Delhi Liquor Scam: ED આવતી કાલે દિલ્હીના CM કેજરીવાલની કરશે પૂછપરછ, ધરપકડની આશંકા


  • Published By :
  • Published Date : 2023-11-01 22:00:46

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં CBI બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. EDએ CM કેજરીવાલને 2 નવેમ્બરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


કેજરીવાલની ધરપકડ થઈ શકે


આ પહેલીવાર છે જ્યારે EDએ આ કેસમાં કેજરીવાલને સમન્સ જારી કર્યું છે. અગાઉ દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ એપ્રિલમાં તેમની પૂછપરછ કરી હતી. CBIએ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે એવા રિપોર્ટ્સ છે કે કેજરીવાલની 2 નવેમ્બરે ધરપકડ કરવામાં આવશે. મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનો ઉલ્લેખ કરતાં આતિશીએ કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે.  


કેજરીવાલને EDએ શા માટે બોલાવ્યા?


- EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સીએમ કેજરીવાલને સમન્સ જારી કર્યું છે.


- EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.


- EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સી દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.