Delhi Liquor Scam : ED સમક્ષ પૂછપરછ માટે આજે હાજર થશે Arvind Kejriwal, ધરપકડ થઈ શકે છે તેવી AAPને આશંકા


  • Published By :
  • Published Date : 2023-11-02 09:14:57

ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પૂછપરછ માટે હાજર થવાના છે. કથિત દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યા હતા. 2 નવેમ્બર એટલે કે આજે સવારે 11 વાગ્યે ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા જ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી  

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નેતાઓને સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે. આપના અનેક મોટા નેતાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જામીન માટે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવાઈ હતી. પરંતુ કોર્ટે તપાસ એજન્સીને આ મામલે જલ્દી કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. તો બીજી તરફ સંજય સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. 

કેજરીવાલ આજે ઈડી સમક્ષ થવાના છે હાજર 

ત્યારે આજે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થવાના છે. ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે તેવી આશંકા આમ આદમી પાર્ટીને છે. થોડા દિવસો પહેલા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં આપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ જશે તો ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને ભાજપ તેમજ પીએમ મોદી ખતમ કરવા માગે છે.


રાઘવ ચઢ્ઢાએ કહી આ વાત! 

અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થવાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી છે જેમાંસાંસદ રાઘવ ચઢ્ઢા જણાવી રહ્યા છે કે 2014થી 2022ની વચ્ચે કેટલા મોટા નેતાઓ વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો અને તેમાંથી વિપક્ષના કેટલા છે. વિપક્ષના મોટા નેતાઓના નામનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બીજા અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર નિશાન સાધ્યું છે. હવે જોવું રહ્યું કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે તે બાદ શું થાય છે?   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.