દિલ્હીના નાંગલોઈમાં મોહરમના જુલૂસમાં પથ્થરમારા બાદ પોલીસે FIR નોંધી, CCTV પરથી આરોપીની થઈ ઓળખ


  • Published By :
  • Published Date : 2023-07-30 14:19:54

રાજધાની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે સાંજે મોહરમના જુલૂસમાં અચાનક હંગામો થયો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ અને રાહદારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો તલવારો ચલાવીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. હવે પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે, જ્યારે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે મોહરમના જુલૂસમાં થયેલી હિંસામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.


પોલીસે FIR નોંધી


પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 147, 148, 149, 151, 152, 153, 186, 323, 324, 332, 353, 307, 427 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અનેક આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે.


શા માટે હિંસા થઈ?


નાંગલોઈના SHO પ્રભુ દયાલના નિવેદન પર નોંધવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના જણાવ્યા  શનિવારે મોહરમ નિમિત્તે નાંગલોઈ વિસ્તારમાં તાજીયા જુલૂસ કાઢવામાં આવી રહ્યા હતા. જેમાં આઠથી દસ હજાર લોકો સામેલ હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. સરઘસ કાઢતા પહેલા પોલીસે તાજીયા જુલૂસનો સંપૂર્ણ રૂટ આયોજકોને આપી દીધો હતો. આ તાજીયા જુલૂસ નાંગલોઈના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નાંગલોઈ ચોક ખાતે સમાપ્ત થવાની હતી. બપોરે સરઘસ ચોકમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને સૂરજમલ સ્ટેડિયમ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તાજિયા જુલૂસમાં સામેલને લોકોને પોલીસે નિયત રૂટથી અલગ જતા રોક્યા તો તેમણે પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. લોકોએ તેમને સૂરજમલ સ્ટેડિયમ જવા માટે દબાણ કરવા લાગ્યા હતા, જોકે સ્ટેડિયમની અંદર જવાની પરવાનગી નહોતી. જુલૂસમાં 6-7 હાથલારીઓ પર આવેલા તાજિયાના આયોજકોએ ભીડને સ્ટેડિયમની અંદર જવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું, આમાંથી કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી, લોખંડના સળિયા, લાકડીઓ વગેરે જેવા હથિયારો હતા. પોલીસના ઇનકાર પર ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, ભીડમાંના એક વ્યક્તિએ SI પર પણ છરી વડે હુમલો કર્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .