દિલ્હીના નાંગલોઈમાં મોહરમના જુલૂસમાં પથ્થરમારા બાદ પોલીસે FIR નોંધી, CCTV પરથી આરોપીની થઈ ઓળખ


  • Published By :
  • Published Date : 2023-07-30 14:19:54

રાજધાની દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં શનિવારે સાંજે મોહરમના જુલૂસમાં અચાનક હંગામો થયો હતો. આ દરમિયાન ટોળાએ પોલીસ અને રાહદારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. તે જ સમયે, કેટલાક લોકો તલવારો ચલાવીને ભીડને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. હવે પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે, જ્યારે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે મોહરમના જુલૂસમાં થયેલી હિંસામાં પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા.


પોલીસે FIR નોંધી


પોલીસે આ સમગ્ર મામલે 3 FIR નોંધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમ 147, 148, 149, 151, 152, 153, 186, 323, 324, 332, 353, 307, 427 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અનેક આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે.


શા માટે હિંસા થઈ?


નાંગલોઈના SHO પ્રભુ દયાલના નિવેદન પર નોંધવામાં આવેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસના જણાવ્યા  શનિવારે મોહરમ નિમિત્તે નાંગલોઈ વિસ્તારમાં તાજીયા જુલૂસ કાઢવામાં આવી રહ્યા હતા. જેમાં આઠથી દસ હજાર લોકો સામેલ હતા. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. સરઘસ કાઢતા પહેલા પોલીસે તાજીયા જુલૂસનો સંપૂર્ણ રૂટ આયોજકોને આપી દીધો હતો. આ તાજીયા જુલૂસ નાંગલોઈના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નાંગલોઈ ચોક ખાતે સમાપ્ત થવાની હતી. બપોરે સરઘસ ચોકમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને સૂરજમલ સ્ટેડિયમ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તાજિયા જુલૂસમાં સામેલને લોકોને પોલીસે નિયત રૂટથી અલગ જતા રોક્યા તો તેમણે પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી. લોકોએ તેમને સૂરજમલ સ્ટેડિયમ જવા માટે દબાણ કરવા લાગ્યા હતા, જોકે સ્ટેડિયમની અંદર જવાની પરવાનગી નહોતી. જુલૂસમાં 6-7 હાથલારીઓ પર આવેલા તાજિયાના આયોજકોએ ભીડને સ્ટેડિયમની અંદર જવા માટે ઉશ્કેરવાનું શરૂ કર્યું હતું, આમાંથી કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી, લોખંડના સળિયા, લાકડીઓ વગેરે જેવા હથિયારો હતા. પોલીસના ઇનકાર પર ભીડે પથ્થરમારો શરૂ કર્યો હતો, ભીડમાંના એક વ્યક્તિએ SI પર પણ છરી વડે હુમલો કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.