દિલ્હીના નાંગલોઈમાં મોહરમના જુલૂસમાં પથ્થરમારા બાદ પોલીસે FIR નોંધી, CCTV પરથી આરોપીની થઈ ઓળખ


  • Published By :
  • Published Date : 2023-07-30 14:19:54

રાજધાની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે સાંજે મોહરમના જુલૂસમાં અચાનક હંગામો થયો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ અને રાહદારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો તલવારો ચલાવીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. હવે પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે, જ્યારે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે મોહરમના જુલૂસમાં થયેલી હિંસામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.


પોલીસે FIR નોંધી


પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 147, 148, 149, 151, 152, 153, 186, 323, 324, 332, 353, 307, 427 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અનેક આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે.


શા માટે હિંસા થઈ?


નાંગલોઈના SHO પ્રભુ દયાલના નિવેદન પર નોંધવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના જણાવ્યા  શનિવારે મોહરમ નિમિત્તે નાંગલોઈ વિસ્તારમાં તાજીયા જુલૂસ કાઢવામાં આવી રહ્યા હતા. જેમાં આઠથી દસ હજાર લોકો સામેલ હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. સરઘસ કાઢતા પહેલા પોલીસે તાજીયા જુલૂસનો સંપૂર્ણ રૂટ આયોજકોને આપી દીધો હતો. આ તાજીયા જુલૂસ નાંગલોઈના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નાંગલોઈ ચોક ખાતે સમાપ્ત થવાની હતી. બપોરે સરઘસ ચોકમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને સૂરજમલ સ્ટેડિયમ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તાજિયા જુલૂસમાં સામેલને લોકોને પોલીસે નિયત રૂટથી અલગ જતા રોક્યા તો તેમણે પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. લોકોએ તેમને સૂરજમલ સ્ટેડિયમ જવા માટે દબાણ કરવા લાગ્યા હતા, જોકે સ્ટેડિયમની અંદર જવાની પરવાનગી નહોતી. જુલૂસમાં 6-7 હાથલારીઓ પર આવેલા તાજિયાના આયોજકોએ ભીડને સ્ટેડિયમની અંદર જવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું, આમાંથી કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી, લોખંડના સળિયા, લાકડીઓ વગેરે જેવા હથિયારો હતા. પોલીસના ઇનકાર પર ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, ભીડમાંના એક વ્યક્તિએ SI પર પણ છરી વડે હુમલો કર્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.