Delhi Liquor Scam : ED સમક્ષ પૂછપરછ માટે આજે હાજર થશે Arvind Kejriwal, ધરપકડ થઈ શકે છે તેવી AAPને આશંકા


  • Published By :
  • Published Date : 2023-11-02 09:14:57

ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પૂછપરછ માટે હાજર થવાના છે. કથિત દારૂ કૌભાંડ મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રીને સમન્સ પાઠવ્યા હતા. 2 નવેમ્બર એટલે કે આજે સવારે 11 વાગ્યે ઈડીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા જ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી  

આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી ઘટવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક નેતાઓને સમન્સ પાઠવવામાં આવી રહ્યા છે. આપના અનેક મોટા નેતાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. થોડા સમય પહેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જામીન માટે અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવાઈ હતી. પરંતુ કોર્ટે તપાસ એજન્સીને આ મામલે જલ્દી કાર્યવાહી કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. તો બીજી તરફ સંજય સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. 

કેજરીવાલ આજે ઈડી સમક્ષ થવાના છે હાજર 

ત્યારે આજે ઈડી સમક્ષ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂછપરછ માટે હાજર થવાના છે. ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે તેવી આશંકા આમ આદમી પાર્ટીને છે. થોડા દિવસો પહેલા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં આપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ જશે તો ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવશે. ઉપરાંત એવું પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીને ભાજપ તેમજ પીએમ મોદી ખતમ કરવા માગે છે.


રાઘવ ચઢ્ઢાએ કહી આ વાત! 

અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ હાજર થવાને છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી છે જેમાંસાંસદ રાઘવ ચઢ્ઢા જણાવી રહ્યા છે કે 2014થી 2022ની વચ્ચે કેટલા મોટા નેતાઓ વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો અને તેમાંથી વિપક્ષના કેટલા છે. વિપક્ષના મોટા નેતાઓના નામનો તેમણે ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત બીજા અનેક મુદ્દાઓને લઈ તેમણે સરકાર પર નિશાન સાધ્યું છે. હવે જોવું રહ્યું કે ઈડી સમક્ષ જ્યારે પૂછપરછ માટે અરવિંદ કેજરીવાલ હાજર થાય છે તે બાદ શું થાય છે?   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.