની પૂછપરછ બાદ EDની કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-04 22:38:32

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ (AAP Sanjay Singh Arrested)ની ધરપકડ કરી છે. EDએ બુધવારે સવારે 7 વાગ્યાથી સંજય સિંહના દિલ્હીના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી ઘણા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ EDએ બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે સંજય સિંહની ધરપકડ કરી હતી. સંજય સિંહનું નામ એક્સાઇઝ પોલિસી કેસની ચાર્જશીટમાં પણ છે. આ કેસમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં છે.


જાન્યુઆરીમાં EDએ તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું


આ વર્ષે જાન્યુઆરીમાં EDએ તેની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ ઉમેર્યું હતું. આ અંગે સંજય સિંહે ભારે હોબાળો મચાવ્યો હતો. સંજય સિંહે દાવો કર્યો હતો કે EDએ ભૂલથી તેમનું નામ ઉમેર્યું છે. જેના જવાબમાં EDએ કહ્યું કે તેમની ચાર્જશીટમાં ચાર જગ્યાએ સંજય સિંહનું નામ લખવામાં આવ્યું છે. આ ત્રણ જગ્યાએ નામની જોડણી સાચી છે. માત્ર એક જ જગ્યાએ ટાઇપિંગની ભૂલ હતી. જે બાદ EDએ સંજય સિંહને મીડિયામાં નિવેદન ન આપવાની સલાહ આપી હતી, કારણ કે મામલો કોર્ટમાં પેન્ડિંગ છે.


સંજય સિંહ પર આરોપ શું છે?


EDની ચાર્જશીટમાં સંજય સિંહ પર 82 લાખ રૂપિયાનું ફંડ લેવાનો આરોપ છે. જેના કારણે બુધવારે EDએ તેમના ઘરે દરોડા પાડ્યા હતા.



શું છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ?


દિલ્હીમાં કેજરીવાલ સરકારે એક નવી આબકારી નીતિ લાવીને માનીતાઓને ફાયદો કરાવ્યો હતો અને મનમાની રીતે દારુની દુકાનોના લાઈસન્સ ફાળવ્યાં હતા જેના બદલમાં આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ અપાયું હતું. જૂની આબકારી નીતિ હેઠળ, છૂટક વિક્રેતાઓને L1 અને L10 લાઇસન્સ આપવામાં આવ્યા હતા. 17 નવેમ્બર 2021 ના ​​રોજ દારૂ માટેની નવી આબકારી નીતિના અમલીકરણ સુધી, 849 દારૂની દુકાનો હતી. તેમાંથી 60% દુકાનો સરકારી અને 40% ખાનગી હતી. નવી નીતિ હેઠળ દિલ્હીમાં સરકારી દારૂની દુકાનો બંધ કરવામાં આવી હતી. નવી નીતિને લાગુ કરવા માટે, દિલ્હીને 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 27 દારૂની દુકાનો હતી. આ દુકાનોના માલિકી હક્ક ઝોનને આપવામાં આવેલા લાયસન્સ હેઠળ આપવામાં આવ્યા હતા. દરેક વોર્ડમાં 2 થી 3 વેન્ડરને દારૂનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. નવી લિકર પોલિસીમાં ઘણી ખામીઓ બાદ ચાર મહિનામાં નવી લિકર પોલિસી પાછી ખેંચી લેવામાં આવી હતી.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.