Delhi Liquor Scam: ED આવતી કાલે દિલ્હીના CM કેજરીવાલની કરશે પૂછપરછ, ધરપકડની આશંકા


  • Published By :
  • Published Date : 2023-11-01 22:00:46

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં CBI બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. EDએ CM કેજરીવાલને 2 નવેમ્બરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. ખાસ વાત એ છે કે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.


કેજરીવાલની ધરપકડ થઈ શકે


આ પહેલીવાર છે જ્યારે EDએ આ કેસમાં કેજરીવાલને સમન્સ જારી કર્યું છે. અગાઉ દારૂ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ એપ્રિલમાં તેમની પૂછપરછ કરી હતી. CBIએ કેજરીવાલની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.આમ આદમી પાર્ટીએ આશંકા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ દાવો કર્યો હતો કે એવા રિપોર્ટ્સ છે કે કેજરીવાલની 2 નવેમ્બરે ધરપકડ કરવામાં આવશે. મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સત્યેન્દ્ર જૈનની ધરપકડનો ઉલ્લેખ કરતાં આતિશીએ કહ્યું કે ભાજપનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે.  


કેજરીવાલને EDએ શા માટે બોલાવ્યા?


- EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સીએમ કેજરીવાલને સમન્સ જારી કર્યું છે.


- EDની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેક વખત ઉલ્લેખ છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.


- EDએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સી દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.