Delhi Liquor Scam : ED સમક્ષ પૂછપરછ માટે આજે હાજર થશે Arvind Kejriwal, ધરપકડ થઈ શકે છે તેવી AAPને આશંકા


  • Published By :
  • Published Date : 2023-11-02 09:14:57

ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પૂછપરછ માટે હાજર થવાના છે. કથિત દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યા હતા. 2 નવેમ્બર એટલે કે આજે સવારે 11 વાગ્યે ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા જ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી  

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નેતાઓને સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે. આપના અનેક મોટા નેતાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જામીન માટે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવાઈ હતી. પરંતુ કોર્ટે તપાસ એજન્સીને આ મામલે જલ્દી કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. તો બીજી તરફ સંજય સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. 

કેજરીવાલ આજે ઈડી સમક્ષ થવાના છે હાજર 

ત્યારે આજે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થવાના છે. ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે તેવી આશંકા આમ આદમી પાર્ટીને છે. થોડા દિવસો પહેલા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં આપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ જશે તો ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને ભાજપ તેમજ પીએમ મોદી ખતમ કરવા માગે છે.


રાઘવ ચઢ્ઢાએ કહી આ વાત! 

અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થવાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી છે જેમાંસાંસદ રાઘવ ચઢ્ઢા જણાવી રહ્યા છે કે 2014થી 2022ની વચ્ચે કેટલા મોટા નેતાઓ વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો અને તેમાંથી વિપક્ષના કેટલા છે. વિપક્ષના મોટા નેતાઓના નામનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બીજા અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર નિશાન સાધ્યું છે. હવે જોવું રહ્યું કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે તે બાદ શું થાય છે?   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.